________________
સિંહને જીતનાર અષ્ટાપદ નામનું પ્રાણી છે. સિંહને હરાવે છે. તેવી રીતે કામદેવરુપ સિંહને હરાવનાર આ જગતમાં જિનેશ્વર ભગવાન અને તેમના સાધુ ભગવંતો અષ્ટાપદ સરખા દીસે છે.
ખરેખર આ જગતમાં જન્મ લઇને જે પ્રાણીઓ કામદેવને જીતીને ગયા છે તેઓ ધન્ય ધન્ય બન્યા છે. તેમની માતા પણ ધન્યતા અનુભવે છે. ધન્યવાદ ઘટે છે એવા વિરલાઓને! આ પ્રમાણે પૂ. વીરવિજય મ.સા. કામવિજેતાને ધન્યવાદ આપતાં ત્રીજા ખંડને વિષે સાતમી ઢાળ સમાપ્ત કરે છે.
તૃતીય ખંડે સાતમી ઢાળ સમાપ્ત
(દોહરા) કામ વિડંબન આગળ, સુરપતિ સરીખા રાંક, અંગ વિનાના સંગથી, પામ્યા કરુક વિપાક. ૧ મંડપકૌશિક મહાઋષિ, તાપસમાં શિરદાર, વિધવા સ્ત્રી રસે આદરી, સુખ વિલસે સંસાર. ૨ છાયા નામે તસ સુતા, સકલ કલા વિજ્ઞાન, માતપિતા મન ચિં તવે, બે સી એ કણ થાન. ૩ આપણે તીરથ કીજીએ, જિમ હુયે આગળ સાથ, પણ પુરતી કહો કેહને, જઈએ ભળાવી હાથ. ૬ જિહાં થકી નવિ ઉપજે, કિંચિત્ પુત્રી વિનાશ, તિહાં પુત્રીને મૂકીએ, એવો એક કીનાશ. ૫ ઇમ ચિંતી યમરાયને,સુતા ભળાવી તેહ, બિહું ચાલ્યા તીરથ ભણી, પુણ્ય કરણ ગુણ-ગેહ. ૬
આશ્ચર્યની હારમાળા... ભાવાર્થ -
ખેચરરાય પોતાના મનને સમજાવી રહ્યા છે. વિચારી રહ્યા છે. મારે ઘેર આવેલી નારી, તેને બેન કહીને બોલાવી, જતન મારું મન બગડે તો મારી શી દશા! આ જગતમાં કામદેવની વેદનાને કોઇ સહન કરી શકતું નથી. સહન કરે છે તે આ જગતમાં વીરપણાને પામ્યા છે. કામદેવ આગળ ઇન્દ્ર મહારાજ રાંક બની જાય છે. કામદેવ કેવો! જેને અંગ નથી અને ઉપાંગ પણ નથી. છતાં તેના સંગથી કડવા વિપાકો ભોગવવા પડે છે. વળી રતજટી ભૂતકાળમાં ચાલ્યો ગયો. મંડપ કૌશિક નામના મહાન ઋષિ થયા. તપમાં અગ્રેસર હતા. વિધવા સ્ત્રી નજરે ચડી ગઈ. તેને જોતાં કામવાસના
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)