________________
ચર્તુથ ખંડ
દોહરા
પંકજભૂ- તનયા નમું કર પુસ્તક વરમાલ; સરસતી વરસતી વાણીને આપે વયણ રસાલ. ૧ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; તે ગુરુ ગૌતમ સમરતાં, દીએ વચ-લબ્ધિ વિચાર. ૨ શંખેશ્વર ઇશ્વરવિભુ પૂરીસાદાણી પાસ; પરમેષ્ઠિ નિસુણાવિને, પશગ કૃત સુરવાસ. ૩ પરમેષ્ઠિના ગુણ ઘણા, એક મુખે ન કહાય; રત્નાકર બહુ જલ ભર્યો, ગર્ગરીમે ન સમાય. ૪ પૂરણ ત્રીજો ખંડ એ, થયો સકલ-સુખ-ખાણ; ચોથો પાય કહ્યુ હવે, સુણજો શ્રોતા જાણ. ૫ મન રીઝે તનુ ઉલ્લસે, રીઝ બુઝ એક તાન; તે ઇચ્છા વિણ શ્રુતકથા- કરણ બધિર પુર ગાન ૬ વિમલ જસ જસ ઝગમગે, આણ વહે ભટ લોક; વાત પૂરવ ચિત્ત સાંભળી, ચિત્તમાં લાગી ચોક. ૭ મુનિ વચન હૃદયે ઘરી, તેડી અનુચર તામ; મહેલ્યા તેહને શીખવી, દ્વાર દ્વાર પુર ઠામ. ८ વ્યાપારી પરદેશથી, જે આવે ઇણે ઠાણ; મુઝ આગળ સંભળાવીને, પછી વાળજો દાણ. ૯ ઇણિપ૨ે કાલ ગમે સદા, સુખમાંહી દિનરાત; એ હવે તિણે નગરે થયો, તે સુણજો ઉત્પાત. ૧૦ ૧-સરસ્વતી, ૨-ગાગરમાં
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૨૧૧