________________
ભાવાર્થ :
:
(દોહરા) નિજ મંદિર પાસે અછે, પાડોસણી સહિ એક; શ્રીમતી તસ મંદિર જઇ, શિખવે તાસ વિવેક. ૧ ચાર ઘડી રહે પાછલી, રણીની નિરધાર; અતિ રડતી ઉઘડાવજે, મુઝ મંદિરના દ્વાર. ૨ પત્ર ફટ વંચાવજે, નિધન થયો તુઝ નાહ; ઇમ શિખામણ દેઇ કરી, નિજ ઘર આવી ઉછાંહ. ૩ દીર્ધ મંજુષા એક છે, ચાર વખારાવંત; સજજ કરી બેઠી ઘરે, દાસી સહિત નચિંત. ૪
સતી શ્રીમતી વિચાર કરે છે. રાત્રિ શરુ થતાં સંકેત અનુસારે આ ચારેય દુર્જનો ઉલ્લંઠ પિશાચો આવશે. હવે શું કરવું? વિચારતી કંઇક ઉપાયને શોધતી હતી ત્યાં ઉપાય હાથમાં આવી ગયો. પોતાની હવેલીની બાજુમાં રહેતી પડોશણ ને ત્યાં ગઇ. પાડોશણે આવકાર આપ્યો. શ્રીમતી ત્યાં બેઠી. અને કહેવા લાગી. રે બાઇ! મારે ધર્મ સંકટ આવ્યું છે. તો મારુ કામ કરવું પડશે. આજની રાત્રિની સવાર પડવામાં પાછલી ચાર ઘડી બાકી રહે ત્યારે તું મારા આંગણામાં આવજે. લોટા મોટા અવાજે રડતી રડતી મને બોલાવજે.મારો દરવાજો જોર જોરથી ખખડાવીને હચમચાવી મૂકીને, દરવાજો ખોલાવજે. અને આ પત્ર તને આપી જાઉં છું. પત્રમાં વાત ખોટી લખી છે. તે તુ મને જલ્દીથી આવીને કહેજે કે હે શ્રીમતી! માઠા સમાચાર આવ્યા છે. તારા પતિનું નિધન થયું છે. અને મોટે થી ૨ડજે. આ પ્રમાણે શિખામણ આપીને શ્રીમતી હવેલીએ પાછી આવી. પોતાના બેઠક રુમમાં જઇ બેઠી. તરત દાસીને બોલાવીને કહે છે. આપણી વખારમાં એક મોટો પટારો છે. તે પટારો તું નોકર પાસે કઢાવીને અહીં લઇ આવ. દાસી થકી પટારો મંગાવી લીધો. પોતાની હવેલીના દિવાનખાના પાસેની રુમમાં મૂકાવ્યો. નચિંત થઇ શેઠાણી દાસી સાથે બેઠી છે.
ઢાળ દસમી
(૧૮૨
(ધન ધન જિનવાણી - એ દેશી)
નિજ દાસીને કહે સતી તામ, આવે પુરોહિત જામ રે, ગતિ કામની જો જો . આદર કરી તસ દેજો માન, પછે મુઝને કરજો સાન રે, ગ. ૧ વસ્ત્ર કોથળી કરજો હાથ, પથંક લગે જજો સાથ રે, ગ. કહેજો ઇમ બેસો ઇણે ખાટ, સ્વામિની જોવે વાટ રે. ગ. ૨ તિમિર હરણ 'હરિ જગમાં ભમતો, પુરોહિતને અણગમતો રે, ગ. જાર પુરુષ નારી દિન-ઇંદો, ચોરને ન ગમે ચંદો રે, ગ. ૩
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ