________________
અમરકુમાર નું આગમન
ભાવાર્થ :
રાજદરબાર ભરાયો છે. રાજા સિહાંસને આરુઢ છે. રાજપરિવાર યોગ્ય સ્થાને ગોઠવાયો છે. તે અવસરે વહાણવટી
અમરકુમાર ભેટલું લઇને રાજદરબારે આવ્યો. રાજાના ચરણ પાસે ભેટણું મૂકયું. માંડવિયો વિમલયશ ઓળખી ગયો. તે સિવાય અહીં તેને ઓળખનાર કોઇ જ હતું નહિં. અહીંનું વાતાવરણ અમરને દઝારતું હતું. પોતે ગુમાવેલી સુરસુંદરીનું સ્મરણ સતાવ્યા કરતું હતું. જેમ જેમ વહાણો દેશ તરફ ગતિ કરતાં હતાં તેમ તેમ તેના હૈયામાં સુરસુંદરી વધુ વધુ યાદ આવતી હતી. ઘેર પહોંચ્યા પછી પિતાજીને આગળ શું કહેવું? મારા મહાપાપનો પશ્ચાતાપ કોની આગળ કરવો? આવા અનેક પ્રશ્નોએ તેના હૃદયને ખળભળાવી મૂકયું હતું. તેથી તેનું મન ઉદ્વિગ્ન હતું. સાગરના કોઇ કિનારે થોભવું નહોતું. તણે તો તેના દેશમાં જલ્દી પહોંચવું હતું. પણ નસીબે બેનાતટના રાજદરબારે લાવી મૂકી દીધો.
વિમલયશ ઓળખી ગયા. પોતાના હૈયામાં આનંદ થયો. બીજી પળે પોતાના સેવકને કહી દીધું કે આ વેપારી જુઠ્ઠો છે. તેના વહાણોની જપ્તી કરી લ્યો. તેને ભોંઠો પાડીને રાજાને કહો કે આ વેપારી તદન ખોટો છે. ત્યારપછી તેને મારી પાસે મારા આવાસમ લઇ આવો. વિમલયશની આજ્ઞા પ્રમાણે સેવક કામ કરીને વેપારીને વિમલયશ પાસે લઇ આવ્યો.
તરત વિમલયશ પોતાના આવાસે પહોંચી ગયો. સ્વામીની પ્રતીક્ષા કરતી સુરસુંદરી ઉર્ફે વિમલયશ સ્વામીની દશા જોઇને સતી પામી ગઇ હતી. સ્વામી સુખી નથી. આ વિચારે તેના હૈયામાં આબુનો વેગ ઉછળ્યો. મહામહેનતે તે હૈયાના વેગને રોકીને સ્વસ્થ થતાં સેવકને બોલાવ્યો. આવેલ વેપારી અમરકુમારના બધા જ વહાણોની ચોકસાઇથી તપાસ કરો. અને બધો જ માલ લૂંટીને મારા મહેલની પાછળ રહેલા ઓરડામાં ભરાવી દ્યો. વળી તે વેપારીને કહો કે ‘ તમે ચોર છો’ આ રીતે એને વારંવા કહીને એને ભયભીત કરી દ્યો. પણ? છતાં કોઇએ તે વેપા૨ીને મારવાનો નહિં. વચન વડે કરીને સતાવવો પણ, મારવું નહિં. આ મારી કડક આજ્ઞા છે.
આ પ્રમાણે અહિંયા પણ આજ્ઞા કરીને વિમલ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. પથારી ઉપર પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેનું મન કહે છે ‘‘સુરસુંદરી-સુરસુંદરી'' આજ રુદન શા માટે! આજ તો તારી જીવંત આશા ફળી છે. રુદન શા માટે આવે છે? કેમ! રડવું ન આવે? ભૂતકાળના પ્રસંગો શું સામાન્ય હતા? સાત કોડીનો કંપાવનારો પ્રસંગ શું ભૂલી શકાય તેવો હતો? કઇ સ્ત્રીને આ પળે રડવું ન આવે? સતીના હૈયાની આશા વીણાના સૂર-આજે રુદન વચ્ચે ગૂંથાયા હતાં. સતીને આંખે શ્રાવણ-ભાદરવો હતો. તેની પથારી ભીની થઇ ગઇ હતી. એકાદ નાની ચિનગારીથી દારુખાનું સળગી ઉઠે,તેમ સતીના હૈયા વચ્ચે દટાએલા વિચારો એકસામટા પ્રજ્વળી ઉઠયાં. ‘‘વિમલયશ’’? આજ તને શું થયું છે? યક્ષદ્વીપમ તને નિરાધાર મૂકીને ચાલ્યો ગયેલો સ્વામી આજ આંગણે આવ્યો છે. જે આશા ખાતર તે અપાર સંકટો સહન કર્યા હતા, તે આશા આજ જીવંત બનીને સામે આવી છે. તું શા માટે દુઃખી થાય છે? સુરસુંદરીના ઉછરેલા વિચારો કોઇ જાણી ૨ કતું ન હતું. આંસુ ગમે તેવા જખ્મી હોય. પરંતુ હૈયાનો ભાર હળવા કરવાનું પુણ્ય કામ તો જરુર કરે છે.
આ બાજુ જયારે માંડવિયાના માણસો અમરકુમારને હેરાન કરી રહયા છે. હે શેઠ! તમે મોટું જોખમ ખેડયું છે. જીવતા ઘરે કેવી રીતે પહોંચશો. અમર આ વાત સાંભળી વિચા૨ે કરે છે, મેં કોઇ મોટો ગુનો કર્યો નથી. ને આ લોકો એ મને ગુનેગાર બનાવ્યું છે. વળી સેવકો સતાવી રહ્યા છે. શેઠ! જાતિએ વાણિયા છેા. અને ચોરી શા માટે કરી? ચોરનો કોઇ ધણી નથી. પણ અમારો શેઠ તમારી ઉપર ગુસ્સે થયો છે.
મહાસતી શ્રી મુરસુંદરીનો રાસ
(૨૬૩)