SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પડતાં રાજાને કહેવા લાગ્યો. હે રાજન! હમણાં આપને ગ્રહ પીડા ઘણી છે. પાનીયે શનીને રાહુ બેઠા છે. તો આ પીડાને દૂર કરવાને, ગ્રહોના બળને શાંત કરવા આપને પુણ્યની ઘણી જરૂ૨ છે. જે પુણ્ય વડે કરીને ગ્રહની પીડા તમને ન થાય. રાજા કહે - હે મંત્રીશ્ર૨! મને સમજ પડે નહિં. તમે જે પ્રમાણે મારું પુણ્ય વધે ને ગ્રહપીડા શાંત થાય તે પ્રમાણેનો ઉપાય કરો. મંત્રીશ્વર કહે - હે રાજન! તે માટે દાન પુણ્ય કરો. આપણા નગરમાં મોટી દાનશાળા ખોલીએ. નગરના કે નગર બહારના કોઇપણ માણસને આ દાન લઇ જવાનું છે. રાજાએ આદેશ આપી દીધો. ને તરત મંત્રીશ્વરે નગરના મધ્યમાં મોટી દાનશાળા ખોલી નાંખી.દાનશાળામાં બ્રાહ્મણો તપસ્વી -ભિક્ષુકો-વટેમાર્ગુ-પરદેશી સૈા કોઇને આવવાની ૨જા હતી. દિન પ્રતિદિન દાનશાળા યાચકોથી ઉભરાવવા લાગી. દાનશાળાની વાત ચોતરફ પ્રસરી ગઇ. મંત્રીશ્વર પોતેજ દાનશાળામાં હાજર રહેતા. દાન લેવા આવનાર દરેકના ચરણનું પ્રક્ષાલન મંત્રીશ્વર પોતે કરતાં હતા.પદ-પ્રક્ષાલન સમયે મંત્રીશ્વર બે પદનું ઉચ્ચારણ કરતા. એક શ્લોકના બે ચરણ બોલીને પછી આગંતુકના ચરણ કમલને ધોતા હતા. ત્યારબાદ આદર સત્કાર અને ષટ્સ ભોજન કરાવતા.નેપછી હાથમાં દક્ષિણા પણ દેતા હતા. બે પદ – અડધો શ્લોક :- “ષટ્કર્મો મિઘતે મંત્રઃ જ્ઞાનૈવ મિદ્યતે'' - સાચા રાજાની શોધ માટે મંત્રીએ દાનશાળા ખોલી છે. તે માટે મંત્રીશ્વર એક વાત એવી ઉચ્ચારે છે, ‘‘ છ કાને ગયેલી વાત ભેદાય છે, પણ તે વાત કુબડાથી ભેદાતી નથી.’’ જે વાત કહી તે રાજા અને મંત્રી જાણે છે. એકવાર ખાનગી વાત કરવાની હોય મંત્રીએ રાજાને કહ્યું કે – કોઇપણ વાત છ કાને જતાં છૂપી રહી શકતી નથી, માટે આ કુબ્સને કાઢો.’' ત્યારે રાજા એ કહેલું કે -એ વાત સાચી છે કે -છ કાને ગયેલી વાત ગુપ્ત રહેતી નથી, પણ આ કુબડો તેવો નથી. પરંતુ સમય એવો મળતાં કુબડાએ જ રાજાને દગો દીધો.મંત્રીને આ કલ્પના હોવાથી સાચા રાજાને શોધવાના ભાવમાં આ બે પદ બોલે છે. આ પ્રમાણે મંત્રીના ઉપાય વડે સાચા રાજાની શોધ ચાલુ થઇ. નવા રાજાને ગ્રહપીડાની શાંતિ માટે રાજમહેલમાં મૂકી દીધો. સાચો રાજા આવી જશે, એ શ્રદ્ધા વડે મંત્રી જાતે જ બે પદ ઉચ્ચારે છે. દાનશાળામાં આવના૨ પથિકો ભિક્ષુક કે બ્રાહ્મણો આ પદ સાંભળે છે. પણ કોઇ તેના ભેદને ન જાણતાં જવાબ આપતાં નથી. સહુ ભોજન કરીને દક્ષિણા લઇને ચાલ્યા જાય છે. આ વાતની ખબર ગરીબ બ્રાહ્મણ સાચા રાજાને બીજા કોઇ ભિક્ષુક થકી મળી. આ સમાચાર સાંભળતાં (મુકુન્દ રાજા) બ્રાહ્મણ ભિક્ષુકને આનંદ થયો. તરત ત્યાંથી તે બ્રહ્મણ લીલાવતીપુરે આવ્યો. ગરીબ બ્રાહ્મણના વેષમાં રહેલો રાજા પોતાનૢ નગરીમાં આવતાં હર્ષ સમાતો નથી. આ આનંદમા પોતાની દીનતા પણ ભૂલી ગયો. પોતાની નગરીના દર્શન, તેમજ આટલા બધા દિવસે પકવાન મળશે ને દક્ષિણા મળશે. તે આશાએ દોડી આવ્યો છે. નગરમાં પ્રવેશ કયાંથી કરવો ખબર હતી .તેથી સડસડાટ શેરીઓ વટાવતો,બજારોને ઉલ્લંઘતો નગરના મધ્ય ભાગે આવી પહોંચ્યો. દાનશાળા જોતાં રાજાનું હૃદય પુલકિત બની ગયું. દાનશાળામાં સવારે સૂર્યોદય પછી બે ઘડી પછી દાન આપતા હતા. સાંજે સૂર્યાસ્ત વેળાએ બે ઘડી પહેલા દાનશાળા બંધ થતી હતી. બ્રાહ્મણ પણ મંત્રીશ્વરની દાનશાળા એ દાન લેવાને માટે આવ્યો. મંત્રીશ્વરને પોતાની ટેક હતી કે આવનારના ચરણકમળ મારે જ ધોવા. પછી જમવા માટે આમંત્રણ કરતો. પછી દક્ષિણા આપતો. ચરણકમળના પક્ષાલ કરતી વેળાએ મંત્રી પોતે બે પદ બોલતો હતો. બ્રાહ્મણના વેષમાં રાજાના ચરણકમળને મંત્રીશ્વરે ધોયા. ને બે પદ બોલ્યો. તે બે પદ સાંભળીને બાકીના બે પદની પૂર્તિ દ્વિજ (બ્રાહ્મણ) કરે છે. બ્રાહ્મણની પાદ પૂર્તિ : ‘“લ્મોડાં નાયને રાના, રાના મવતિ 'મિક્ષુઃ'' (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૪૧
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy