________________
આ ચોર માંત્રિક હતો. નગરની બહાર પૂર્વ દિશા તરફ એક ઝાડ નીચે એક શીલા છે. તેને મંત્ર દ્વારા ખોલે છે. આખો દિવસ ભોંયરામાં રહે છે. અને રાતે બહાર આવીને મનમાની ચોરી કરે છે. આ ચોરને પકડવાનું બીડું રતસારે ઝડપ્યું. ભોંયરામાં રહેલો ચોર માતાને કહે છે. હે મા! નગરમાં શું હિલચાલ ચાલી છે. બાતમી મેળવી આવો. દીકરાના કહેવાથી મા નગરમાં ચાલી, નગરમાં શું નવાજૂની બની રહી છે. પોતાના દીકરાએ કરેલી ચોરીની શી વાતો ચાલી રહી છે. તે જોવા માટે નગરની ભાગોળે આવેલા કવાકાંઠે જઈ રહી છે જયાં આ નગરીની સ્ત્રીઓ પાણી ભરવા આવે છે. નગરીની સ્ત્રીઓ સુંદરી અને દીકરીઓ માથે પાણી ભરેલા બેડાં લઇ જતાં માર્ગમાં અવનવી વાતો કરતી જાય છે. જો ને ચોરના અધોર કામ. કોઈના હાથમાં આવતો નથી. બીજી કહે- રે બેન! આજે તો મારા પાડોશી ને ત્યાં ચોરી કરી ગયો. ઘરમાં કંઈ જ રાખ્યું નથી. વળી ત્રીજી કહે- રાજા કે રાજાના માણસો પણ આ ચોર ને પકડી શકતા નથી. આપણો રાજા પણ ઘણી ચિંતામાં પડયો છે. વળી એક કહે- રાજાએ તો બીડું ફેરવ્યું. પેલા વેપારી વાણિયા રત્નસારે ઝડપ્યું છે. એ તો કેવી રીતે કેમ પકડશે! ચોરની મા તો આ વાતને સાંભળતી સાંભળતી પનિહારીઓની પાછળ ચાલી જાય છે. અને જયાં રત્નસારે ચોરને પકડવા માટે સાહસ કર્યું છે. એવા નારીના વચન સાંભળી તરત ત્યાંથી નીકળી પોતાના દીકરા પાસે આવી. પોતાના પુત્રને આ બધી હકીકત કહી. દીકરા સાવધ રહેજે. રાજા તરફથી તને પકડવાના પ્રયતો ચાલે છે. દીકરો કહે- સારું! ત્યારબાદ ચોર વાણિયાનો વેશ કરી રત્નસાર વેપારીને ત્યાં પહોંચી ગયો. રતસાર વેપારીને પ્રણામ કરીને ગાદી ઉપર બેઠો. શેઠને પણ લાગ્યું કે કોઈ પરદેશી વેપારી લાગે છે. પોતે પણ હાથ જોડીને પ્રણામ કર્યા. વિવેકપૂર્વક વાતો કરી. પછી કહે શેઠ! પરદેશથી આવું છું. મારે તો ખરીદવાના છે. તો તમારે ત્યાં મોંઘામાં મોંઘા જે રતો હોય તે બતાવો. મારે ભારે અને ઊંચો માલ ખરીદવાનો છે. રત્નસાર તો પોતાની દુકાને સારો ગ્રાહક આવ્યો છે માલ સારો વેચાશે. અને નફો પણ સારો મળશે. એવું સમજીને પોતાની પાસે જે માલ હતો તેમાંથી ઉંચી જાતના રતો લઇને નવા પરદેશી વેપારીને બતાવવા લાગ્યો. વેપારીના સ્વાંગમાં ચોરે રતો જોયા. માથું ધૂણાવવા લાગ્યો. પોતાને જાણે ન ગમ્યો હોય તે રીતે મુખ પર ભાવ વર્તાવવા લાગ્યો. બધાં જોયા પછી બોલ્યો, શેઠ! આ તો મને બહુ ન ગમ્યાં.
આ કરતાં વધારે સારા હોય તો બતાવો ને! પોતે ચારેકોર દૃષ્ટિથી જોવા લાગ્યો. શેઠ વળી બીજા રતો શોધી રહયા છે. ચોરે જોઈ લીધું. રતો કયાં મૂકે છે? વળી શેઠને કહે છે કે મને તો એક પણ ગમ્યું નથી. એમ કહીને ત્યાંથી ઉઠ્યો. રતસારે શ્રેષ્ઠીનું ઘર –ઠેકાણું અને જગ્યા બરાબર જોઈ લીધી. પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યારપછી આરામ કરીને રાત પડે ચોર પોતાના સ્થાનેથી નીકળી નગરમાં દાખલ થયો. દિવસે જોઇને આવેલ ઠામઠેકાણું બરાબર ધ્યાનમાં હતું. સીધો રતસારને ત્યાં પહોંચી ગયો. રતસારના ઘરની ભીંતે ખાતર પાડયું. એટલે ઘરની ભીંતમાં મોટું કાણું પડયું. બખોલ દ્વારા ઘરમાં ઘુસ્યો. રાત્રિમાં ઘરનો પરિવાર ભરનિંદરમાં હતો. ચોર ધીમા પગલે પહોંચી ગયો. જયાં રતન ડાભલો મૂકેલો હતો ત્યાંથી ઊંચકી લીધો. શેઠના ધોતિયામાં ડાબલો બાંધી દીધો. અને તરત જયાંથી આવ્યો હતો તે ખાતર પાડેલ બખોલ દ્વારા સહેલાઈથી નીકળી તો ગયો. પણ બખોલની આજુબાજુ ઈટોને વગેરેને કારણે માથે હાથ પગ શરીરે ઉઝરડા પડયા. વેદના થઈ. પણ તે વેદનાને ન ગણકારતો ચોર પોતાના સ્થાને પહોંચી ગયો.
માએ દીકરાને જોયો. સાથે ચોરી કરીને લાવેલો રતનો દાબડો પણ જોયો. તરત મા કહેવા લાગી, હે નંદન! આ ચોરી કરવાનો ધંધો છોડી દે, કયારેક પકડાઇ ગયો તો જાનથી મરી જઇશ. એમાં વળી નગરના રાજા તરફથી તને પકડવા માટે પડહ વજડાવ્યો છે. જો પકડાઈ ગયો તો જીવથી ચાલ્યો જઇશ. ચોર માને કહેવા લાગ્યો. હે માત! તું નિશ્ચિત રહે. રાજાના માણસોથી પકડાઈ જાય તેવો તારો દીકરો નથી. પકડાય તે બીજા સમજયાને મા!
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૨૧)