________________
દાસીઓ બહાર ઊભી હતી. ઓરડામાં ગયા બાદ વૈદ્યે ઓરડો બંધ કરાવ્યો. સાંકળ પણ દેવરાવી. ત્યારબાદ વૈદ્ય ગણિકાને કહેઃ- દેવ ! આપ સ્થિર ઊભા રહો. ગણિકા સ્થિર ઊભી છે. વૈદ્યે કહ્યું આંખ બંધ કરીને કહો કે હે વૈધરાજ! મને નવું યૌવન આપો. ગણિકા આ પ્રમાણે બોલે છે. વૈદ્યે મંત્રબળે નવયૌવનને બદલે શું રૂપ આપ્યું? ‘ગધેડી’. પળવારમાં કામલત્ત. નવયૌવનને બદલે માણસપણું છોડી ગધેડી બની ગઇ. વૈદ્યરાજ તરત હસવા લાગ્યો. ગધેડીને દોરડીથી બારણાં પછળ ખીલીએ બાંધી દીધી. અને ઓરડામાં રહેલા વેશ્યાના ધનભંડારમાંથી ઘરેણાં ઉઠાવ્યા. બીજુ પણ જે લેવા જેવું હતું તે પણ લઇ લીધું. ત્યાંથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો. મુખ્યખંડમાં ત્રણ ચાર દાસીઓ સ્વામિનીની રાહ જે તી હતી. વૈદ્ય રૂપી ચોરે આવીને કહ્યું કે તમારી સ્વામિનીના ઓરડાને તાળુ લગાવી દ્યો. ખોલશો નહિ. આઠ પ્રહર ગયા બાદ(૨૪ કલાક) આવતીકાલે સવારે બારણા ખોલજો. પછી સ્વામિનીના ઓવારણાં લેજો. આ ગણિકા ચોવીસ કલાકમાં લધુ વય પામશે. સુંદર સ્વરૂપવાન થઇ જશે. આ રીતે કહીને વૈદ્યરાજ નીકળી ગયા. ઘરભેગા થઇ ગયા.
સવારે રાજા વેડ્યાને ત્યાં આવ્યા. દાસીઓએ આવકાર આપ્યો. સત્કારને ઝીલતો રાજા મુખ્ય ખંડમાં આવ્યો. વૈધરાજ આવ્યા હતા. ત્યારથી જે બધી બીના બની હતી તે કહી સંભળાવી. આ વાત સાંભળીને રાજાએ ઓરડો ખોલાવવા માટે દાસીને કહ્યું. દાસીએ કમરો ખોલ્યો. પોતાની સ્વામિનીને બદલે ગધેડી જોઇ. રાજાએ પણ જોઇ. ચિંતામાં પડી ગયો. રે! ચો૨ના ચરિત્રને કોઇ પિછાની શકતું નથી. ચોરે તો હદ કરી નાંખી. નગરના સવિ સજજનોની ઉપેક્ષા ક૨વા લાગ્યો છે. કોઇ મહાત્ કરી શકતું નથી.ગણિકાની દયા આવી. ચિંતાતુર રાજા ગણિકાને ત્યાંથી પાછો ફર્યો.
આ જગતમાં અધમ રાજા-વાણિયો, ચાડિયો માણસ, શિકારી, ઠગ માણસ, મહેમાન અને વેશ્યા તેમજ ચોર અને વૈદ્ય આ બધા માણસો કયારેય પણ બીજાની પીડાને સમજી શકતા નથી. રાજા રાજસભામાં આવ્યા અને ચોરને પકડવા એલાન કર્યું. બક્ષીસ જાહેર કરતાં પણ ચોર ન પકડાયો. પડહ સૈા સાંભળે છે. વળી રાજાએ આગળ પોતે જાહેર કર્યું કે ‘જે કોઇ ચોરને પ ડી લાવશે. પકડી લાવનારને રાજય તરફથી અડધું રાજય અને મારી કુંવરી આપીશ. '' પણ કોઇ બીડું છબવા તૈયાર •. થયું. કારણકે ચોરે હદ કરી નાંખી હતી. જે ગ્રહણ કરે તેને ત્યાં જ ચોર પહોંચતો . છેલ્લે ગણિકાને ગધેડી બનાવી દીધી. આ ચોરના ભયંકર પરાક્રમોને લીધે ભય પામીને હવે કોઇ ચોરને પકડવા તૈયાર થયું નહિં.
કોઇએ પડહને ીલ્યો નહિ. રાજસભામાં બેઠેલો વિમલયશ માંડવી પોતાના સ્થાનેથી ઊઠીને રાજાને પ્રણામ કર્યા. બીડું પકડયું. બીડું હણ કરીને, રાજાના આશીર્વાદ લઇ માંડવીઓ દરિયાકિનારે રહેલાં પોતાના મહેલે આવ્યો. વિમલયસનો પુણ્યના શુભ ઉદય હવે વિસ્તાર પામ્યો છે. આ નગરીને માટે..
એ પ્રમાણે ચોથા ખંડને વિષે આઠમી ઢાળ કવિરાજે સમાપ્ત કરી.
ચતુર્થ ખંડે આઠમી ઢાળ સમાપ્ત
(મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ
૨૫૩)