________________
પૂર્વની ઢાળ ચાલુ
શ્રૃંગી અનલ જલરૃપ અસિ ધારો, વેશ્યાનારી સોનારો રે, ગ. એ વિશ્વાસ મ કરશ્યો કોય, પોસ્યા નિજ નવિ હોય રે, ૩૪
તેડાવે નૃપ શ્રીમતી નાર, પહેરાવે અલંકાર રે, ગ. સતી સુખાસણ બેસી ઉદારે, ગઇ નિજ ઘર પરિવારે રે, ગ. ૩૫ દિન કેતે આવ્યો ભરતારો, પુણ્યે જય જયકારો રે, ગ. રત્રજટી ચિત્ત ચિંતે એમ, રખે મુઝ નીપજે તેમ રે. ગ. ૩૬ ત્રીજે ખંડ એ રાસ રસાલે, તેહની દસમી ઢાલ રે, ગ. શુભ ચિત્તે જિણે કામ વિહાયા, તિણે વીર બીરુદ ધરાયા રે. ગ. ૩૭
૧-સૂર્ય, ૨-સોપારી, ૩-સરસ્વતી, ૪-બે પહોર, ૫-એક જાતનું વિષ
ભાવાર્થ :
સતી શ્રીમતી પોતના આવાસે બેઠી છે.ભાવિમાં આવનાર સંકટને દૂર કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પોતાની દાસીને કહે છે- રાતના પ્રથમ પ્રહરે પુરોહિત આવશે. જો જે તો ખરી કામી પુરોહિત કેવા બનીને આવશે? ખરેખર! કામની ગતિ કેવી ભયંકર છે? કામને વશ પડેલા પ્રાણીઓ ભાન ભૂલી જાય છે. હે દાસી! હું મારા કમરામાં રહેલી છું.પુરોહિત આવે ત્યારે તેનો આદર સત્કાર કરજેા.માન પણ ઘણું આપજો. દિવાનખાનામાં બેસાડીને જે કંઇ લાવ્યા હોય સાથે તે તમને આપે તે ગ્રહણ કરી લેજો. પછી મને સાદ કરીને સમાચાર આપજો. વળી કહેજો આ ખાટ ઉપર આપ બિરાજો. મારા સ્વામિની હમણાં આવશે. મારી વાટ જોવી પડશે. આ પ્રમાણે દાસીને કહીને શ્રીમતીએ સૂચના કરી
દીધી.
(૧૮૬
હવે આ બાજુ શ્રેષ્ઠીની હવેલીએથી પુરોહિત નીકળીને ઘેર ગયો છે. રાત કયારે પડે તેની રાહ જોઇ રહયો છે. વળી મિત્રપત્ની એ મને રાત્રે બોલાવ્યો છે. તેથી હૈયે હરખ સમાતો નથી. અંધકારનું હરણ કરનારો સૂર્ય પુરોહિતને ગમતો નથી. સૂર્ય અત્યારે અણગમતો થઇ પડયો છે. કયારે અસ્ત થાય! કયારે રાત પડે! તેની રાહ જોઇ રહયો છે. રાહ જોવાતી પળો ઘણી લાંબી હોય છે. જાર પુરુષ કે સ્ત્રીને ઇચ્છિત સંયોગને દૂર કરનાર દિવસનો ઇન્દ્ર જે સૂર્યને ગમતો નથી. ચો૨ને ચંદ્ર ન ગમે. દુનિયાભરના કૈાતુક અને આશ્ચર્યને જોતો સૂર્ય અસ્તાચલ પર પહોંચવાની તૈયારી કરી રહયો છે. ત્યારે જાર પુરુષ પુરોહિત, શ્રેષ્ઠીની હવેલીએ જવાની તૈયારી કરી રહયો છે. શરીરને શણગારવા લાગ્યો. મૂલ્યવાન નવાં વસ્ત્રો ધારણ કરે છે. અલંકારો પહેરવા લાગ્યો. પુરુષને શોભતા સોળે શણગાર સજી રહયો છે. મુખમાં તાબુલને મૂકે છે. પુરોહિત આજે અતિશય આનંદમાં છે. એના આજે સઘળા મનોરથ ફળ્યા છે. જાણે સઘળા કાર્યની સિદ્ધિ થઇ હોય તેમ માનતા પુરોહિતે પોતાની તિજોરીમાંથી લાખ દ્રવ્ય કાઢયા. તે દ્રવ્યની કોથળી હાથમાં લઇને શેઠાણો શ્રીમતી પાસે આવવા તૈયાર થયો. રાત્રિનો પ્રથમ પ્રહરતો હજી ચાલુ થાય તે પહેલાં જ પોતાના આવાસથી કામાતુર પુરોહિત શ્રીમતીની હવેલી પાસે પહોંચી ગયો. સ્વામિનીના કહ્યા મુજબ દાસીએ કામાતુર પુરોહિતને આવકાર આપ્યો. દરવાજા સામે જઇને આદર સહિત લઇ આવી. હે સ્વામી! પધારો! આગળ દાસી ને પાછળ પુરોહિત. મહેલના ખંડમાં મુખ્ય
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ