________________
મન-શ્રવણ-હરણ જિમ ધૂા, કંદર્પનો અગ્રએ દૂત; એ કામી નર ચિત્ત જુત્તા હો લાલ. કામ. ૨૪ મેનિકા ગાવે ગીત, ઋષિ પંજયો તે નિસુણીત્ત, વિધુ-મંડલ મૃગ એક ચિત્ત, હો લાલ. કામ. ૨૫ જબ નેત્ર ફઘાડી વિલોકે, તવ અક્ષ-ઈષ સા મૂકે; તે બાણ કિમ નવિ ચૂકે, હો લાલ. કામ. ૨૬ કંદર્પને બાણે વીંધ્યો, તિણે તપસી જાજ૨ કીધો, દેવીએ આલિંગન દીધા, હો લાલ. કામ. ૨૭ કામ વિહલ અંગ કરે, તે સાથે વિષય સુખ સેવે; નિજ આતમ સફલ ગણે વે, હો લાલ. કામ. ૨૮ ઘણો કાળ વિષય સુખ ભાર્યો, તપ ધ્યાન તણો ફલ હાર્યો; દૂરગતિનો પંથ વિસ્તાર્યો, હો લાલ. કામ. ૨૯ એહવા ઋષિને પણ ખાતો, તો અવરાની શી વાતો; મુઝ સરીખા કિંકર જાતો, હો લાલ. કામ. ૩૦ મહાભારતમાંહી વિસ્તાર, ઋષિ સઘળા એ અવધાર; ચૂકયા તપથી નિરધાર, હો લાલ. કામ. ૩૧ શુભ ઉત્તમ રાસ રસાલે, ખંડ ત્રીજે છઠ્ઠી ઢાલ, મહાવીર જે કામને ટાલે, હો લાલ. કામ. ૩૨
૧-નેત્ર; કટ ક્ષિ રૂપ બાણ. ભાવાર્થ :
ઘોર તપ કરતાં વિશ્વામિત્ર અને વસિષ્ઠને લાભ કેટલો! આ તપ જિન શાસન પામેલા જીવોએ કર્યો હોય તો અનંત લાભ મેળવી લી યો હોત. તપ કરતાં વસિષ્ઠ ઋષિ પાસે કોઇ એક પુરુષ આવ્યો. ચરણકમળમાં પ્રણામ કરીને ઋષિ પાસે બેઠો છે. હાથ ૧૧ડીને વિનંતી કરે છે. હે ઋષિરાય! મારે યજ્ઞ કરાવવો છે. કૃપા કરીને મને તેનો લાભ આપો. આપ પધારો. અને ય કરાવો. વિનયયુકત પ્રાર્થના કરી રહ્યો છે. કવિરાજ કહે છે કે સંસારમાં કામવાસનાની ગતિ બહુ વિચિત્ર છે. તે થકી કોઇ છૂટી શકયું નથી. તેના થકી જે છૂટેલા છે તે મહામુનિભગવંતો છે. તેમને ત્રિવિધ ત્રિવિધે વંદન કરું છું.
હવે કથાને કાગળ કહેતાં વસિષ્ઠ કહે છે- હે મહાભાગ! તું પતિત છે. પતિતને આ લાભ અપાય નહિ. માટે હું તારી પાસે કયારેય યજ્ઞ કરાવીશ નહિ. યજ્ઞની ના પાડતાં પુરુષ હતાશ થઈ ગયો. ત્યાંથી હાથ જોડીને રવાના થઈ ગયો.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)