________________
શત્રુભાવ થકી શત્રુ બની ચૂક્યા હતા. બંને ઋષિઓની આરાધના સરખી હતી. પોતપોતાના સ્થાનમાં રહીને મહિના મહિનાના તપ કરતાં. આ તપમાં સૂર્ય સન્મુખ દૃષ્ટિ રાખીને માસક્ષમણ કરતા. વળી પારણા કરતા. વૈશાખ મહિનાના ધોમધખતા તપતા સૂર્ય સામે આતાપના લેતા. ચારે દિશાઓને બાળતો એવા સૂર્યના તાપને પણ ગણકારતા ન હતા. પણ જ્ઞાનવિનાનું આ રૂ૫ ફોગટ હતું. અજ્ઞાનતપની શી કિંમત? આવા ઉગ્ર તપ કરીને કાયાને શોષવી રહયા હતા.
ઢાળ છઠ્ઠી
(સત્તરમું પાપનું સ્થાન. -એ દેશી) ઇણિ અવસર પુરુષ જ એક, વસિષ્ઠ ઋષિને કહે છેક; મુઝ યજ્ઞ કરાવો વિવેક હો લાલ, કામ તણી ગતિ જો જયો, જે કામ થકી નવિ ગંજયો; તે તો મુનિવર વંદના હો જો હો લાલ, . . . કામ.-એ ટેક - ૧ વસિષ્ઠ કહે મહાભાગ, તું પતિતને નહિ લાગ; કદા ન કરાવું હું યાગ, હો લાલ કામ. ૨ નવ પાછો વલિયો તુરંત જઈ વિશ્વામિત્ર નમંત; નિજયશાની વાત કરતા હો લાલ. કામ. ૩ વસિષ્ઠ ઋષિ વચ ધાતે, વિશ્વામિત્ર કહે સુખસાતે; તુઝ યજ્ઞ કરાવું પ્રભાતે હો લાલ, કામ. ૪
ઋષિ સઘળાને તેડાવ્યા, વસિષ્ઠ વિના સવિ આવ્યા, વિશ્વામિત્રો યાગ કરાવ્યા, હો લાલ. કામ. ૫ વિશ્વામિત્ર તે નરને વદેહ,જા સ્વર્ગે તું સ્વયં દેહ; જબ સ્વર્ગે ગયો નર તેહ હો લાલ. કામ. ૬ જા ઇન્દ્ર કહે તું પાછો, થઈ પતિત યજ્ઞ કરો છો; આવ્યો પાછો તેહ નિભ્રંછો હો લાલ. કામ. ૭ વિશ્વામિત્રે વળી મોકલીયો, હરિ કોપે ચિત્ત પ્રજવલિઓ, મય ભીક પાછો સ વિલિયો હો લાલ. કામ. ૮ સુર ઉપર વૈર વસાડી,નવી સૃષ્ટિ કરવા માંડી; તપશકતે આળસ છોડી હો લાલ. કામ. ૯ તે દેખી વજી વિચારે અહો તપની શકિત અપારે;
મુઝ ઠામ ગ્રહે નિરધારે, હો લાલ. કામ. ૧૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)