________________
મુદ્રા” કિંમત સાંભળી ભાઇ તો ડઘાઇ ગયો. દસ કોડીની કિંમતના પંખાનું મૂલ્ય સવા લાખ મુદ્રા. શું વાત છે? આજુબાજુવાળા પણ કિંમત સાંભળી હસવા લાગ્યા. માલણ પણ છોભીલી પડી. છતાં મક્કમતાથી જવાબ આપે છે. લોકોને થયું કે આ બાઈ દીવાની લાગે છે. આટલી મોટી કિંમત સાંભળી માલણના ફરતું લોકોનું ટોળું જમા થઇ ગયું. લોકોને મન કુતૂહલ વધ્યું. કોઇએ પુછયું. કિંમત તો ઘણી ઓછી છે? પણ આ પંખાના ગુણ તો કહ્યા નહિ. તે સાંભળી માલણ પંખામાં રહેલા ગુણોનું વર્ણન કરવા લાગી. પણ આવો મોંઘો પંખો કોણ લે? હવે માલણની સાંજ પડવા આવી. સૈ કિંમત પૂછે. પણ કોઈ લેવા તૈયાર ન થયું. સંધ્યા વેળા થઇ. તે વેળાએ નગર તો એક ધનપતિ વ્યવહારિયો નીકળ્યો. લોકોના મુખેથી પંખાની વાત સાંભળી માલણ પાસે આવ્યો. પંખાની પૂછપરછ ચાલી.
શેઠના ઘરે પોતાનો પુત્ર રોગથી પીડાતો હતો. ઘણા ઉપાયો કરવા છતાં દાહજવર શાંત થતો ન હતો. શેઠ ઘણા ચિંતિત હતા. બજારમાં થતી વાતો સાંભળી માલણ પાસે આવ્યો. માલણને કહે છે બાઇ! મે હમણાં જ તારા પંખાની કિંમત અને ગુણની વાત સાંભળી ને તારી પાસે આવ્યો છું. પંખાની કિંમત ઘણી છે. એ શરતે લઈ જાઉં? આ પંખાની પરીક્ષા કરીને પછી કિંમત તને પૂરી આપીશ. તું પંખો લઇને મારી સાથે મારી હવેલીએ આવ. માલણને પોતાને ઘરે લાવ્યો. માલણના હાથમાં પંખો લઈને પોતાનો પુત્ર જયાં સૂતો હતો, રોગથી પીડાતો હતો, ત્યાં લઇ ગયો. પંખાથી પવન નાંખવા લાગ્યો. પુત્રને ધીમે ધીમે પવન નાંખવા લાગ્યો. જેમ જેમ પંખાની હવા દીકરા ઉપર થઇને પસાર થવા લાગી. તેમ તેમ તેનો તાવ-દાહરૂર ધીમેધીમે શાંત થવા લાગ્યો. તેની લાબા કાળની બિમારી હતી. તે પંખાના પવનથી દૂર થઈ. શરીરનું પરિવર્તન થવા લાગ્યું. દરદીએ આંખ ખોલી. પંખાનો આવો ચમત્કાર જોઈ ને શેઠના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડીવારમાં દીકરો નીરોગી થયો. નવું જોમ આવ્યું. પરિવાર પણ બધો આનંદિત થયો. શેઠે તરત જ માલણને સવાલાખ મુદ્રા ગણીને આપી દીધી. નોકર પાસે થેલી લેવરાવી. માલણને માન આપી બગીચામાં તેના સ્થાને પહોંચાડ્વા મોકલ્યો. શેઠ તો જાણે સાક્ષાત્ દેવ આવ્યા ન હોય તેમ માનવા લાગ્યો.
શેઠ વિચાર કરવા લાગ્યો, આવા પ્રકારના ગુણોથી શોભતો પંખો નગરના રાજાને ભેટ આપું. તો લાખો લોકોનો ઉદ્ધાર થશે. મારે ત્યાં રાખવાથી શું? કેવી ઉદારતાં! કેવા ઉમદા વિચારો! સવાલાખથી ખરીદેલો પંખો રાજાને ભેટ આપવાની ભાવના. સવારે શેઠ પંખો લઈને રાજા ગુણપાલ પાસે પહોંચ્યો.શેઠનો સત્કાર રાજા એ કર્યો. શેઠ પણ વિવેકી હતાં. બે હાથ જોડી પ્રણામ કર્યા. રાજાએ કહ્યું કેઃ-આપના પુત્રને કેમ છે? શેઠ કહે મહારાજ! મારા પુત્રને સારું છે. મૃત્યુના મુખમાંથી બચી ગયો છે. ચમત્કારિક પંખાના પ્રભાવે. એમ કહી ખેસમાંથી દેવી પંખો આપતાં કહ્યું. રાજન! આપને ભેટ ધરું છું. અને પંખાના ગુણોની વાત કહી. ગુણો સાંભળી રાજા પણ હરખાયો. પંખાને હાથમાં લઇને જરા સંધ્યો. અરે વાહ! આની સુગંધ તો દિવ્ય છે. આ પંખાનો સર્જનહાર કોઇ દિવ્ય મહાવિદ્યાવંત હોવો જોઇએ. શેઠ કહેસર્જક કોણ છે ખબર નથી, પણ આ દિવ્ય પંખો રાજદરબારમાં શોભે. એટલે આપને દેવા આવ્યો છું. રાજા કહે- શ્રેષ્ઠી! આ પંખો તમને કોણે આપ્યો? શેઠ કહે- આપણી માલણ પાસેથી, બજારમાં આપણા નગરની માલણ આ પંખો લઇને વેચવા આવી હતી. તેની પાસેથી મેં ગઇકાલે લીધો. મારા દીકરાનો લાંબાકાળનો દાહજવર શાંત થયો.
રાજાએ પોતાના માણસો મોકલી બગીચામાંથી માલણને બોલવી, રાજાએ માલણનો આદરસત્કાર કરીને પુછયું, તે માલણ! પંખો તમે ક્યાંથી મેળવ્યો? પંખો બનાવનાર કોણ છે? માલણ કહે- “હે મહારાજ! સાંભળો, મારા આવાસે પરદેશી ગુણવાન એક નવયુવાન આવ્યો છે. જેનું નામ વિમલયશ છે. પોતાની કળાથી આ પંખો બનાવ્યો છે. રાજાએ દેવી પંખાના સર્જક વિમલયશને માન સહિત સભામાં લાવવા માટે બોલાવવા પોતાના માણસોને પાલખી લઇને મોકલ્યા. માલણ સાથે આવેલા રાજસેવકોએ રાજાનો સંદેશો કુમાર વિમલયશની આગળ સંપૂર્ણ સમાચાર વિવેકથી કહી સંભળાવ્યા. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)