________________
ભાવાર્થ
હે જગતના જીવો! હે પુણ્યવંત પ્રાણીઓ! પુણ્ય સરખુ કરો. જે પુણ્ય વડે કરી અલિય વિપ્નો અને દુરિતો પણ ટળી જાય છે. મનોવાંછિત સુખને પ્રાપ્ત કરે છે. રમજટી પોતાની સ્ત્રીઓને કહે છે. હે દેવીઓ આ મારી ધર્મભગીની છે. તમે સહુ તેની સગવડ બરાબર કરજો. વળી આપણા ઘરે તો પ્રાહુણી છે. થોડા દિન આ મહેમાનને તો આપણે બરાબર સાચવવાના છે. ઘેર આવેલા મહેમાનને પાણી, મીઠી વાણી તેમજ આદરપૂર્વક બેસવા માટે આસન આપવું, પ્રીતિ પૂર્વક ભોજન કરાવવું. આ ચાર પ્રકારના રતો છે. તે તો જરુર મહેમાનને આપવા જોઇએ. બહેનની મહેમાનગીરીમાં કચાશ ન રાખતા, ક્ષણ માત્ર પણ તેની સેવાથી દુર ન રહેશો. આ મારી બેનડી જેમ વધારે પ્રસન્નતા પામે તે પ્રમાણે કરજો. આ પ્રમાણે કહી રાજા રાજસભામાં ગયો. ત્રણચાર દિનથી રાજસભા સની હતી. તેને સંભાળી લીધી.
ચારેય રમણીઓ સ્વામીના વચનને માથે ચડાવીને બહુ પ્રકારે નણંદીની ભક્તિ કરે છે. નણંદીને સેવામાં દિન કયાં આથમ્યો તે પણ ખબર ન પડી. હવે સુરસુંદરીના દિવસો સુખમાં જવા લાગ્યા. ભાભીઓ નણંદી ઉપર અપાર સ્નેહ ભીંજવે છે, પ્રેમ અને પ્રીતિ દાખવે છે. નિત્ય નવી નવી મીઠાઇઓ બનાવીને બેનની સેવામાં મૂકે છે. નિત્ય વિવિધ પ્રકારનાં ભોજન બનાવીને નણંદને જમાડે છે. આ પ્રમાણે મન મૂકીને ચારેય વિદ્યાધરીઓ નણંદની અતિશય ભક્તિ સેવા કરી રહી છે. ઉદાર અને પ્રેમાળ રમણીઓ સુરસુંદરીની અપૂર્વ ભક્તિ કરે છે. હવે સતીના સુખના દિવસો આવ્યા દુઃખના વાદળો વિખરાઈ ગયાં. સુખપૂર્વક બાંધવને ઘરે રહે છે. દૂધ અને પાણીની પેરે સતી અને વીરનો નિર્મળ સ્નેહ હતો. દૂઘની પાસે ઉજ્જવળ ગુણ રહ્યો છે. કવિ ઘટના કરતાં કહે છે કે દૂધ પોતાની પાસે રહેલ ઉજ્જવળ ગુણ પાણીને આપે છે. ત્યારે પાણી પણ ધોળું બની જાય છે. જયારે દૂઘને ગરમ ચૂલા ઉપર મૂકે છે ત્યારે દૂધને ગરમ થતાં જોઇને બેન રુપ પાણી ઘણું દુઃખ પામે છે. અને ગરમ થઇને પોતે પોતાના ભાઇનું દુઃખ જોઇને બળી જાય છે અર્થાત્ દૂધ ગરમ કરતાં પાણી પોતાનો ભોગ આપે છે. પાણી પોતે બળી જાય છે. આ રીતે બેન નિર્મળ પ્રેમ અંતરંગ થઈ જાય છે. વળી અતિશય ગરમ થયેલું દુઘ પાણી પી બેનના દુઃખને જોઈ ન શકતા વઘુ ગરમ થઈ તપેલી બહાર જવા નીકળે છે કે તરત પાણીની અંજલી ભરીને નાખતા ઉભરાતા દૂધનો ઉભરો શાંત થઈ જાય છે. આ છે દૂધ-પાણીની સાચી પ્રીત.
આનંદના દિવસો જંતા વાર લાગતી નથી. હવે સતી ભાઇના વિમાનમાં બેસીને ભાઈ ભાભીઓ સાથે નવીનવી યાત્રા કરવા જાય છે. દરરોજ જિનપૂજા કરે છે. સાધ્વી મહારાજે આપેલાં નવકાર મહામંત્રને પળવાર ભૂલી નથી. નવકાર મંત્રનો પ્રગટ પ્રભાવ પોતાના જીવનમાં અનુભવાયો પછી એ મહામંત્ર સતી શું ભૂલે? ભાઈને ત્યાં મળતાં સતી ખાન-પાન માનમાં પણ નવકારને ભૂલતી નથી. સતીઓમાં શિરોમણી સુરસુંદરીનું મન નિર્મળ હતું. તેમાં વળી વધારે નિર્મળ બની. ભાઇને ત્યાં આવીને ભાભીઓ સાથે રહેતાં છતાં સ્વામીને ભૂલી નથી. કયારેક ભાભીઓની સાથે સતી જ્ઞાનગોષ્ઠી પણ કરે છે. તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો અહિંસામય ધર્મની વાતો ચાલે છે. અનહદ શ્રદ્ધા શ્રી નવકાર મહામંત્રની વાતો ચાલે છે. નવકાર મંત્રને ગણવાનું ભૂલી નથી.
આ ભારતની ભૂમિ બહુરત્ના વસુંધરા છે. તેમાં નિઃસ્વાર્થ ભાવે પરોપકાર કરનારા ઘણા વિરલાઓ પાક્યા છે. એ પૈકી રત્નજી પણ સતી માટે મહાન ઉપકારી છે. ઉત્તર શ્રેણીના સૌમ્ય અને સૌરભથી મહેકતા વાતાવરણમાં સુંદરીના દિવસો આનંદપૂર્વક વીતી રહ્યાં છે. ભાભી સાથે જીનભાસિત તત્ત્વોની વાતો કરે છે. જીવાદિ નવતત્વની ઓળખાણ કરાવે છે. પર્ દ્રવ્યની પણ વાતો કરે છે. ત્યારે સ્ત્રીઓ જૈનધર્મી છે. પણ જૈન સિદ્ધાંતોનો ઉંડો અભ્યાસ કર્યો નથી. તેથી ઘણી તત્ત્વની વાતો સુંદરી પાસેથી જાણીને આનંદિત થાય છે. વળી તેમાં નવપદ મહિમાને પણ બતાવતાં કહે છે. મંત્રબળના પ્રભાવે હું સુખી છું મને આત્મિક સુખ નવકાર મંત્રના જાપથી મળી છે. મંત્રબળની વાતો નીકળી છે. સુંદરી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૪૭)