________________
(દોહરો) સુખભર તિહાં રહતાં થકાં, ગયો કેટલો કાળ; વિદ્યાધર મન ચિંતવે, દેખી સુંદરી બાળ. ૧ એ જિહાં કહે તિહાં મૂકીએ, રખે ચૂકીએ બોલ; રુપ અનુપમ દેખીને, ચિત્ત હુએ ડામાડોલ. ૨ વિષહર વિષ પાછુ ગ્રહે, ગારુડશે જસ પ્રેમ; નારી નાગિણી જે ડસ્યા, તે વિષ ન વલે કે મ. ૩ મુનિવર સરીખા પણ ચલ્યા, દેખી નારી વિકાર; દુર્જય છે જગ જીવને, વ્યાપ્યો સકલ સંસાર. ૪ કલાકુશલને વિકલ કરે, પાડે પંડિત મામ; ધીર પુરુષનું ચિત્ત ચલે, જાસ મકરધ્વજ નામ. ૫ શૂર વીર મોટા રહે, સ્ત્રી આગળ કરજોડ; ચઉગત્તિમાંહી જીવડો, ફરતો વિષય મ છોડ. ૬ પર શાસનમાંહી કહી, કામ તણી બહુ વાત;
તપસી-દેવતણા કહું, તે સુણજો અવદાત. ૭ ૧-ટેક, ર-કામદેવ.
વંદના પાપ નિકંદના ભાવાર્થ:
ઉત્તર શ્રેણીના અધિપતિ રાજટી ખેચરરાયને ત્યાં ધર્મભગિની સુરસુંદરીને સુખમાં ઘણો કાળ વીતી ગયો. આર્ય સન્નારી સ્વપ્નમાં પણ પ્રાણેશ્વરને ભૂલતી નથી. સ્વામી વિયોગીની સ્ત્રીને સુખ કંટક સમાન લાગે છે. વિદ્યાધરરાયને ત્યાં દૈવી સુખસામગ્રી હોવા છતાં કયારેક કયારેક ઉદાસીન બની જાય છે. કયારેક ભૂતકાળમાં ભૂલી પડી જાય છે. ત્યારે પતિની યાદ ખૂબ આવે છે. પણ છતાં સમજે છે કે અંતરાય કર્મ નહિ તૂટે ત્યાં સુધી અમરકુમાર મને મળવાના નથી. એની યાદમાં દિવસો વિતાવે છે. રમજટીની ચારે સ્ત્રીઓ સરસંદરીને ઘણું કરીને એકલી પાડતી નથી. કોઇને કોઇ ભાભી કયાંકથી ભેગી થઈ જાય છે.
આ બાજુ રતજી મનમાં વિચારે છે બહેનડી તરીકે બોલાવી અને સાચવી છે. શીલ સાથે શરીરનું પણ અતિશય સ્પ ખીલ્યું છે. મારું મન ચલિત થાય તે પહેલાં સુંદરી જયાં કહે ત્યાં મૂકી આવવી, જેથી આપેલું વચન મારું મિથ્યા ન થાય. તેની સાથે હું વચન થી બંધાયેલો છું. માટે હવે હું ચૂકી ન જઉં. વળી વિદ્યાધર વિચારે છે કે આ વિષયો કેવા છે? સર્પનું વિષ તો સારુ. ગારુડીકના પ્રેમ થકી સર્પ કદાચ વિષને પાછું ચૂસી લે. પણ આ નારી રુપી નાગણ જેને ડેસે છે તે ડખના ઝેરને ઉતારવું બહુ કઠિન છે. કહે છે કે ઘણું કરીને આ વિષ ઉતરતું નથી. સુખ વૈભવને છોડીને ચારિત્રને ગ્રહણ કરનારા મહામુનિવરો પણ નારી દેખીને ચલાયમાન થયા છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)