________________
''
ત્યારબાદ સહજ રુપવાળી મેનકા નવા નવા શણગારને ધારણ કરતી, ઋષિની આગળ વિવિધ પ્રકારના નાટક કરવા લાગી. ગીતો પણ ગાઇ રહી છે. કોયલના અવાજને હરાવે તેવા તો મીઠો મધુરો સ્વર હતો. મુનિ આગળ ગીતગાન કરતી, વળી વીણા બજાવતી, વળી હાવભાવ યુકત નૃત્ય પણ કરતી હતી. શરીરનાં અંગોને જુદા જુદા વાળતી, નચાવતી હાસ્યયુકત કામની વાતો કરે છે. ઋષિ તો તેમના ધ્યાનમાં છે. સુખી જીવોને વધારે સુખી કરતી અને દુઃખિયાના દુઃખને દૂર કરનારી પાંચ પ્રકારના અવાજને કરતી ઋષિ સામે રહેલી છે. પ્રેમયુકત વાતો કરતી મેનકાના બોલ ઋષિ રાજના મનને હરણ કરી લે તેવા છે. કામદેવના ઘરની અગ્રેસરી દૂતી બનીને ઋષિને હરાવવાના પ્રયતો કરી રહી છે. મહાન ધૂર્તી બનીને જેણે કામી પુરુષોને જીતી લીધા છે.
મેનકા હાવભા। સાખે ગીતો ગાઇ રહી છે. પળવાર માટે પણ વિરામ પામતી નથી. ધ્યાનમાં રહેલા ઋષિ એકસરખા ગવાતાં ગીતો સાંભળી આનંદ પામ્યા. કર્ણપટ પર આવતા શબ્દોએ ધ્યાન મૂકાવ્યું. આંખ ખોલીને જુએ છે. તો સામે અપ્સરા થૈ થૈ નાચી રહી છે. અને ઋષિ સામે જોવા કરીને નેત્ર કટાક્ષ રુપ બાણને ફેંકે છે. મેનકાએ બાણ એવું મૂકયું છે કે નિશા બરાબર લાગે. નિશાન ચૂકયું નથી. વિશ્વામિત્ર ઋષિરાયના હૈયાને વીંધી નાખ્યું. કામબાણથી વીંધાએલા ઋષિ ધ્યાન ચૂકયા ને તપથી પણ ચૂકયા.મેનકાનો ઇરાદો હતો જ કે કેમે કરીને ઋષિને હરાવવા. ઋષિરાયને હસતાં જોઇ મેનકાએ ગળે આલિંગન દીધું. દર્શનથી દિલ હરી લીધું. હવે મેનકાનો સ્પર્શ થયો. સ્ત્રીનો સ્પર્શ થતાં ઋષિના શરીરે કામે ઘેરો ઘાલ્યો. કામવાસનાએ વિહ્વળ બનાવ્યા. ઋષિ પડયા. ઋષિ પણાથી ખસ્યા. ને મેનકા સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા. કામાતુર ઋષિ દિવસ રાત પણ જોતા નથી. પોતાની ઇચ્છા મુજબ મેનકા પણ ઋષિ સાથે અત્યંત વિષયસુખને ભોગવે છે. આ સુખે બંને જણા પોતાના આત્માને સફળ ગણવા લાગ્યા. વિષયાસકત બનેલા ઋષિ અને મેનકાનો ઘણો કાળ વીતી ગયો. તે પણ ખબર ન પડી. ઋષિ વિશ્વામિત્રએ કરેલા તપ અને ધ્યાન ફોગટ ગયા. હારી ગયા અને દુર્ગતિના ભાગી બન્યા. દુર્ગતિમાં ચાલ્યા ગયા.
મોટા મહારથીઓ, ઋષિઓ પણ જો કામદેવથી ઘવાયા હોય તો બીજાની વાત શી કરવી? એમાં વળી મારા જેવા કિંકરની તો શી દર્શા! રનજટી પોતે આ રીતે વિચારે છે. મહાભારતમાં ઘણા ઘણા ઋષિઓ સ્ત્રી થકી કામદેવને વશ થઇને તપથી ચૂકય ની વિસ્તારથી વાતો આવે છે.
પૂ.વીરવિજયજી મહારાજ કહે છે ઉત્તમ અને શુભ એવા આ રસપૂર્વક રાસની ત્રીજાખંડની છઠ્ઠી ઢાળ સમાપ્ત કરી. તે સાંભળીને મનને મજબૂત બનાવી મહાશૂરવીર બનીને કંદર્પના ઘરનો કામ છે તેને દૂર કરજો, ટાળજો. તૃતીય ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત
(દોહરા)
એહવા ઋષિ પણ કામથી, પડિયા દૂરગતિ ઠાય; જિણે કંદર્પને પરિહર્યો, ધન ધન તે મુનિરાય. ૧ ચદ્રને જયોતિષચક્રમાં, દીધી વડાઇ જામ; કરવા નમન સુપર્વગણ, આવ્યા ચંદુને ઠામે. ૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૧૫૯)