SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ બની ગયો છે. દાસીઓ સમય વધારે લઈ રહી છે. સ્નાન પત્યા પછી ભોજનના થાળ મંડાવ્યા. ને મનગમતાં ભોજન કરાવી દાસી મંત્રીશ્વરને પલંગ પાસે લઈ જાય છે. ત્યાં તો મંત્રીશ્વરનો ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો. ત્રણ કલાક દાસીએ તો જોત જોતામાં પસાર કરી દીધા. બાપડા રાંક બનેલા મંત્રીશ્વરને શી ખબર! મારો સમય આમ જ પૂરો કરશે. મંત્રીશ્વર માને છે હવે મને શ્રીમતી મળશે. સ્વપ્નો સેવતાં મંત્રીશ્વર શ્રીમતીની રાહ જોતો હતો. ત્યાં તો બારણે ટકોરા પડ્યાં. ચોથા પ્રહરે શ્રેષ્ઠીની હવેલીએ શ્રીપતિ રાજા આવ્યા. ભોગના ભિખારીઓ પોતાના સ્થાનને સાચવી શકતાં નથી. ટકોરા સાંભળી દાસી દરવાજે ગઈ. મંત્રીશ્વર પણ ટકોરા સાંભળી ગભરાયો. આનંદ ઓસરી ગયો. પૂછવા લાગ્યો હે દેવી! કોણ આવ્યું? દાસી કહે-શેઠાણી! આંગણે રાજા આવી ઊભા છે. દરવાજો ખોલવાનો છે. મંત્રીશ્વર તો હાંફળા ફાંફળા થઈ ગયા. શ્રીમતીને કહેવા લાગ્યા. હે દેવી! બારણાં હમણાં ન ખોલતી. પહેલાં મને તારી હવેલીમાં કયાંક સંતાડી દે. શ્રીમતી કહે જગ્યા નથી. મંત્રી કહે:- ગમે તે કર. પણ મને સંતાડયા પછી દરવાજો ખોલજે. સતીએ કહ્યું- સંતાવાની જગ્યા નથી. મારા ઘરમાં જુનો પુરાણો પટારો છે તેમાં સંતાડી દઉં. મંત્રીશ્વર કહે- જુનો હોય કે નવો. મને અત્યારે સંતાડી દે. દાસીને સંકેત કરતાં કમરો ખોલ્યો. પટારો પડયો હતો. ત્યાં મંત્રીશ્વરને લઈ ગઈ. ત્રીજું ખાતું ખોલતાં મંત્રીશ્વર પૂજતો ધ્રૂજતો પટારામાં પેસી ગયો. દાસી એ તરત તાળું દઈ દીધું. દાસી દરવાજે પહોંચી. દ્વાર ઉઘાડયા. શ્રીપતિ રાજાનો સત્કાર કર્યો. હવેલીમાં આવી ગયા બાદ શ્રીમતી પણ રાજા પાસે આવી. માન સન્માન આપી યોગ્ય આસને બેસાડયા. ત્રણની જે ભકિત કરીતે કરતાં રાજાની ભક્તિ વધારે કરવાની છે. ઇશારાથી સૂચન શ્રીમતીએ કર્યું. રાજા શ્રીમતીને જોતાં આનંદમાં આવ્યો. શ્રીમતી માટે પોતાની સાથે લઇ આવેલ ભેટસોગાદો-આભરણ અલંકારો વળી ઘણું દ્રવ્ય પણ સાથે હતું. તે બધું શ્રીમતીને આપવા લાગ્યો. તેનો સ્વીકાર કરતી શ્રીમતી દાસી પાસે બધું ગ્રહણ કરાવે છે. રાજાના શરીરે તેલનું માલિશ, ત્યારબાદ સ્નાન, પછી ભોજન એમ કરતાં ચોથો પ્રહર પૂરો થવા લાગ્યો. ત્યાં જ બારણે ટકોરા પડયા. ચાર પ્રહર પૂરા થવા આવ્યા હતા. રાજાના આનંદમાં રંગમાં ભંગ! રાજા બોલ્યો અત્યારે કોણ? શ્રીમતી કહે- મહારાજ! મને શી ખબર કોણ આવ્યું છે! રાત્રિની ચાર ઘડી બાકી હતી ત્યાંતો પડોશણને શીખવાડયું હતું તે સમયસર દરવાજે આવી ગઈ છે. અને મોટા સાદે રડતી રડતી, શ્રીમતીને બૂમો પાડતી દરવાજો ખોલવાનું કહે છે. રાજા કહે કે હમણાં દરવાજો ન ખોલતી. મને તારા ઘરમાં સંતાડી દે. પછી દરવાજો ખોલજે. રાજને કયાં સંતાડું? સંતાવાની જગ્યા નથી. રાજા કહે- ગમે તે ઉપાયે મને સંતાડવો જ રહયો. કમરો ખોલ્યો. પેટારાના ત્રણ દરવાજાને તાળાં હતાં. હવે ચોથું બાકી હતું. તે ખોલાવે છે. ને રાજા તરત જ પટારામાં સંતાઈ ગયો. પછી દાસીએ તરત તાળું દઈ દીધું. એક દાસીએ દરવાજો ખોલ્યો. પાડોશણ દોડતી આવી કહેવા લાગી, રે બેન! આ ચીઠી આવી છે. વાંચ. તારો પતિ પરદેશ ગયો હતો. તેનું ત્યાં નિધન થયું છે. અર્થાત્ પરદેશે મૃત્યુ પામ્યો છે. આવા માઠા સમાચાર સાંભળીને સતી મૂછ પામી. તરત શીતોપચાર કરતાં કંઈક ભાનમાં આવી. વળી કલ્પાંત કરતી શ્રીમતી મોટે મોટેથી રડવા લાગી. જ્ઞાની કહે છે સાચાને પહોંચી શકીએ. જુઠાને ન પહોંચાય. તેમાં વળી સ્ત્રી ચરિત્ર. બ્રહ્મા પણ પહોંચી ન શક્યા. તો આપણે શી વિસાતમાં? આ રીતે શ્રીમતીએ રાત પસાર કરી. પટારાની ચાર ચાવીઓ શ્રીમતીની પાસે છે. સવાર થવા આવી. શીલને અખંડ રાખવાનો સતીનો ઉપાય સફળ થયો. સતીનું મુખ જોવા માટે ઉદયાચલે સૂર્યદેવ આવી ગયા. અંધકાર દૂર થયો. પરદેશમાં શેઠનું નિધન થયાના સમાચાર નગરીમાં વ્યાપી ગયા. અપુત્રિયો શ્રેષ્ઠી મરણ પામ્યો. સહુ શોકને વ્યકત કરતાં શેઠાણીને મળવા સૈ આવવા લાગ્યા. આ બાજુ રાજદરબારમાં પણ વાત પહોંચી ગઈ. કોઈ એક દરબાર સમાચાર (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૮૯
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy