________________
કરજોડી વાયુ કહે યમને, ઉદર મધ્યે છે નારી, ઇણિ આસન તે કાઢી બેસારો, યમનૃપે તામ બેસારી રે. પ્રા. ૯પવન કહે નારી તે ધરીઓ, પાવક ઉયર મઝાર, આસન રિકત અ છે તિણિ કારણ, વેગે કાઢી બેસાર રે. પ્રા. ૧૦ સા ભયભ્રાંત શિખિને કાઢી, થાપ્યો આસન જામ, તે દેખી યમદેવ તે કોપ્યો, દેખો વિડંબન કામ રે. પ્રા. ૧૧ ડંડ ગ્રહી યમ મારણ ધાયો, તવ શિખિ એકલો નાઠો, કામ વિવશ પાવક દુઃખ સહતો, વૃક્ષોપલમાં પેઠો રે. પ્રા. ૧૨ હજીય લગે જોયો મલે, અગ્નિ નીકળે કાસ્ટોપલથી, સમરવિકાર વિગોપન ભાખી, પરશાસન-વ્યતિકરથી રે.પ્રા. ૧૯ અષ્ટાપદ જિણે બલે ઉપાડયો, સો દસમુખ પણ ચૂકયો, નંદીષેણ મુનિ વેશ્યા વયણે ઓધો મુહપત્તિ મુકયો રે. પ્રા. ૧૪ આર્દ્રકુમાર સરીખા ઝુઝાર, તાસ ઉતાર્યા નીર, વિશ્વ ત્રિતય ફરતો વિણ શસ્ત્ર, નામે મદન ભટ વીર રે. પ્રા. ૧૫ આઠમી ઢાલ એ ત્રીજે ખંડે, ભાવે ભવી ચિત ધરજો, મદન વિંડબન દૂર કરીને, જગજસ શુભ સુખ વરજો રે. પ્રા. ૧૬
૧-યમ, ૨-ઇન્દ્ર, ૩-ઇન્દ્ર, ૪-અગ્નિ, પ-લડવૈયા.
ભાવાર્થ :
"
સંસારમાં કયારેય કોઇનો પણ વિશ્વાસ કરવો નહિ. કહેવત છે કે “ સગા બાપનો ય વિશ્વાસ કરવ નહિ. '' છતાં દુનિયા વિશ્વાસે ચાલે છે. પુત્રી છાયાને યમરાજાને સોંપી માતાપિતા તીરથની યાત્રા કરવા નીકળી ગયા હવે આ બાજુ શું થાય છે! તે કવિરાજ કહે છે કે છાયા ઋષિ કન્યા છે. રુપ સ્વરુપે ચડિયાતી છે. યાવનના આંગણે આવેલી છે. યમરાજા છાયાનું રુપ જોઇને અંજાઇ ગયો. વિશ્વાસથી સોંપીને ગયેલા ઋષિરાયની કન્યા સાથે પોતાની નારી તરીકે વ્યવહાર કરવા લાગ્યો. છાયા સાથે વિષયસુખને ભોગવે છે. પોતાની પત્નીને હવે બીજા કોઇ જોઇને તેનો જાર પુરુષ ન થાય તે ભય થકી યમરાજા છાયાને પોતાના પેટમાં સંતાડી દીધી. એકલી કંયાં યે મૂકતો નથી. જયાં પણ જાય ત્યાં પોતાની સાથે સંતાડીને રાખે છે. હે પ્રાણી! કામની વિડંબના ભયંકર છે. માટે સૈા સાવધાન બનજો. કામદેવના પંજામાં કયારેય ન
સપડાતા.
જયારે યમરાજ ગંગા નદીએ સ્નાન કરવા જાય છે ત્યારે આ છાયાને ઉદરમાંથી કાઢીને નદીના કાંઠે “ સાડે છે. સ્નાન કરીને આવ્યા બાદ વળી પાછો પેટમાં ધારણ કરી લે છે. આ વાતની જાણ વાયુકુમારને થઇ. તે વાત વાકુમારે પોતાના મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૬૮)