SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ જીહો ઇમ નિસુણી ચારે જણા, જીહો ઘાંચીને ઘરે રાત, જીહો શયન કર્યા તિહાં સામટાં, જીહો ધૂર્ત સકલ દુઃખ-દાત. ૨. ૩૮ જીહો ધૂર્ત કપટ કેલિ કરી, જીહો પ્રથમ પ્રહર ગત-રાત; જીહો ગુપ્ત તદા ઉઠી કરી, જીહો મંત્રીશ્વર ઘર જાત. ૨. ૩૯ જીહો ચોથા ખંડ તણી કહી, જીહો ઢાળ પ્રથમ સુવિશાલ; જીહો વીર કહે શ્રોતા ધરે, જીહો હો જો મંગલ માળ. ૨.૪૦ ૧-બુમાબુમ, ૨-હાર, માણસોનું ટોળું, ૩-વેદન, દુ:ખ ભાવાર્થ વિમલયશે “માંડવી”(જકાતખાના)ની જગ્યાને બરાબર સંભાળી લીધી છે. રાજયના નિયમ અનુસાર રહેતા કુમારે નિયમિત કામ સંભાળી લીધું છે. તેવામાં નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે. નગરમાં ચોરી થઇ રહી છે. એક ચોર દરરોજ કોઇને કોઇ ઘરે ખાતર પાડે છે. કેટલાય દિવસથી ખાતર પાડતો ચોરનો ઉપદ્રવ વધી ગયો છે. નગરના લોકો ઘણાં જ દુઃખી થઈ રહયા છે. તે રસિકશ્રોતાઓ! આ કૌતુકને સાંભળો. ચોરે કેવો મોટો શોર મચાવ્યો છે? જેના ઘરમાં ચોરી કરવા જાય તેનું બધું જ લૂંટી ચાલ્યા જાય છે. સવારે શું ખાવું? શું પીવું? એ પણ મોટી ચિંતા થઇ પડી છે. કોઈ વસ્તુ રહેવા દેતો નથી. રાત્રે ખળભળાટ થતાં સૌ કોઈ બૂમાબૂમ કરે છે. ચોરની ભીતિથી પ્રજાની નિંદ હરામ થઈ ગઈ છે. ચોર ચોરી કરીને લોકો જોતાં જ તેને પકડવા પાછળ પડે છે. પણ કોઈ પકડી શકતું નથી. બેનાપુરના નગર રક્ષકો ચોરને પકડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. પરંતુ ચાલાક ચોરને કોઈ પકડી શકતું નથી. આ વાત રાજાની પાસે પહોંચી. બધી વાત સાંભળી રાજા ચિંતામાં પડયો. ઉલ્લેઠ ચોર મારી પ્રજાને રંજાડી રહયો છે. નગરમાં પુસ્કળ ચોરીઓ થવા લાગી. રાજા નગરરક્ષકો ઉપર ગુસ્સે થાય છે. આટ આટલા દિનથી ચોરી થવા છતાં તમે કોઈ ચોરને પકડી શકતા નથી. કોટવાલો શું કરે છે? રક્ષકે કહ્યું- હે મહારાજ! કોટવાલ તો અથાગ પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ આ ચોર એટલો બધો ચાલાક છે કે એનો પત્તો મળતો નથી. રાજા કહે- ચોર ચાલાક, તમે સી મૂર્ખા! એમજ ને? પ્રજાના દુઃખે દુઃખી થનાર રાજાની હૈયાવરાળ હતી. ચોર કોઈ રીતે પકડાતો નથી. કોટવાલ નગરરક્ષકો બધા રાજા આગળ આવ્યા છે તે વાતનું નિવેદન કરે છે. રાજાએ રાજસભા ભરી. રાજા કહેવા લાગ્યા- મારી વ્હાલી પ્રજા! આપણાં નગરમાં ચોર ઉલ્કાપાત મચાવે છે. તમારા સૌના મનમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. પ્રજાની સંપત્તિ લૂંટાતી હોય ત્યારે રાજય તરફથી રક્ષણ માટે દરેક પ્રકારના પ્રયતો થવા જોઈએ. આ નીતિ અનુસાર હું સર્વને વિનંતી કરું છું કે આ ચોર ને જે વીર નર પકડી આપવા તૈયાર હોય તે મારો આ પડહ ઝીલી લે. ચોરને પકડી લાવનાર વીરપુરુષની હું કદર કરીશ. અને તેને મોં માંગ્યું ઈનામ પણ આપીશ. * દાસી જે રાજાની બાજુમાં સોનાના થાળમાં બીડાં લઇને ઊભી હતી, તે રાજાની સન્મુખ આવી. પ્રજા સામે પાનબીડાં નો થાળ ધરવા લાગી. સભામાંથી રતસાર નામનો વેપારી ઊઠીને રાજા પાસે આવ્યો. રાજાને પ્રણામ કરીને બીડું ઝડપ્યું ને કહેવા લાગ્યો, “મહારાજા! હું ચોરને ગમે તે ભોગે પકડીને આપના ચરણમાં હાજર કરીશ.” રાજા અને પ્રધાન ની ઉપર રહેમ નજર કરીને શાબાશી આપતા આશીર્વાદ આપ્યા. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૧૬
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy