________________
બેનાતટ નગરમાં ઉલ્કાપાત મચાવતો ચોર આ પ્રમાણે પોતાની માતાને કહી રહયો છે. હે માત! મને પકડે એવો કોઇ નરબંકો જગતમાં નથી. માતા પણ દીકરાની વાત સાંભળી સંતોષ પામી. આ બાજુ નગરમાં સવારે રત્નસાર ઉઠયો. હવેલીમાં ચોરી થઇ ગઇ. જાણી દુ:ખી થઇ ગયો. ઘર ઘર તપાસતાં મૂલ્યવાન રત્નનો દાબડો જ ચોરાઇ ગયો. બીજુ પણ થોડું ગયું છે. રાજાની પાસે રત્નસાર આવી કહેવા લાગ્યો. હે રાજન! હું લૂંટાઇ ગયો. ચોરે મારું ઘર જ લૂંટી નાંખ્યું. મારું પહેરવાનું ધોતિયું પણ ઉપાડી ગયો. લોકોને પણ ખબર પડી ગઇ. હાહાકાર મચી ગયો. પણ કોઇ ચોરને પકડી શકતું
નથી.
આ પ્રમાણે સુરસુંદરીની રાસની ચોથા ખંડને વિષે બીજી ઢાળ સમાપ્ત કરતાં વીરવિજય મ. સા. કહે છે કે હે વિવેકી! ઉલ્લંઠ એવા ચોરની ગતિ કેવી છે? જુઓ તો ખરા!
ચતુર્થ ખંડે બીજી ઢાળ સમાપ્ત
(દોહરા)
ઇમ નિસુણી ગૃપ પુનરપિ, પડહ વજાવે ગામ; કોટવાલ બીડું છબે, ન્રુપ પ્રણમીને તામ. ૧ તે નિસુણી તસ્કર ગયો, ચતુટે ફેરવી રૂપ; ભાંડ લોકને પૂછતો, ચોરનું સયલ સરૂપ. કપટ વચન કહે ચોર બહુ, નગર કરે ઉત્પાંત; કો તસ વારી નવિ શકે, પાડે બહુલાં ખાત. ૩ કોટવાલ હાવે વારશે, ઇણિપરે કરી ઉપહાસ; રાતે ખાતર પાડીયું, કોટવાલ આવાસ. ૪ તુરંગ રતન કાઢી ગયો, સયલ વિબુદ્ધ વિભાત; કહે નૃપને લૂંટયા અમે, હૈ હૈ અતિ ઉત્પાત. પ ઇણ્ણિ અવસર તિહાં આવીયો, પુરોહિત નૃપની પાસ; આશીર્વચન કહી ઇસ્યાં, બેઠો ધરી ઉલ્લાસ. ૬ નૃપ આગળ બીડું છબ્યુ, પુરોહિતે તિણે ", કામ; તે નિસુણી તસ્કર હસ્યો, દુર્જન-અવગુણ- ધામ. ૭ દુર્જનનું મન એહવું, જેહવું પાકું બોર; બાહિર રાતુ રંગભર, અત્યંતર કઠિન કઠોર. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૨૫)