________________
આ ત્રણેય સ્ત્રીઓ સાથે સંસાર ભોગવે છે. ઋષિ મહાન તપસ્વી હતા. ઉગ્રતપસ્વી માસક્ષમણ કરે અને પારણે નદીના કાંઠે સૂકાઇ ગયેલી શેવાલ વાપરે. છતાં કંદર્પે આ મહાન ઋષિને હણ્યો. ભાઇની પત્નિને પણ જોતો નથી. ખરેખર! કામથી પીડાયેલા જીવો સ્ત્રી આગળ સાવ રાંકડા બની જાય છે.
કહેવાય છે કે સ્ત્રીનું દર્શન ચિત્તનું હરણ કરે છે. વળી સ્ત્રીના સ્પર્શ થકી પુરુષનું બળ હણાય છે. અને જો સ્ત્રીનો સંગ કરે તો વીર્ય શકિત હણાય છે. દુર્ગતિને આપનારી નારી ખરેખર! રાક્ષસી પ્રાય: કરીને કહેવાય છે.
પૂ.વીરવિજયજી મ.સા.રાસના ત્રીજા ખંડને વિષે પાંચમી ઢાળને સમાપ્ત કરતાં કહે છે કે ખેર રરાય આ પ્રમાણે વિચારે છે કે કંદર્પ થકી ભલભલા હણાયા તો મારી શી વાત! માટે કંદર્પને ટાળવા માટે વીર શૂરવીર નવું જોઇએ. અને જે બન્યા છે તેઓને વંદન કરીએ.
તૃતીય ખડે પાંચમી ઢાળ સમાપ્ત
(દોહરા) જગ જન દુર્જય કામ છે, લોક સકલ દુઃખદાય; એહવા ઋષિ તપસ્વી નડયા,પામ્યા દુતિ ઠાય. ૧ વિશ્વામિત્ર ઋષિ થયો, તપસી લબ્લિનિધાન; કંદર્પને દ પડયો, હાર્યો તપ અજ્ઞાન. ૨ ઇક વનમાં નિત્ય તપ કરે, ઋષિશ્વર વિશ્વામિત્રી; તપસી વસિષ્ઠ શું તેહને, શ, ભાવ અમિરા. ૩ માસ માસ કરે પારણું, રવિસભુખ ધરે દૃષ્ટ, ચિહુંદિશ અનલ પ્રબલ બળે, જ્ઞાનવિના તપ વૃષ્ટ. 3
સંસારની ઘટમાળ ભાવાર્થ :
વળી ખેચરરાય કંદર્પથી બચવા માટે મનમાં કેવા કેવા વિચારો કરે છે. ખરેખર! સંસારનો માનવી સંસારમાં બધે જ જય અને વિજય મેળવે છે. પણ, દુર્જય એવા કામને જીતી શકતો નથી. કામવાસના થકી લોકો ઘણા દુ: ખી થાય છે. મોટા મોટા ઋષિઓને તપસ્વીઓને કામપીડાએ સતાવ્યા. અને દુર્ગતિમાં ચાલ્યા ગયા. મહાન ઋષિ તપસ્વી વિશ્વામિત્ર કેવા! જેમણે જગતમાં મહાન ઉગ્ર તપ કરીને, અનેક પ્રકારની લબ્ધિઓ મેળવી હતી. આ ઋષિ કામદેવના વશ થકી હારી ગયા. તપથી હાર્યા. કેટલી અજ્ઞાનતા! વિશ્વામિત્ર ઋષિરાય વનમાં રહેતા. કયારે નગર ગામમાં આવતા ન હતા. હંમેશા આશ્રમમાં રહેતાં તપ જપ કરતા. પોતાને આશ્રમે આવેલા તાપસીને ભણાવતા અને તપ કરાવતા, આવા જ મહાન બીજા ઋષિ વસિષ્ઠ નામે હતા. તે પણ તપ જપ ક્રિયાકાંડમાં પારંગત હતાં. પણ કોઇક કારણ થકી વિશ્વાત્રિ વસિષ્ઠ સાથે
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૫૪