SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કહી. તે સાંભળી સેનાની કહે છે, હે સુંદરી! સાંભળ! હું ત્યાં આવીને પુરોહિતને શિખામણ ૫ શિક્ષા કરીશ.મારી આગળ તેનું કંઈ ચાલશે નહિ. તું ચિંતા ન કરીશ. આ પ્રમાણે કહીને સતી સન્મુખ જોઇ રહયો છે. સતીના રૂપને જોઈને મોહી પડયો.હું આ રૂપને ચૂસી લઉં. મળેલી તક ગૂમાવવી એ મૂરખનું કામ છે. વિચારીને શ્રીમતીને કહે છે - હે દેવી! પુરોહિતને શિક્ષા કરીશ. પણ મારી વાત સ્વીકારવી પડશે. મને તારે ઘરે બોલાવ. મને તું બોલાવે તો પુરોહિતથી બચાઉં. સતી સમજી ગઈ કે સેનાની પણ મારા રુપે મોહયો છે. હવે શું કરવું? ક્ષણ વિચારીને કહેવા લાગી- હે સેનાની! તમારે તો તમારા નગરની પ્રજાનું રક્ષણ કરવાનું હું આ નગરની પ્રજાજન છું. તેને બદલે તમે ઉત્તમ થઈને આ શું બોલો છો! પરસ્ત્રીની પૂંઠે કયારેય ન પડીએ. તેને તો દૂરથી છોડી દેવી જોઇએ. અમૃત જેવું જીવન-તેમાં વિષ શા માટે નાખો છો? સેનાની બોલ્યો - હે દેવી! ઘણું બોલવથી શો લાભ! માટે મારે ઘેર આવ્યા છો તો તમારી લાજ રાખીશ. માટે તમે થોડું બોલો, અને મને તમારે ઘેર બોલાવો. સતી પણ આ વાત સાંભળી ચિંતામાં પડી. એકથી બચવા ગઈ તો બીજો પાછળ પડયો. ઉપાય તો કરવો જ રહયો. તરત સતીએ કહ્યું - હે સેનાની મહારાજ! તમારું વચન કોણ લોપે? તમે મારે ત્યાં રાત્રિના બીજા પ્રહરે આવજો. આ પ્રમાણે સેનાનીને સંતોષી સતી ત્યાંથી રાજયના મંત્રીશ્વર અતિમહરના મહેલે સીધી જ ગઈ. પુરોહિત સેનાની સાથે બનેલી ઘટના મંત્રીશ્વર ને કહી સંભળાવી. મંત્રીશ્વર આ સઘળી વાત સાંભળતા સતીની સામે એકીટશે જોઈ રહ્યો છે. સતીના રુપથી મન વિચલિત થયું. સતીની વાત સાંભળી કહેવા લાગ્યો. હે દેવી! સેનાનીને હું વારીશ. શિક્ષા પણ કરીશ. સેનાની મારી આગળ ગરીબ રાંક છે. મારી આગળ તેનું કંઇ ન ચાલે. ગમેતે પ્રકારે તેનો વાંક બતાવીને શિક્ષા કરીશ, જેથી કરીને ફરીથી આવી ખરાબ દષ્ટિથી તારી સામે ન જુએ. પણ મને તો તારા ઘરે બોલાવવો પડશે. મને બોલાવવાથી તારો વાન વધારીશ. મારી સંગતે તને ઘણો આનંદ થશે. સતીએ શીલ રક્ષણ માટે જેની જેની સહાય માંગી તે બધાની નજર બગડી. રાજાનો મુખ્યમંત્રી તેની પણ નજર બગડી. અને એક નારી પાસે ન મંગાય. તેવી અધમ માંગણી કરી. રે! કામાંધ માણસનો કયારેય વિશ્વાસ ન રખાય! શું કરું! સતી વિચારે છે. પછી કહેવા લાગી :- હે મંત્રીશ્વર! તમે આ શું બોલો છો? તમે કોણ? તમારું સ્થાન કર્યું. પરસ્ત્રી મા-બેન, સમાન છે. તેની પૂંઠે ન પડાય! તેનાથી તો દૂર જ રહેવું જોઇએ. હે ઉતમ! હે મંત્રીશ્વર પાણી માં કયારેય અગ્નિ જોયો છે. સંભવે ખરો! શીતલ ચંદ્રમાને વિષે ઉષ્ણતા સંભવે? તમે સૌ સજજન અને મોટા સજજન છો? મોટા થઈને આવા હલકા નીચ કાર્ય કરવા તૈયાર થયા છો. તમને શોભતું નથી. કંઇક વિચારો. અવિવેકી હાથીની જેમ જાતે જ માથામાં ધૂળ ઘાલવા તૈયાર થયા છો. જંગલમાં રહેલો હાથી, જયારે બહુ ખુશમાં હોય ત્યારે જમીન પર આળોટતાં આળોટતાં આનંદમાં આવી ધૂળને ઉછાળે. પોતાના શરીરને ધૂળથી ઢાંકી દે. વળી આજુબાજુ પણ બેફામ ધૂળને ઉડાડે. સાક્ષાત ધુળરૂપી જળથી હાથી પોતે સ્નાન કરે છે. ધૂળથી ઢંકાઈ જાય એટલી ધૂળને ઉછાળે. જંગલના હાથીને વિવેક નથી. નહિ તો ધૂળ પોતાના શરીર ઉપર નાખે? ન જ નાંખે. એવી રીતે હે મંત્રીશ્વર! હાથી અવિવેકી છે. આપ તો વિવેકી છો. મારી વાતને સાંભળો અને સમજો. સતીની વાત સાંભળી કહેવા લાગ્યો - હે સુંદરી! ઘણું બધું બોલી ગઈ. મેં સાંભળ્યું નથી. સમજયો નથી. માટે થોડું બોલ વધારે બોલવાની જરૂર નથી. મને તારે ઘરે બોલાવ. મને બોલાવાથી તારી લાજ વધશે. વળી મારા સંગતે તારો વાન પણ વધશે. સતી સમજી ગઈ કે મંત્રીશ્વરની બુદ્ધિ પણ બગડી. તે પણ મારી પાછળ લાગ્યો છે. શું કરવું? ઠીક! સેનાનીનો જે ઘાટ, તેવો મંત્રીશ્વરનો પણ ઘાટ ઉતારીશ. આ પ્રમાણે વિચારી સતી કહેવા લાગી. હે સુગુણ! હે બુદ્ધિનિધાન! તમારા વચનને મારાથી લોપાય નહિ. રાત્રિના ત્રીજા પ્રહરે મારે ત્યાં આવજો. આ પ્રમાણે કહી મંત્રીશ્વરને સંતોષી સતી નગરના રાજા શ્રીપત્તિ પાસે પહોંચી. રાજાને વિનય કરી હાથ જોડીને કહેવા લાગી હે રાજન! જો તમારો (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy