________________
અન્યથા એક અવસરે શ્રીદત્ત શેઠને ધન કમાવવાને માટે પરદેશ જવાનું થયું. ઘરને વિષે એક પત્નિી એકલી હતી. શેઠે પોતાના મિત્ર સુરદત્તને હાટ હવેલી વિગેરેનું રક્ષણ કરવા માટે કહ્યું. વિશ્વાસુ મિત્રને બધું જ સોંપીને શેઠ પરદેશ જવા નીકળ્યા. નિશ્ચિત બનીને શ્રેષ્ઠી ધન અર્થે વ્યપાર કરવા પરદેશની વાટે ચાલ્યા ગયા. ડાહ્યા પુરુષો કહે છે કે સ્વાર્થી મિત્રથી ચેતતા રહેજો. કલ્યાણ મિત્ર અર્થાત ધર્મમિત્ર બનાવજો. જે મિત્ર સુખમાં સાથ આપે જ. પણ દુઃખમાં વધારે સાથ આપે તો તેને સાચો કલ્યાણ મિત્ર સમજવો.
શ્રેષ્ઠી તો પરદેશમાં સંચર્યા. મિત્રએ ભળાવેલું કામ સુરદત્ત પુરોહિત દરરોજ શ્રેષ્ઠીની પત્ની શ્રીમતી પાસે આવે છે. કામકાજ અંગેની પૃચ્છા કરી, કામ પતાવી ચાલ્યો જાય છે. જે કંઇપણ કામ હોય તે આ મિત્ર પતાવ છે. શ્રીમતીની સંભાળ રાખે છે.
શ્રીમતી રુપે સ્વરુપે ફૂટડી છે. વળી તેનો પતિ પરદેશ ગયો છે. હવેલીમાં રહેલી શેઠાણી એકલી છે. નિત્ય આવાગમન કરતાં મિત્ર સુરદત્ત નું મન બગડ્યું. ચંચળ મને વિહુવલ બનાવ્યો. શ્રેષ્ઠી પત્નીના રુપમાં અંધ બન્યો. દેહમાં કામ વ્યાપ્યો.હવે તેનું વર્તન વ્યવહાર બદલવા લાગ્યા. કામની વાતો કરવા લાગ્યો. કુચેષ્ટાઓ કરતાં નારી પાસે આવવા લાગ્યો. શ્રીમતી પાસે ભોગની પ્રાર્થના માટેનો શ્લોક લખીને આપ્યો. પ્રેમની વાતો વારે વારે કરવા લાગ્યો. શ્રીમતી સમજી ગઈ. પુરોહિતની દાનત બગડી ગઇ છે. સાવધાન થવાની તક મળી ગઈ. શ્લોક આપીને પુરોહિત ચાલ્યો ગયો. શ્લોક વાંચી અર્થ સમજી ગઈ. જવાબમાં શ્લોક લખીને મોકલ્યો. હું કામ પુરોહિતે શ્લોકના ચાર પદના પ્રથમ પ્રથમ અક્ષર દ્વારા કામની પ્રાર્થના કરી છે. શ્લોક :
काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघांधकारासु च शर्वरीजु ।
मिथ्या न यक्ष्यामि विशालनेत्रे, ते प्रत्ययाय प्रथमाक्षरेषु॥ શ્રીમતીએ આપેલો જવાબઃ શ્લોકના ચાર પદના પ્રથમ પ્રથમ અક્ષર દ્વારા જવાબ આપે છે. શ્લોક :
नेह लोके सुखं किश्चिति, च्छादितस्यांहसा भृशम् ।
मितं च जीवित नृणां, तेन धर्मे मतिं कुरू ॥ શ્લોકનો ભાવાર્થ :પુરોહિતના શ્લોકનો અર્થ :- હે! વિશાલ નેત્રવાળી સ્ત્રી મેઘથી અંધકારવાળી એવી ચોમાસાની ત્રિમાં હું તને ઇચ્છું છું.” તે હું જૂઠું નથી કહેતો.- પ્રતીતિ માટે ચારે પદના પ્રથમ અક્ષરોથી મેં જણાવ્યું છે.
શ્રીમતીનો જવાબ :
હે પુરોહિત! આ લોકમાં પાપવડે અત્યંત આચ્છાદિત થયેલા માનવીને થોડું પણ સુખ હોતું નથી. મનુસ્યનું જીવન ક્ષણભંગુર છે. માટે ધર્મમાં જ બુદ્ધિ રાખ.-પ્રતીતિ માટે ચારે પદના પ્રથમ પ્રથમ અક્ષરથી - “હું તને ઇચ્છતી નથી.” મેં તને જણાવ્યું છે.
પુરોહિતના શ્લોકનો જવાબ બુદ્ધિશાળી શ્રીમતીએ શ્લોકથી મોકલ્યો. તે વાંચીને કામી પુરોહિત કેટલાય દિવસો સુધી શ્રીદત્ત શ્રેષ્ઠી ના ઘરે આવ્યો નહિ. વળી થોડા દિવસ ગયા અને પુરોહિત મિત્રના ઘરે પુષ્પ તાંબૂલ વગેરે લઇને આવે છે. શ્રીમતી પાસે આવતાં નયનોને નચાવતો, સ્નેહથી બોલાવવા લાગ્યો. શ્રીમતી કંઈ જવાબ આપતી નથી. પુષ્પ તાંબૂલ આદિ જે વસ્તુ શ્રીમતીને આપે છે. શ્રીમતી તે વસ્તુ એક બાજુ મૂકી દે છે. ત્યારબાદ પૂર્વવત શ્રીમની પાસે આવવા લાગ્યો. શ્લોકનો જવાબ વાંચ્યો. વિચારતાં સમજી ગયો છે. શ્રીમતી મને દાદ આપવાની નથી.
(મહાસતી શ્રી સુરસુંદરીનો શસ)
(૧૭)