________________
હતો તે ભેગો કરવા લાગ્યો. માલણ પણ મદદ કરવા લાગી. બીજે દિવસે રાજ દરબારેથી રાજસેવકો કુમારને લેવા આવ્યા. પોતાના સામાન સાથે માલણને પ્રણામ કરીને રાજસેવકો સાથે ચાલ્યો સાગર કિનારે આવેલ મહેલમાં ઉતારો થયો. કુમાર વિમલયશ આવ્યા. રાજકૃપાએ પણ પુણ્યની નિશાની છે. અશુભકર્મ ટળ્યાં છે. શુભનો ઉદય વર્તે છે. મહેલને જોતાં કુમાર હરખાયો. અણધારી આ મોટી પદવી મળતાં નગરમાં કુમારનો સૂર્યના તેજની જેમ ઘણો યશ વિસ્તાર પામ્યો.
બેનાતટની રાજધાની ખૂબ વિશાળ હતી. વેપાર-ઉદ્યોગ ખૂબ વિકસેલા હતા. દરિયા કિનારેથી વ્યપાર ધમધોકાર નગરમાં ચાલતો હતો. આવતા જતાં વહાણો જકાત ચૂકવતા હતા. કુમારનો મહેલ ભવ્ય હતો. મહેલના ઝરૂખેથી સાગરનો કિનારો દેખાતો હતો. આવતાં જતાં વહાણો દેખાતાં હતા. સાગરનું મધુર સંગીત સંભળાતો હતો. ઉષાસંધ્યાના રમ્ય દૃશ્યો દેખાય છે. ઉપવનમાંથી પુષ્પોની પરિમલ આવી રહી છે. અહિંયા વિમલયશને વધારે ગમી ગયું. જકાતના નિયમો મંત્રીશ્વર પાસેથી જાણી લીધા. પદવી પર બરાબર ગોઠવાઇ ગયેલા કુમારે કામ બરાબર સંભાળી લીધુ. રાજાએ કુમારના હાથ નીચે ઘણા રાજસેવકો જકાતખાતામાં ગોઠવ્યાં હતા, તે સઘળા સેવકો રાજાની આજ્ઞાની જેમ કુમારની આજ્ઞાને વહન કરે છે. ઉદારદિલવાળો કુમા૨ નગરજનો-યાચકોને દાન આપે છે. પરદેશી કુમાર પોતાની યશ અને કિર્તી વિસ્તારવા લાગ્યો. જકાતમાંથી મળતા દ્રવ્યને ધર્મસ્થાને વાપરવા લાગ્યો. ખરેખર ધર્મથી સકલ વાંછિત પ્રાપ્ત થાય છે. અહિંયા કુમાર સુખે રહેવા લાગ્યો. આમ અનુક્રમે કેટલાયે દિવસો આનંદ અને સુખમાં વીતવા લાગ્યા. ખરેખર! પુણ્યથી આ જગમાં જયજયકાર થાય છે અને અમૃતના સ્થાનરૂપ સુખના ઘર રૂપ એવાં દેવલોકની સાહ્યબી
મળે છે.
કુમાર ઉર્ફે સુરસુંદરી હૈયામાં નવપદ રૂપ અરિહંત આદિનું ધ્યાન ક્યારેય ચૂકતી નથી. ધીમે ધીમે તેના સઘળા દુઃખો નાશ પામવા લાગ્યા છે. કુમાર સાગર કાંઠે રહેલો હોવા છતાં નિત્ય જિનમંદિર પૂજા કરવા નગરમાં આવે છે. પૂજા કર્યા બાદ નિયમ અનુસારે ૧૦૮ વાર મહામંત્ર શ્રી નવકારનો જાપ પણ કરીલે છે. ક્યારે પણ આ જાપ ધ્યાનને આખા દિનમાં ચૂકતો નથી. તેના ધ્યાન થકી રોગને ભયંકર નરકના દ્વાર બંધ થઇ જાય છે. સમગ્ર પ્રકારના ભયને દૂર કરનાર છે. આવા ઉપકારી નવકારને હંમેશાં ગણતાં સુખ અને સંપદા પણ મળે છે. શ્રાદ્ધવિધિપ્રકરણમાં પણ કહ્યું છે કે નવપદરૂપ નમસ્કાર મહામંત્રને ભરૂચનગરમાં રહેલી સમડીએ સાંભળ્યો. છેલ્લી અવસ્થાએ તરફડીયાં મારતી સમડીને મુનિભગવંતે નવકાર સંભળાવ્યો. તેના પ્રભાવે સમડી મરીને સિંહલદ્વીપના રાજાની રાજકુંવરી સુદર્શના થઇ.
આ પ્રમાણે વિમલયશના સ્વાંગમાં સતી પણ પુણ્યનો અનુભવ કરતી થકી નવકારને ગણે છે. અત્યારે પુણ્ય બળવાન બની ચૂક્યું છે. બેનાતટ નગરે આવાસમાં આનંદ કરતાં દિવસો પસાર કરે છે.
એક દિવસે જકાતનાકાના સઘળા માણસોને બોલાવ્યા અને કહ્યું સાગર કિનારે જે કોઇ વહાણ આવે, તે વહાણના માલિકને જકાત લઇને તરત સીધો વિદાય ન કરવો. પરંતુ તેનું નામ, ઠામ, ગામ વગેરેની માહિતી મેળવીને મને જણાવવી, મારી આજ્ઞા લઇ પછી જ એ લોકોને વિદાય કરવા. માણસો બિચારા આ કથનનું રહસ્ય શું સમજે? તેઓને થયું કે જકાતના હિસાબ બારોબર ખતાવવાથી જે પાંચ પૈસા મળતા હતાં તે હવે નહિ મળે. તે ધન હવે રાજ ભંડા૨માં ચાલ્યો જશે વિમલયશ આ લોકોની મુઝવણ પામી ગયો. માણસોને પગાર વધારી આપવાની ખાત્રી આપી. તેથી લોકોમાં સંતોષની લાગણી ફેલાણી.
વિમલયશના રાત્રિ અને દિવસો સ્વામીના સ્નેહ મિલનની આશામાં વીતતા હતા. એકાંત મળતાં કદીક ભાગ્યને રડી
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૦૯)