________________
કાકલુદી ભરી વણીમાં બોલતાં વીરાને બેની કહેવા લાગી. હે બંધુ! આટલા ઢીલા ન પડો. મન મકકમ રાખો. બેનપુત્રી તો પરાઈ છે. શા માટે મનમાં આટલું દુઃખ ધારણ કરો છો? ભાઈતમારા સૈનો ઉપકાર મારી ઉપર અપરંપાર છે. તમારા ગુણો પણ અપરંપાર છે. એમાંથી કયાં ગુણોનું વર્ણન કરું! વળી તમારી સૈની સાથે રહેતાં નવી નવી યાત્રા કરતાં, આટલા બધા દિવસો મારા કયાં ચાલ્યા ગયાં તે કશી ખબર ન પડી. ભાભીઓ સાથે આનંદમાં અવનવી તીર્થયાત્રામાં નગર-ઉપવનો માં કરવામાં કેટલો બધો સમય વીતી ગયો તે કશી ખબર ન પડી. એ સઘળી મહેરબાની તમારી તથા પુણ્યવંતી ચારે ભાભીની છે. તો તમારા ઉપકારો ને ભૂલીશ નહિ. | હે વીરા! મને માંગવાનું કહો છો. તો સાંભળો મારી ભાભીની પણ તેમાં પ્રેરણા છે. તો તમારી સૌની યાદી સંભારણાં રૂપ મને વિદ્યા શીખવાડો. જે હું કહું તે. ભાભીઓની યાદીમાં ચાર વિદ્યાની વાત કરી. વિઘાઘરે સતીને સાઘનાયુક્ત ચાર વિદ્યા આપી. સુંદરીએ ચારવિદ્યા સંપાદન કરી લીધી. સંસારમાં ઉત્તમ પુરુષો ઉપકાર કરવામાં સમજે છે. કયારેય ફરજ ચૂકતા નથી વિદ્યાઘર રતજટી તેમાં એક હતો. દુઃખી સતી સુંદરીને સહાયક બન્યો હતો. ને વળી વિદ્યાઓ પણ આપી. ઉપકારી આવી તક મળતાં ક્યારેય પણ તક ને ચૂકતા નથી. જયારે તક મળી જાય ત્યારે ઉપકાર કરી લે છે. પછી હાશ અને શાંતિ અનુભવે છે.
હવે સતી સુરસુંદરીની બેનાતટ જવાની તૈયારી ચાલી રહી છે. વિદ્યાધર પરિવારનું મન જરાપણ નથી કે બેન અહિંથી જાય. મૂકવા ગયા વિના છૂટકો નથી.
ઉત્તરશ્રેણીમાં વસતા નગર લોકોને પણ આ સમાચાર મળી ગયા. સતીને મળવા સજ્જન લોકો આવે છે. સતીને હિતધરીને બોલાવી મળીને જાય છે. ગુણિયલ સતી બધાને મન વસી ગઈ હતી. ભારે હૈયે સૌ વિદાયગિરિ આપે છે. ચાર ભાભીઓ નણંદીના પગમાં પડી નમસ્કાર કરે છે. અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. સુંદરી પણ રડી રહી છે. વળી ભાભીઓ રડતી રડતી કહી રહી છે. બેની અમને સંભારજો. કુશળતાના સમાચાર પણ મોકલજો એમ કહી નણંદીને વળગીને રડે છે.
તમારો વીરો યાદ આવે, અમે યાદ આવીએ ત્યારે જરુર મળવા આવજો. દૂર ઊભેલો રનટી સૂનમૂન થઇ ગયો. તેનું હેયું પણ રડી રહ્યું છે. સતી પણ ભાભીઓને રડતી રડતી કહી રહી છે. તમે સૌ કુશળ રહેજો, મને સંભારજો. મારા વીરાને લઇને જરુર પધારજો. નણંદીની ખબર લેજો.
આમ, વિદાય લેતી સુંદરી મનને સ્થિર કરી સ્વસ્થ ચિત્તે ભાઇના મહેલેથી નીકળી. ભાઈ રવજીએ તૈયાર કરેલા વિમાન પાસે આવે છે. વારંવાર પાછું જોતી સૌની વિદાયને ઝીલતી સતી ભાઇની સાથે વિમાનમાં બેસે છે. રતજટી વિમાનને વિદ્યાબળ ગતિમાન કર્યું એકબીજા દેખાયા ત્યાં સુધી સૌ હાથ હલાવતાં રહ્યાં. જોતજોતામાં વિમાન પવન વેગે ઉત્તરશ્રેણીની સીમા છોડીને ભરત ક્ષેત્રના સીમાડે થઈને બેનાતટ નગરના ઉદ્યાને આવી પહોચ્યું.
આ પ્રમાણે ત્રીજા ખંડની અગ્યારમી ઢાળે કવિરાજ શૂભવીર વિજય મ.સા. કહે છે કે ખેચરરાયની જેમ તમે પણ સૌ બીજાના ઉપકારો કરવામાં રસ રાખજો.
તૃતીય ખંડે અગ્યારમી ઢાળ સમાપ્ત
(૧૯૬
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)