SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્લોકની પૂર્તિ બ્રાહ્મણે કરી. બીજાઓ તો આ વાતના રહસ્યને જાણતા નથી. એટલે આવનારા કોઈપણ યાચક મંત્રીના પદનો જવાબ આપતા નથી. પણ જયારે વિપ્ર રુપને પામેલો સાચો રાજા આવે છે, ત્યારે તો તે સમજી જાય છે. અને એથી પ્રત્યુત્તર આપે છે કે - અડધા શ્લોકનો અર્થ - “આ કુબડો રાજા બને છે. અને રાજા ભિખારી બને છે.” બ્રાહ્મણનો જવાબ સાંભળીને સાચો રાજા પોતાને હાથ લાગવાથી મંત્રીને ઘણોજ આનંદ થયો. ત્યારબાદ દાનશાળાએ ભોજન કરાવીને દક્ષિણા આપી. આનંદ પામતો મંત્રીશ્વર આ બ્રાહ્મણને પોતાને આવાસે લઈ આવ્યો. પોતાનો માલિક મળ્યાનો આનંદ થયો. પણ આવી દુર્દશા જોઇને ઘણો દુઃખી થયો. પોતાના મંદિરે જઈને, પાતોના નોકરો થકી રાજાના શરીરે તેલનું મર્દન કરાવ્યું. પછી સુંગધી દ્રવ્યો નાંખેલા પાણીથી સ્નાન કરાવ્યું. વળી ભોજન કરાવી તંબોલને આપતો મંત્રીશ્વર કહે છે, કે હે રાજન! અમારું પૂરણ કે આપ મળી ગયા. બંને જણા ઘણા દિવસે ભેગા થયા. એકાન્તમાં બેસીને મંત્રણા કરી લીધી. રાજાએ બનેલી બધી જ હકાકત મંત્રીશ્વરને કહી સંભળાવી. આ સાંભળીને મંત્રીશ્વર પણ દુઃખી થયા. ત્યારબાદ રાજાને ગુપ્ત પણે પોતાના મંદિર માં રાખે છે. મંત્રીશ્વરના મહેલે રહેતા કેટલાક દિવસો વીતી ગયા. હવે એક વખત યુકિત પૂર્વક વાત વિચારી. રાજાની સાથે વાટાઘાટો કરીને મંત્રી રાણીના આવાસે પહોંચ્યા. પટ્ટરાણીને દાસી એ સમાચાર આપ્યા. મંત્રીશ્વર પધારે છે. તરત રાણી એ આવવા માટે અનુમતિ આપી. તે વેળાએ પટરાણી પોતાનો વહાલો પોપટ થોડીવાર પહેલા મરી ગયો હતો. રાણી તે મૃત પોપટને ખોળામાં લઈને બેઠી હતી. એ જ સમયે મંત્રીશ્વરને આવવાનું થયું. વહાલા પોપટના મરણથી રાણી શોકને ધરતી બેઠી હતી. પોપટના શોકમાં ડૂબેલી રાણી આવતા મંત્રીશ્વરનું સ્વાગત કરવાનું પણ ચૂકી ગઈ. મંત્રીશ્વરતો દાસી સાથે પટ્ટરાણી પાસે આવી ઉભા રહયા. પટ્ટરાણીને કહેવા લાગ્યા. તે રાજમાતા! આ શું કરો છો? રાણી કહે –હે મંત્રીશ્વર! આ મારા વહાલા પોપટ પાછળ મારો સમય કયાં ચાલ્યો જતો હતો તેની ખબર પડતી નહોતી. તમે પણ અમારી ખબર લેવા આવતા નથી.આ પોપટ ચાલ્યો ગયો. હું એના વિના કેમ જીવીશ? શું કરું?! મંત્રીશ્વર ન રડું તો! મંત્રીશ્વર કહે - માતા! સાંભળો. શોક કરવો છોડી દો. ને હું કહુ તે તમે સાંભળો. અત્યારે તમે રાજાને બોલાવો. આવેએટલે કહો કે આ પોપટ મારા વહાલામાં વહાલો છે. તે અત્યારે મરી ગયો છે. હું એના વિના રહી નહિ શકું. બિલાડાએ મારી નાંખ્યો છે. આ મારા પ્રાણ પ્રિય પોપટને સજીવન કરો. તો જ મારા જીવીતને જોશો. માટે હે રાજન! તમે કોઈ સંન્યાસીને બોલાવો. મંત્ર-તંત્ર જાણનાર હોય,વળી જોષને જોનાર હોય તેને બોલાવો. મારા પોપટને સજીવન કરો. તે કહેશે તે બધું જ હું માથે ધરીશ. માંગે તેટલા દામ આપીને પણ સજીવન કરો,તેની આજ્ઞાને હું નહિ તોડું. તે જે કહે તે કરવા હું તૈયાર છું. આ પ્રમાણે રાજમાતાને શીખવીને મંત્રીશ્વર પાછા વળ્યા. મંત્રીશ્વર જલ્દી પોતાને આવાસે આવી, રાજા અને મંત્રીશ્વર ગુપ્ત રીતે રાણીના મહેલે પહોંચીને રાણીના આવાસમાં સંતાઈ ગયા. મંત્રીશ્વર ગયા બાદ પટ્ટરાણી સુશીલાએ દાસીને તરત રાજા પાસે મોકલીને કહેવરાવ્યું કે, હે રાજા! મહારાજા! આપને હમણાં હમણાં રાજરાણી બોલાવે છે. રાજા પણ દાસીની વાત સાંભળી રાણીના મહેલે પહોંચી ગયા. મંત્રીશ્વરની વાત ને અનુસાર મનમાં વિચારીને રાણી રાજાને કહેવા લાગી. હે રાજન! આવો પધારો! આસન બેસવા આપ્યું. ત્યારબાદ રાણી રડવા લાગી. રડતાં રડતાં કહેવા લાગી,હે રાજન! આ મારો પોપટ વહાલામાં વહાલો છે. તેને સજીવન કરો, હું એના વિના મહાસતી શ્રી સુરસુંદરીનો સસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy