________________
ભાવાર્થ
બેનાતટ નગરનો શ્રેષ્ઠી રતસાર ચોર પકડવા જતાં પોતે જ લૂંટાઈ ગયો. રાજા વાત સાંભળી વિચારમાં પડી ગયો. વળી રાજા ફરીથી રાજસભામાં પડહ વજડાવી જાહેરાત કરે છે. રાજાનો આદેશ લઇને રાજસેવકો નગરીમાં પડતો વજડાવે છે. નગરના કોટવાલે પડહ ઝીલ્યો. રાજસભામાં આવીને રાજાને પ્રણામ કર્યા. રાજાના હાથે બીડું ઝડપ્યું. ત્યારબાદ કોટવાલ પોતાના ઘરે આવ્યો.
આ બાજુ ચોર રતસારને ત્યાંથી ચોરી ગયા પછી પોતાને આવાસે રહ્યો છે. આરામ કરીને સાંજ પડે નગરીમાં થઇ રહેલી નવાજૂની જોવાને માટે પોતાનું રૂપ બદલીને ચૌટામાં પહોંચ્યો છે. ત્યાં રહેલા ચોરના સ્વરુપને જાણવા માટે પૂછવા લાગ્યો. ચૌટામાં રહેલા લોકો કહેવા લાગ્યા કે આ ચોર મહાઉíઠ છે. કપટી પણ પાકો છે. આ નગરીમાં ભારે ઉલ્કાપાત મચાવ્યો છે. કોઇ પણ પકડી શકતું નથી. ઘણાં ઘરમાં ખાતર પાડયા છે. લોકો સાંજ પડેને ભયથી ડરવા લાગે છે. કોઈ પણ આ ચોરને પાછું વાળી શકતાં નથી. રોજ રોજ નવા નવા ઘર પકડે છે. આ વાત સાંભળી ચોરે પૂછ્યું- આજે ચોરને કોણ પકડવા તૈયાર થયો છે. લોકો કહેઃ- આજે કોટવાલ પકડવા માટે તૈયાર થયા છે. વાત સાંભળીને મશ્કરી કરતો પોતાના ઘર ભેગો થઈ ગયો. તે જ રાત્રિએ ચોર કોટવાલના ઘરે પહોંચ્યો. ખાતર પાડીને કોટવાલના ઘરનો સામાન તથા ઘોડા-રતો વિગેરે લઈને ઘરે આવી ગયો.
સવાર પડી. કોટવાલને ખબર પડી મારા ઘરે જ ચોરે ચોરી કરી. મૂલ્યવાન વસ્તુ ઉપાડી ગયો. અફસોસ કરતો રાજાની પાસે પહોંચ્યો. કપાળને કૂટતો કહેવા લાગ્યો. હે રાજન! ચોર પકડાયો નથી. ને હું જ લૂંટાઈ ગયો. મારી બધી જ વસ્તુ ઉપાડી ગયો. નગરમાં ભારે ઉત્પાત મચાવી દીધો છે. '
એ જ અવસરે રાજાની પાસે પુરોહિત આવ્યો. રાજાને આશીર્વાદ આપી પોતાને આસને બેઠો. રાજા અને કોટવાલની ચર્ચા ચાલતી હતી. તે ચર્ચા પુરોહિત સાંભળતો હતો. અવસર ઉચિત પુરોહિતે ચોર પકડવાનું બીડું ઝડપ્યું. આ સમાચાર પણ ચોરે મેળવી લીધા. અવગુણનો ભંડાર ભર્યો છે જેની પાસે તેવો દુર્જન છે ચોર. કહેવાય છે કે દુર્જનનું મન કેવું હોય? બોરડીના પાકા બોર જેવું હોય, બહારથી રંગ મનમોહક લાલ ચણોઠી જેવો, જયારે તે તો અત્યંતરમાં કઠિન-કઠોર હોય છે.
ઢાળ - ત્રીજી
(રાગ- બંગાલ) લોક કહે પુરોહિતને એમ, તસ્કર ઝાલશો સાહિલ કેમ;
સાહિલ સાંભળો. ઈમ સુણતો ગયો પુરોહિત તેહ, દેવકુલે રમવાને ગેહ. સા. ૧ ઇભ્ય-રુપ કરી તસ્કર ત્યાંહી, જાગટુ રમવા ગયો ઉછાંહી, સા; હાર્યો પુરોહિત મુદ્રા રન, લીધી તસ્કરે જીતી થતત્ર. સા. ૨ ઈણિ અવસર નૃપ ભટ સંપ્રેડ, કાર્યવશે પુરોહિતને તેડ, સા. પુરોહિત જામ ગયો દરબાર, તવ તસ્કર ચિત્ત કીધ વિચાર, સા. ૩
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)