SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કહે તમે સહુ વિદ્યાધરો છો. તમારી પાસે વિદ્યાનો ભંડાર છે. એમાં નવાઈ શી? પરંતુ અમારા માનવ લોકમાંયે એવા ચમત્કારો હજુયે વિઘામાન છે. રાણીઓ કહે મંત્રના ચમત્કાર સુંદરી:- “હા મંત્રના રાણી કયો મંત્ર સતી એ છે નમસ્કાર મહામંત્ર. તેના પ્રભાવથી ભવસાગર તરી શકાય છે, સર્વ સંકટોને દૂર કરે છે. બાહ્ય સંપત્તિ મળે છે. અને અત્યંતર સંપત્તિ પણ મળે છે.” રાણીઃ- “અમે પણ અમારા જીવનમાં સર્વશ્રેષ્ઠ આ નવકાર મહામંત્રને જ માનીએ છીએ. ખરેખર સજ્જનોનો સમય શાસ્ત્રની ચર્ચા વિચારણાના, વિનોદમાં પસાર થાય છે. જ્યારે દુર્જનોનો સમય નિદ્રામાં, વળી કજિયામાં છેવટે વ્યસનોમાં પૂરો થાય છે. આ સર્જન અને દુર્જનમાં મોટો તફાવત છે. સતી ધર્મને આરાધતી, ભાભીઓની સેવાને પામતી, વળી ભાઇના નિર્મળ પ્રેમને ઝીલતી વળી અવનવા તીર્થોની યાત્રા કરતી થકી સમયને વીતાવે છે. વળી ભાભીઓ સાથે સોગઠા બાજી પણ રમે છે. વળી કોઇ દિન ભાઈ ભાભીઓને લઇને શ્રી જિનેશ્વર ભગવંતોના ચૈત્યોને જુહારવા જાય છે. શીલ, સદાચાર, સહનશીલતા થૈયતા આદિ ઘણા બધા ગુણોના શૃંગારથી શોભતી ગુણવંતી સુરસુંદરી રહેલી છે. વળી સતી કયાં વાઘાને ધારણ કરે છે તે કહે છે. સતીએ સમક્તિ રુપ ઉત્તમ પ્રકારના ચીર પહેર્યા છે. ક્ષમાને ધારણ કરતી દયા રુપી કંચુકી પહેરી છે. અખંડ શીલ રુપી અમૂલ્ય હાર પહેર્યા છે. ભાલમાં તપ રુપી તિલક ઝળહળી રહ્યું છે. મુખને વિષે સત્ય વચન રુપ તાંબૂલ રહેલું છે. દાનરુપી કંકણ સતીના હાથમાં શોભી રહ્યા છે લજ્જા પી અંજન આંખને વિષે રહેલું છે. સતીત્વપણાને ધારણ કરતી જિનેશ્વરના માર્ગે ચાલી રહી છે. ઉત્તમ કુલની સ્ત્રીઓના ગુણોથી નિસ્પન્ન જે જે શૃંગાર કહ્યાં છે તે ગુણોને સુરસુંદરીએ આત્મસાત્ કર્યા છે. વળી ભાભીઓ અતિસ્નેહથી સુરસુંદરીને દ્રવ્ય શૃંગારથી શણગારે છે.અંગ ઉપર અમૂલ્ય રેશમી ચીર પર્યા છે. કંઠને શોભે તેવો નવશરો હાર ગળામાં આરોપે છે, નયને કાજલ આંજે છે, હાથે રનમય કંકણ, લલાટના મધ્યે સૌભાગ્યના લક્ષણથી યુક્ત ચાંલ્લો કરે છે. તે ચાલ્લો કેવો શોભે છે જેમ કે આકાશને વિષે પૂર્ણિમાના ચંદ્ર જોયો. આવા વિવિધ પ્રકારના આભરણ અલંકારોને ભોજાઈ પહેરાવે છે. આવા પ્રકારના બાહ્ય ને અત્યંત ગુણોથી શોભતી સતી સુરસુંદરી ના સુખમાં દિવસો જાય છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ સતીનું રુપ લાવણ્ય અધિક અધિકતર ખીલે છે. આવા સુખોમાં રહેતી સતી પતિને કયારેય પળવાર માટે પણ ભૂલી નથી. સતિનું અતિશય સ્વરુપ ખીલેલું જોઈને રતજીનું મન ચંચળ બન્યું. સુરસુંદરી સતીને જોતાં વિઘાઘરની દષ્ટિ બદલાઈ. પણ પોતે આપેલું વચન યાદ આવતાં મનને કાબૂમાં રાખે છે. આ પ્રમાણે આ ત્રીજા ખંડને વિષે સુરસુંદરીના સુખનું વર્ણન કરતી આ ચોથી ઢાળ સમાપ્ત કરતાં કહે છે કે શ્રી નવકાર મહામંત્રથી સૌ સારાં વાનાં થાય છે. તૃતીય ખંડે ઢાળ ચોથી સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy