________________
વળી હજારો કિરણોથી શોભતો સૂર્યદેવ પૃથ્વીતળને વિષે રહેલા અંધકારને દૂર કરે છે. દિવસ રાત ભમતો સૂર્ય પોતાના પ્રકાશ વડે હરકોઈ જગ્યાએ અજવાળું કરે છે. પોતે સ્વયં પ્રકાશિત સૂર્ય... રત્નાદે નામની દેવીને જોતાં જ પોતે પોતાનામાં રહેલા સારા ગુણોની અવગણના કરતો પ્રાર્થના કરવા લાગ્યો. હે દેવી! હું તમને ઝંખુ છું. રત્નાદે દેવી કહેહે સૂર્ય! તારી પ્રાર્થનાને હું સ્વીકારું . પણ તારા તેજને હું સહન કરી શકતી નથી. તેથી તેને અપનાવી શકતી નથી.પણ જો તું વિધાતા પાસે જઈને છૂપી રીતે તારા તેજને, તારા રૂપને ઓછું કરાવી દે. દેવીમાં આસકત બનેલો સૂર્ય તરત વિધાતા પાસે પહોંચ્યો. વિધાતાને છાની રીતે કહેવા લાગ્યો કે મારા રૂપને ઓછું કરી આપો. વિધાતા કહે- સૂર્ય! તારું રુપ ઓછું તો કરી દઇશ. પણ જયાં સુધી તારુ રુપ ઓછું થાય નહિ ત્યાં સુધી હું તારા રૂપને છેદયા કરીશ ને ત્યાં સુધી તારે મૌન રહેવું પડશે. શરતનો સ્વીકાર કર્યો. વિધાતાએ સૂર્યના રુપને હીન કરવા, છેદવા માટે સૂર્યને સંઘાડ ઉપર (યંત્ર ઉપર) ચડાવ્યો. જે સંઘાડો છેદન કરવાનું કામ કરવા લાગ્યો. મુખ છોલાવા લાગ્યું. પીડા વધવા લાગી. શરત છે રુપ ઓછું ન થાય ત્યાં સુધી મન. છેદાતા સૂર્યને ઘણું દુઃખ થવા લાગ્યું. પણ છતાં તે દુઃખને સહન કરતાં મૌન રહયો. કામવિવશ જીવો કેવા પ્રકારના દુઃખને સહન કરે છે! સૂર્ય પડતાં દુઃખને સહન ન કરી શકયો અને ચીસ પાડી ઉઠ્યો. તરત વિધાતાને ગુસ્સો આવ્યો. અને સંવાડા ઉપરથી ઉતારી નાખ્યો. ત્યાંથી નીકળીને સૂર્ય રતાદે પાસે પહોંચી ગયો.
રતાદેએ સૂર્યને આવકાર્યો. આદર સત્કાર કર્યો. કામવિવશ સૂર્ય ઘણા પ્રકારના દુઃખને સહન કરીને રતાદે સાથે ઇચ્છિત સુખને ભોગવવા લાગ્યો. તેજસ્વી સૂર્ય દેવોની શ્રેણીમાં અગ્રેસર મનાય છે. છતાં સ્ત્રીનો વશ થકી કેવા પ્રકારની કંદર્પના પામ્યો? શકિતશાળી અગ્રેસર સૂર્યની આ દશા! તો મારા જેવાની શી દશા? રનટી વિચારે છે.
વળી ગતમ ઋષિ પણ કામદેવના હાથમાં ચડી ગયા. વનમાં રહીને તપ કરતાં ગૌતમ ઋષિ અહલ્યા નારીમાં આસકત બન્યા. અને મનમાન્યા સુખો વિલસતા હતા. તપના ફળ શું? કંઈ જ નહિ. એકદા ઈન્દ્ર અહલ્યાને જોઇ. અહલ્યાના રૂપને જોઈ આસકત બન્યા. ઇન્દ્રાણી અપ્સરા જેવી આઠ આઠ પટ્ટરાણી હોવા છતાં નારીના રૂપમાં આસકત? કંદર્પથી હણાયા. દેવો તો શકિતશાળી હોય છે. અહલ્યામાં લુબ્ધ બનેલા ઇન્દ્ર ગૌતમ ઋષિથી ગુપ્ત રીતે અહલ્યા સાથે વિષયસુખ ભોગવ્યા. અહલ્યા પણ પોતાના સ્વામીને મૂકીને ગુપ્તપણે ઇન્દ્ર સાથે વિષયને સેવે છે. સવારે ત્યાંથી નીકળતાં ઇન્દ્રને મુંઝવણ થઈ. ઋષિ આંગણામાં બેઠા હતાં. ઇન્દ્ર પોતાના રુપને બદલી બિલાડો બનીને આશ્રમમાંથી બહાર નીકળ્યો. ઋષિએ બિલાડાને જોતાં ઓળખી ગયાં. ગુસ્સો આવ્યો. આવેશમાં આવેલ મહાન ઋષિએ ઇન્દ્રને તરત જ ત્યાં શાપ દીધો, હે ઇન્દ્ર! “ તારા હજારો ભવ થાઓ.” ઋષિના શાપથી ઇન્દ્ર કકળી ઉઠયો. હવે શું થશે? દેવસભામાં રહેલા દેવોએ ભેગા થઈને આ ઋષિ મહાત્માને મનાવ્યા. કોપને શાંત કર્યો. સમજાવ્યા. પણ શાપનું શું? દેવોના મનાવ્યા ગૌતમ ઋષિએ કહ્યું- ઠીક હજાર ભવને બદલે હજાર આંખ વાળો થાઓ. ત્યારથી ઈન્દ્રને હજાર આંખ થઈ. તે ઇન્દ્ર “સહસ્ત્રાક્ષ” નામથી પ્રખ્યાત થયા. નાગણ સરખી નારીના સંગે ઇન્દ્ર મહારાજા પણ આવા પ્રકારની વિડંબના પામ્યા.?તો મારી શી દશા?
આવા પ્રકારે કંઈ ઋષિઓ તપસ્વીઓ કામપીડાથી પીડાયા, તપ ધ્યાનથી ચૂકયા અને ભવ સમુદ્રમાં પડયા.
આ જગતમાં ઋષિઓ મૃગલા સરિખા ચંચળવૃત્તિ વાળા કહ્યા છે. ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને ઇન્દ્રો આદિ હાથી સમાન છે. તે સઘળામાં કામદેવ સિંહ સમાન કહેવાય છે. જગતમાં સિંહ વધુ બળવાનને શકિતવાળો છે. તો તેને પણ જીતનારા આ જગતમાં છે. શેરને માથે સવાશેર હોય છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
( ૧૫)