________________
॥ ૐૐ હ્રીં શ્રીં અર્ધું નમઃ । પંડિત પ્રવર શ્રીમદ્ વીરવિજયજી વિરચિત
महासती
श्री सुरसुंदरीनो रास
પ્રથમ ખંડ
મંગલાચરણ
(દોહરા)
'સકલગુણાકર પાસજી, શંખેશ્વર અભિરામ; મન વાંછિત સુખ સંપજે, નિત સમરતા નામ. ૧ ઇષ્ટ મનોરથ પૂરતી, ચૂરતી અલીક વિઘન્ન; કવિજન જનની ભારતી, વારતી અલીક વચન્ન. ૨ કાશમીર પ્રતિ વાસિની, સોલ નામ જશ શુદ્ધ; જે ભવિ નિત સમરણ કરે, તસ હુએ નિરમલ બુદ્ધ. ૩ ભારતી સરસતી શારદા, હંસગામિની જેહ; વિદુષાંમાત કુમારિકા, વાગેસરી શુચિદેહ. ૪ બ્રહ્મસુતા ત્રિપુરા કહી, વાણી શ્રી વરદાય; વિશ્વ - વિખ્યાતા તું સહી, ધ્રુવવાણી શ્રુતદાય. પ ભાષા ગૌરી જાણીએ, ઇત્યાદિક જશ નામ; પ્રણમુ હું નિત્ય પ્રેમશું, જે ગુણ સુખનું ધામ. ૬ ત્રિભુવનમાતા શારદા, તુજ ઉપકાર મહંત; સિદ્ધ અનંતા તે થયા, તુજથી શિવવધૂ કંત. ૭ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ