________________
મંત્રીશ્વર છે તે મારી પૂંઠે પડયો છે.આપ તેનું વારણ કરો. તે મંત્રી મારે ઘેર રાત્રિના વિષે આવવાનું કહે છે. મારી ઉપર મોહિત થયો છે. તમારા મંત્રીશ્વરથી મારું રક્ષણ કરો. શ્રીમતીની વાત સાંભળતા સાંભળતાં રાજા તેના રુપ સામે જોઇ રહ્યો છે. તે પણ શ્રીમતી ઉ૫૨ મોહિત થઇ ગયો. શ્રીમતીની વાત સાંભળી કહેવા લાગ્યો. હે સુંદરી! મંત્રી તો મારો નોકર છે. તેનાથી હું તને બચાવીશ. ન વાંક હોવા છતાં વાંક બતાવીને મંત્રીને તારા થકી દૂર કરીશ. અને શિક્ષા પણ એવા પ્રકારની કરીશ કે ફરીથી તારા સામું જોશે નહિ. તારા માટે હું બધું કરવા તૈયા૨ છું. પણ મારી વાત સાંભળ. મને તારા ઘરે બોલાવ. તારા ઘરે મને બોલાવીને મારી સાથે મન મૂકીને તું ૨મજે. હું પણ તને ઝંખું છું. મને બોલાવવાથી તારા બધાં કાર્યો સફળ થશે. મારે ત્યાં તો સંપત્તિનું સરોવર છે. રાજાની વાત સાંભળીને શ્રીમતીના છકકા છૂટી ગયા. બધા થકી હું છૂટવા માંગું છું. એક થકી બીજાની મદદ માંગુ છું. તો બીજા મારી જ માંગ કરે છે. હે દેવ! આ શું થવા બેઠું છું. સ્વામી પરદેશ ગયો છે. ઘેર મારી શી દશા બેઠી છે? ભલે રાજાએ પણ મારી માંગણી કરી તેને પણ સ્વાદ ચખાડું. વિચારીને રાજાને કહેવા લાગી. -હે રાજન! આપ તો પ્રજાના પિતા છો. હું તમારી પ્રજામાંની એક છું. વળી પરસ્ત્રી પણ છું. તો આ માંગણી ન કરાય. પરસ્ત્રીની કેડે ન પડાય. જે થકી નરકની ભીતિ છે. પ્રજાના પાલક પિતા પુત્રીનું રક્ષણ કરવું જોઇએ,નહિ કે ભક્ષણ. હે રાજન! બીજાનું અનાજ, બીજાના વસ્ત્રો એ ઝેર સમાન છે. વળી બીજાની શૈય્યા બીજાની સ્ત્રી, બીજાની નિંદા, બીજાનું ઘર,દુર્જન સાથેનો આનંદ, આ સઘળી વસ્તુને સજજન પુરુષો દૂરથી ત્યજી દે છે. માટે હે મહારાજા! આપ વિચાર કરો. જે કાર્ય પાછળ આપની નિંદા થશે હાંસી થશે. આપના મોભાનું શું થશે?
સતીની વાત સાંભળી શ્રીપત્તિ કહે છે - હે રુપસુંદરી! મને વધારે કહેવામાં લાભ કંઇ નથી. માટે થોડું બોલ. પ્રજાનો પિતા રાજા કહેવાય છે. ને તે રાજા પ્રજાનો ધણી પણ કહેવાય છે. તેથી હું તારો ધણી પણ થયો ને? સતી સમજી કે રાજા સમજાવ્યા છતાં સમજે તેમ નથી. જે પહેલા ત્રણે ને મુદત આપી છે તેમ આ રાજાને પણ આપવી. એમ વિચારીને સતી કહે – હે મહારાજા! ધણીનું વચન ઉત્થાપાય નહિ. વચન માન્ય કરવું પડે. હું તમારા વચનને અંગીકાર કરુ છું. આપ મારા ઘરે આવવાનું કહો છો. તો ભલે પધારજો.
રાત્રિના ચોથા પ્રહરે પધારજો. ચારેયને જુદાજુદા સમયે આવવાનું કહી, સંકેત બતાવીને શ્રીમતી હવેલીએ આવી. ચિંતાતુર સતી પોતાના કમરામાં પલંગ પર બેઠી છે. સતી વિચારે છે કે કામાંધ બનેલા ચાર પિશાચ મને વળગ્યા છે. મારા શીલને કેમ સાચવીશ. શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતી થકી વિચારી રહી છે. પ્રાણ પરલોકે જાય તે મંજુર છે. પણ શીલ ભંગ નહિ થવા દઉં. મનથી નિશ્ચય કરે છે.ખરેખર! શીલથી સદ્ગતિ મળે છે. શીલથી મોટી અને વિશાળ આવી સુખસાહ્યબી મળે છે. વળી તે થકી યશ અને શુભરુપ સંપદાની પ્રાપ્તિ થાય છે.
સુરસંદરીના રાસની ત્રીજા ખંડના નવમી ઢાળ પૂરી કરતાં કવિરાજ કહે છે કે હે ભવ્યજીવો! શીલ રત્નનું રક્ષણ
કરજો.
તૃતીય ખંડે નવમી ઢાળ સમાપ્ત
★
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
★
(૧૮૧