________________
(દોહરો) ઇણ અવસર સુણજો તિહાં ઓપમ લંક સમાન, નિવસે સંત વસંતપુર, સૌખ-સમૃદ્ધિ-નિધાન. ૧ 'રિપુ ગણ-તમ-મર્દન-હરિ, શાસ્ત્ર-ગતિ મતિ સાર, તે નગરીનો રાજિયો, શ્રીપતિ નામ ઉદાર. ૨ રાજકાજ ગુણ આગળ, પરપંચી વાચાલ, મતિ મેહર મંત્રીશ્વ, બુદ્ધિ નિધાન કૃપાલ. ૩ હય ગય વેગ પરીક્ષતા, ધૈર્ય વીર્ય ગુણવાન, ચંદ્ર ધવલ સેનાપતિ, યુદ્ધ સમય સાવધાન. ૪ વેદવેદાંગાર્ધ શતા, જાપ હોમ કરે નિત, આશીર્વાદ ગૃપા કૃત, છે સુરદત્ત પુરોહિત. ૫ તિણે નગરે શ્રેષ્ઠી વસે, નામ સુગુણ શ્રી દત્ત, પુરોહિતશું છે તેહને, મિત્રભાવ ગુણ- ૨૪. ૬ ઈક દિન પૂછે મિત્રને, શેઠ ગુહાની વાત, જો નારી ગુણવંત હોય, તો લહીયે સુખસાત. ૭ વળતું પુરોહિત શેઠને કહે નિધન-ગત-નાર,
તો પરણી નારી નવી,પણ સુણ એ ક વિચાર. ૮ ભાવાર્થ :
ખેચરરાય કંઇક વિચારોમાં ચડી ગયો છે. કામની વિડંબના જોતાં વળી આગળ વિચારી રહ્યો છે. એવા અવસરે એક નવી વાત સૌ સાંભળો. લંકાનગરીની ઉપમા આપી શકાય તેવી વસંતપુર નામની નગરી છે, જે નગરી સુખસમૃધ્ધિનો ભંડાર છે. તે નગરીનો રાજા શ્રીપતી શત્રુના સમૂહરુપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે. જે શાસ્ત્રને જાણનારો, બુદ્ધિશાળી, પ્રજા વત્સલ, ગુણ છે. તે રાજાનો રાજકારણમાં નિપુણ, ગુણસંપન્ન, ન્યાયસંપન્ન આદિ ગુણોથી શોભતો એવો મતિમહેર નામનો મંત્રીશ્વર છે. તે પણ બુદ્ધિશાળી છે.
વળી હાથી ઘોડાના વેગની પરીક્ષામાં હોશિયાર નિપુણ તેવો પૈર્યવાન, શૂરવીર, ગુણવાન, ચંદ્રધવલ નામે સેનાપતિ છે. આ સેનાપતિ યુદ્ધના સમયમાં પળે પળે સાવધાન રહેનારો મહારથી અને પરાક્રમી હતો. વળી રાજાને વેદવેદાંત જાણનારો મંત્ર-જાપને દરરોજ કરનારો, પૂજા-પાઠ કરવાવાળો, હંમેશા નગરના રાજાને આશીર્વાદ આપનારો સુરદત્ત નામે પુરોહિત હતો. તે નગરીને વિશે સારા ગુણોથી શોભતો શ્રીદત્ત નામનો શ્રેષ્ઠી પણ રહેતો હતો. પૂર્વના પુણ્ય અનુસારે શ્રીદત્ત અને પુરોહિત સુરદત્ત વચ્ચે મિત્રતા ઘણી હતી.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)