________________
આવકાર્યા. ચોર શેઠ કહેઃ- હે પરદેશી સોદાગર! તમે સૌ આ નગરના અજાણ્યા છો. હું આ નગરનો સોદાગર વેપારી છું. અહિંયા રહેવું ઠીક નથી. મારે ઘેર સૈા ચાલો. આ પ્રમાણે કહ્યુ. પોતાના રસાલાને લઇ ને પરદેશી સોદાગર નગરમાં આવ્યો. શેઠે વેશ્યાની બાજુના ઘરમાં ઉતારો આપ્યો. શેઠના રુપે ચોરે પરદેશી સોદાગરની આગતાસ્વાગતા કરવામાં કંઇ કમી ન રાખી. પૂરેપૂરી સગવડ સાચવે છે.આવી ઘણી સરભરા કરતાં પરદેશી સોદાગર અને પરિવાર ઘણો આનંદ પામ્યો.
હવે ચોર પોતાના આવાસે જઇને શેઠનો વેશ છોડીને સોદાગરનો વેશ લઇને કામપતાકા વેશ્યાને ત્યાં આવે છે. નવા ગ્રાહકને જોઇને વેશ્યા ઘણી આનંદ પામી.વેશ્યા કામના વિકારને કરતી, હાવભાવ દેખાડતી, સોદાગરને સતાવી રહી છે. સોદાગર કહે- હે કામિની! હે મનમોહિની! હું તારે ત્યાં જ રહેવાનો છું. પરદેશી છું. આ નગરીમાં વેપારમાટે આવ્યો છું. પણ અત્યારે મારે રાજાને મળવા ખાસ રાજદરબારે જવું પડે તેમ છે. તે માટે તારે ધીરજ ધરવી પડશે. હું હમણાં જ રાજમંદિરે જઇને આવુ છું. પણ વાત સાંભળ! મારી પાસે રાજદરબારને યોગ્ય વસ્ત્રો નથી. રાજા પાસે મારી પ્રતિભા પડે તેવા પ્રકારના આભૂષણો નથી. કહીને મારી શોભા રાજા આગળ વધે. આભૂષણ અલંકાર વિના રાજા આગળ મારી શી શોભા? તે માટે તમારા આભૂષણો આપો તો અમારું કામ થાય. સોદાગર પાછળ લુબ્ધ બનેલી વેશ્યાએ આભૂષણ અલંકાર સોદાગરને આપ્યા. આભૂષણો પહેરીને વેશ્યાને કહે હમણાં આવું છું. તું રાહ જોજે. આ પ્રમાણે કહી વેશ્યા દ્વાર સુધી મૂકવા ગઇ. ચોર પરદેશી સોદાગર પાસે પહોંચ્યો. પરદેશી સોદાગરને કહેવા લાગ્યો.
હે પરદેશી! અમારે હમણાં રાજદ્વારે જવું છે. તમે વેચવા માટે ઘોડા વગેરે જે લાવ્યા છો. જો તેમાં તેજવંત રત્ન સરખા હોય તો બતાવો. એ બધામાંથી મને પાંચ રનઘોડા મને આપો. પરદેશી સોદાગરે પોતાના ઘોડા જે લઇ આવ્યો હતો. તેમાંથી ઘોડા મંગાવીને આપ્યા. પાંચ ઘોડાને આપતાં સોદાગર કહેઃ- હે શેઠજી! ઘોડા રાજાને બતાવજો. અને મૂલ્યવાન ઉત્તમજાતિના ઘોડાની વાત રાજાને સમજાવજો.
ન
વેશ્યાના આભૂષણો, સોદાગરના ઘોડા પાંચ લઇને ચોરે પોતાના ઘર ભણી દોટ મૂકી. કપટી ચોરની કળાને કોઇ પીછાની ન શકયું. નવા સોદાગર અને શેઠની આવવાની રાહ જોતાં રાત પડી. સોદાગર અને વેશ્યા બંને પોતપોતાના સ્થાને રહ્યા ચિંતા કરે છે. નવો સોદાગર તો આવવાનો હતો જ નહિ. રાહ જોતી થાકેલી કામપતાકા પોતાના ઘર પાસે આવેલા નવા સોદાગર પાસે પહોંચી. મૂળ સોદાગર ને જોઇને કહેવા લાગી :- હે સોદાગર! મારા અલંકારો લઇ ગયા તો આપવા પણ ન અવાયું? હું મારા આભૂષણો લેવા આવી છું. તે સાંભળી પરદેશી સોદાગર કહે- તારા ભૂષણો મેં ક્યાં લીધા છે? ભૂષણો પહેરેલો એક સોદાગર મારે ત્યાં આવ્યો અને ઉતમ જાતિના પાંચ ઘોડા માગ્યા. રાજાની પાસે જવું છે. તો ઘોડા બતાવવા આપો. તેજસ્વી પાંચ ઘોડા આપ્યા. શું એ માણસ તમારો સ્વામી નથી! વેશ્યા કહે :- સ્વામી કોનો! મારા સ્વામી કોઇ છે નહિ. હે સોદાગર! તમે અને હું એ ચોરથી ઠગાયા. લૂંટાયા. ચોરને પકડવા જતાં આપણે જ લૂંટાઇ
ગયા.
મહાસતી સુરસુંદરીનો રાસ સોહામણો છે. આ રસવાળી ચોથા ખંડની ચોથી ઢાળ. હે ભવ્યજીવો! તમે સૈા સાંભળો! આ રીતે પૂ. વીર વિજય મ.સા. કહે છે.
ચતુર્થ ખંડે ચોથી ઢાળ સમાપ્ત
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૩૩)