SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પણ લેતો હતો. જકાતનાકાનું કાર્ય કુશળતાપૂર્વક કરતો હતો. ન્યાયપૂર્વકની આવકથી રાજભંડાર છલકવા લાગ્યો. પણ વિમલયશુનું હૈયું છલકાતું નથી. કયારેક નિરાશાનાં વાદળો ચડી આવે છે. પદવીને વફાદાર હતો. વિમલયશને જે ધન ધન આ નગરના અનાથ, ગરીબ, અસહાય માણસોને દાનમાં આપતો હતો નગરમાં તેની પ્રશંસા થવા લાગી. રાજપરિવાર સાથે મૈત્રી જામી ગઇ. તેના પ્રેમાળ સ્વભાવથી સૌ આકર્ષાયા હતા. વિમલયશના મહેલે ઘણીવાર રાજા, પુરોહિત, નગરશેઠ, પ્રધાન સાથે મળીને આવતા. સહુનું માન જાળવીને માનપૂર્વક વિદાય કરતો હતો. આમ, સુખે દિવસો જવા લાગ્યા. ગુણી કુમારના ગુણો ગવાતાં હતા અને પુણ્યના અંકુર ફુર્યા હતા. મહાસતી સુરસુંદરીનો રાસ, તેનો આ ત્રીજો ખંડ, તેરમી ઢાળ વૈરાગ્યની છોળો ઉછળતી રંગરાગ ભરેલા સંસારમાં પણ વૈરાગ્ય આવતાં વાર લાગતી નથી સતીના ચરિત્રે આ જગતમાં સડી એવી યશની ઝંડી ફરકાવી રહી છે. પૂ શુભ વિજયજી ગુરુના ચરણ કમળને અનુસરતા હંમેશા પૂજ્ય શ્રી વીરવિજય કહે છે, આ સતી બાલાને શિયળને સાચવવા ઘણા કષ્ટો સહન કરવા પડ્યા. અને તે કારણે ભયંકર કર્મને ખપાવ્યા અને સતી પણ હવે મહાસુખને મેળવે છે. તૃતીય ખંડે બારમી ઢાળ સમાપ્ત કલશ. (ચોપાઈની દેશી) ખંડ અખંડ એ ત્રીજો ખંડ, સુરસુંદરીનો રાસ અખંડ, દાનાધિપ પદ સતીયે ગ્રહયો, પુણ્યપ્રબલે જસ શુભ જગ લહયો...! આ સતીના રાસનો ત્રીજો ખંડ અખંડ પ્રવાહે કહ્યો. આ સુરસુંદરીના શ્રેષ્ઠ એવા કુમારના સ્વાગંમાં મોટી પદવી પામી છે. વળી જગતમાં મહાન પુણ્ય પ્રભાવે શુભ અને યશને મેળવે છે. તૃતીય ખંડ સમાપ્ત મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy