________________
પદ્મિની સ્ત્રી હંમેશા મુખની શોભા કરે છે. હસ્તિની સ્ત્રી હંમેશા પેટની શોભા કરે છે. ચિત્રિણી સ્ત્રી હંમેશા કમરની શોભા કરે છે. શંખિની સ્ત્રી હંમેશા પગની શોભા કરે છે. પધિની સ્ત્રીના વાળ સુવાળા, લાંબા તેમજ જથ્થામાં ઘણા હોય છે. હસ્તિની સ્ત્રીના વાળ ટૂંકા હોય છે. ચિત્રિણી સ્ત્રીના વાળ જાડા, વાંકાચૂકા હોય છે. શંખિની સ્ત્રીના વાળ ડુકકરની જેવા બરછટ વાંકા હોય છે. પદ્મિની સ્ત્રી બાળ-બચ્ચા,આદિ પરિવાર વચ્ચે રહે. હસ્તિની સ્ત્રી કુટુંબ પરિવારની પાછળ રહે. ચિત્રિણી સ્ત્રી એકબીજાની પૂંઠે લાગી રહે. શંખિની સ્ત્રી ઘર ઘર ભટકતી, ગણતી ફરે. પદ્મિની સ્ત્રીને વહાલું તાંબુલ હોય. હસ્તિની સ્ત્રીને વહાલો હાર હોય. ચિત્રિણી સ્ત્રીને વહાલાં કપડાં હોય. શંખિની સ્ત્રીને વહાલો કજિયો હોય. પધિની સ્ત્રી માથમાં મોગરો આદિ સુગંધિ તેલ નાંખે. હસ્તિની સ્ત્રી માથામાં નાગરવેલનું તેલ નાંખે. ચિત્રિણી સ્ત્રી માથામાં ધુપેલ નાંખે. શંખિની સ્ત્રી માથામાં ધૂળ નાંખે.
ઉપર કહ્યા જે લક્ષણોથી યુકત સ્ત્રીઓની વાત કોકદેવની આવા પ્રકારની વાણી છે. આવા પ્રકારની વાતો સુરદત્ત પુરોહિત પોતાના મિત્ર શ્રીદત્તને કહી રહયો છે. સ્ત્રીની પરીક્ષા કરીને પછી લગ્ન કરજે. છતાં પુણ્યથી જ સુખ મળવાનું છે. તેમાં કોઈ મિથ્યા કરનાર નથી. મિત્રના કહેવાથી શ્રી દત્ત વિચારે છે આ નગરમાં શ્રેષ્ઠીની શ્રીમતી નામની કન્યા ગુણવાન અને શિક્ષિત છે. તેની સાથે શ્રી દત્ત શેઠ માંગુ મૂકે છે. પુષ્ય યોગે બંનેના લગ્ન થયા. બંનેનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. દંપતિ પોત પોતાની ફરજોને કયારેય ભૂલતાં નથી, બંનેના જીવનમાં આનંદ અને ઉલ્લાસ દેખાય છે. જૈન ધર્મના સંસ્કારો વારસામાં મળ્યા છે. જેનું જતન કરે છે. ઉભયના મન કયારેય જુદા નથી. જિનવચનમાં રકત રહે છે. વળી બંનેની મતિ દાન ધર્મ માં રમે છે.દાન ધર્મથી દંપતિ શોભે છે. વળી શુભ આદેય કર્મના પ્રભાવે બંનેના વચનો મીઠાં છે. લોકોને માટે આ વચનો આદરણીય બની રહયા છે. પોતાનાં સઘળાયે કાર્યો કરવામાં સમર્થ છે. કાળો મેઘ જગતને દાનમાં મન મૂકીને પાણી આપે છે. પણ ગર્જના કરતો વર્તે છે. જયારે આ દંપતી દાન આપે છે. પણ ગાજયા વિનાનું દાન આપે છે. સીથપાક ભટની જેમ દાન આપે છે. '
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)