SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (દોહરા) ગણિકા શેઠ જણાં બિહુ, ગયા નર સર પાસ; કહે સ્વામી મીઠે વયણ, લૂંટયા ઉભય નિવાસ. ૧ ધુત્તા હોયે સલખણા, અસતી હોય સલજજ; ખારું પાણી સીયલું બહુ કૂલ ફલિય અકજજ. ૨ પડહ વજાવે નરપતિ, બીડું છેલ્લું તિણિવાર; વિમલકીરતિ દિગંબરે, સાંભળ્યો ચોરે વિચાર. ૩ ભાવાર્થ : મહા ઉસ્તાદ એવા ચોરને પકડવામાં, હંફાવવામાં, સૌ નિષ્ફળ જાય છે. સોદાગર અને ગણિકા પોતાની મૂલ્યવાન વસ્તુ પોતાના હાથે જ ચોર ને આપી. આપમેળે લૂંટાયા. બંને જણા રાજાની પાસે પહોંચ્યા. રાજાને કહે છે- હે મહારાજા! આ ચોરે સોદાગર બની, મીઠાં વચનોથી અમને જીતી લીધાં ને અમારા બંનેના ઘર લૂંટી ભાગી ગયો. ચોરને પકડવા જતાં અમે જ ઠગાઇ ગયા. જગતમાં ધૂત માણસો સલક્ષણ હોય છે. અસતી સ્ત્રી વેશ્યા આદિ લજજાયુકત હોય છે. ખારુંપાણી શીતળ હોય છે. કલ્યાણકારી કાર્યો વિપ્નોથી ભરેલા હોય છે. અકજજ-અકાર્ય-ન કરવા જેવા કાર્યો જલ્દીથી ફળીભૂત થાય છે. ત્યારબાદ રાજસભામાં રાજ પડહ વજડાવે છે. પડહ સાંભળી ચોરની ગતિ સમજી ગયેલો વિમલકીર્તિ નામના દિગંબર શ્રાવકે પડહ ઝીલ્યો. ઢાળ પાંચમી (કુંવર ગભારો નજરે દેખતાંજી.- એ દેશી.) અકલ અગમ ગતિ ચોરની જી, નયર કરે ઉતપાત રે; વિમલ કરતિ પાસે ગયોજી, શ્રાવક-રુપ વિખ્યાત રે. અકલ. ૧ ધમ્મબુદ્ધિ હોઉ ઈમ કહીજી, આવી લાગ્યો પાય રે; વિમલકીરતિ દિગંબરુજી, પૂછે કરી સુપસાય રે, અકલ. ૨ કિહાં થકી તમો આવીયાજી, શ્ય કારણ અમ પાસ રે; તે કહે સાહિબ સાંભળોજી, માહરી એક અરદાસ રે, અકલ. ૩ સાહિબ હું પેટારથીજી, ભમિયો દેશ-વિદેશ રે; બહુજન સેવ્યા પણ નવિ ધન લસ્જી, કર્મગતિ સુવિશેષ રે. અ. ૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy