________________
તવ નિજ ગુરુ વાચસ્પતિ, રુપવતી તસ નાર; ચંદ્ર તેહને ભોગવી, બુધ સુત જભ્યો સાર. ૩ શશિ સુરપતિ સરીખો થયો, કામિની આગળ રંક; અઘટિત વસ્તુ સેવતા, પામ્યો હરણ કલંક. ૪ ચોસઠ દીવા જો બલે, બાર રવિ ઉગંત; તસ ઘર તદપિ તિમિર ભરો, જસ ઘર પુત્ર ન હંત. ૫ ચડી ચડાના વયથી, ઇમ નિસુણી તતકાલ; યમદગ્નિ તાપસ પડયો, તપ તપતો બહુ કાલ. ૬
૧-દેવોનો સમૂહ, ૨-ચકલી ચકલાના વચનથી.
જો જે રતન રાખમાં રોળાય ના ..... ભાવાર્થ :
ઇતિહાસના પાને જેમના તપ, જપ, ધ્યાન નોંધાયા છે એવા સમર્થ ઋષિ મુનિવરો પણ કામદેવને વશ થઇને દુર્ગતિમાં ચાલ્યા ગયા છે. તેમાં વળી કોઇક વિરલાઓ કંદર્પની સામે પડ્યાં છે. કંદર્પને પરિહર્યો છે. આવા કંદર્પને જીતનાર મુનિ ભગવંતો આ જગતને વિષે ધન્ય ધન્ય બની ગયા છે. મુનિભગવંતોના નામથી ભારતનો ઇતિહાસ ઉજળો
મનુષ્યોની વાતો સાંભળી કંદર્પ દેવોને પણ છોડયા નથી. જયોતિષના વિમાનમાં વસતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ વગેરેમાં સૌથી અગ્રેસર ગણાતો ચંદ્ર. તેની શી વાત કરવી? સૌથી મોખરે ચંદ્ર તો તેને વડીલ ગણીને દેવો વિમાનો લઇને ચંદ્ર ને મવાને માટે મળવાને આવે છે.
ચંદ્રના કામ કેવા! પોતાના ગુરુ બૃહસ્પતિ છે. તે ગુરુની રૂપવતી નારી હતી. ચંદ્ર તે સ્ત્રીમાં આસક્ત બન્યો. ગુરુપત્નીને ભોગવી. ને તે થકી બુધ પુત્રનો જન્મ થયો. આ લૌકિક શાસ્ત્ર માં વાત આવે છે. આવી ભયંકર કામવાસનાની શી વાત કરવી? A કામને વશ પડેલો ચંદ્ર ગુરુપત્નીને પણ ના છોડી ને પોતાની ઇચ્છા પૂરી કરી. અકૃત્ય થકી પુત્રની પણ પ્રાપ્તિ થઇ. ચદ્ર સુરપતિ હોવા છતાં, સ્ત્રી આગળ બિચારા રાંક બની જાય છે. આવા અકાર્ય કરતાં ચંદ્રને હરણનું કલંક મળ્યું. વળી લૌકિક ધર્મમાં વાત આવે છે કે જેના ઘરે હંમેશા ચોસઠ દીવા બળતા હોય, બાર બાર સૂર્ય ઊગે આંગણ માં, પણ જો તેના ઘરે પુત્ર ન હોય તો .
કહેવાય છે કે તેનું ઘર અંધકારથી ભરેલું છે. ઘણા કાળથી ઉગ્ર તપ કરતો ઋષિરાય શ્રી જમદગ્નિ તે પણ જંગલમાં ચકલા ચકલીની વાતો સાંભળીને કામથી હણાયા, ને દુર્ગતિમાં ચાલ્યા ગયા.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)