________________
દોહરા સતી તિહાં મેલી કરી, ગુણ ધરી ચિત્ત મઝાર; નિજ લોચન આંસુભરી, હઈડે દુ:ખ અપાર. ૧ ગુણ દેખાડી જે ગયા, ઉજજવલ હૃદય પવિત્ત; તે સજજન કિમ વિસરે, ક્ષણ ક્ષણ આવે ચિત્ત. ૨ કિમહિ ને પાછો તે વલે, નયણે પાવસ વૂઠ; જે સજજન સન્મુખ ગયા, તે કિમ દેવે પૂંઠ. ૩ સુંદરીને ઈણિ પરે કહે, ખેચર સુગુણ નિધાન;
તુઝ વિણ તે ઘટી યામ-સમ, વાસર વરસ સમાન. ૪ ભાવાર્થ
નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા ગયેલા ખેચરરાય અને સુરસુંદરીએ મણિશંખ વિદ્યાધર પિતામુનિ મુખેથી સાંભળ્યું હતું કે સુરસુંદરીને સ્વામીનો મેળાપ બેનાતટ નગરે થશે. તે વચનને અનુસાર રાજટી વિદ્યાધરે બેનને લઇને બેનાતટ નગરની બહાર બગીચામાં વિમાન ઉતાર્યું અને આ ભાઇબેન વિમાનમાંથી નીચે ઉતર્યા. બેનને ઉપવનના લતામંડપમાં મૂકીને ઊભો છે. બેનમાં રહેલા ગુણોને ધારણ કરતો. નાના બાળકની જેમ રતજી રડી રહ્યો છે. હૈયામાં દુઃખ અપાર છે. આ વિયોગને સહન ન કરતો રડી રહ્યો છે. બેન પણ સામે અપાર દુઃખ ને ધારણ કરતી ઊભી છે. સજ્જનોનાં હૃદયમાં ઉજ્જવલ અને પવિત્ર હોય છે, જે ગુણોને દેખાડીને જાય છે. તેઓ કયારેય વિસરતા નથી. પળે પળે યાદ આવ્યા કરે છે. સજ્જનતામાં ગણાતી સુરસુંદરીને સૌ યાદ કરે છે. રતજટી પણ બેનના ગુણોને સંભારતો ત્યાં ઊભો છે. બેનને ત્યાં એકલી મૂકીને જવાનું મન માનતું નથી. ચોધાર આંસુએ રડી રહ્યો છે. પાછો વળતો નથી. સમજે છે કે જે સજ્જન મુખ આગળથી ગયા હોય તેને પૂંઠ કેમ દેવાય? મૂકીને પાછું કેમ જાવું? સુરસુંદરીને હાથ જોડીને કહે છે. તે બેન! તારા વિના અમારી એક ઘડી તો એક પ્રહાર જેટલી લાગશે એક દિવસ વર્ષ સમાન થઈ પડશે? અમે તારા વિના કેમ રહી શકીશું.
ઢાળ બારમી
(તોરણથી રથ ફેરવી રે હાં. એ દેશી) રત્રજટી ખેચર કહે રે હાં, એતા દિન આનંદ; મેરે મનવમી, તે દિન કહિએ આવશે રે હાં, દેખશું તુમ મુખચંદ. મેરે મનવસી. ૧ બેહની સાથે પ્રીતડી રે હાં, કીધી ઘણે સનેહ; મેરે મનવમી, દૈવ વિછોડો પાડયો રે હાં, પૂરી ના પડી તેહરે મેરે. મનવસી. ૨ ઉત્તમ સાથે ગોઠડી રે હાં, જો મેલે કિરતાર; મેરે મનવાસી તો કાંઈ વિછોહ પાડિયો રે હાં, કાંઈ દુઃખ દેઓ અપાર. મેરે મનવાસી. ૩
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)