SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય જેવી તેજસ્વી કાન્તિવાળી સુશીલાની કુશાગ્રબુદ્ધિ, જેમાં વિવેક વિનયની ઉણપ દેખાય જ નહિ, સમયને જતાં વાર લાગતી નથી. જોતજોતામાં બે વર્ષના વહાણા વાયા, માતા કમળા દેવીએ બીજીપુત્રીને જન્મ આપ્યો. નાની બેન તારા પણ મોટીબેનની સાથે સંસ્કારોથી ઘડાવવા લાગી. આ જુગલ જોડી સરસ્વતી-લક્ષ્મી સમ શોભતી હતી. આ જોડીને ભાઇની ખોટ જણાઇ. તે ખોટ વિધાતાએ પૂરી કરી. આ કહેવાતી દુનિયામાં કાન્તીભાઇનો સંસા૨ હર્યો ભર્યો લીલોછમ બગીચો જાણે ન હોય, તેમ દીસતો હતો. કાળ રાજાને ન ગમ્યું. પ્રેમાળ પિતાને ઉપાડી લીધા. ખીલેલો બગીચો ઘડીના છઠ્ઠા ભાગમાં વેરવિખેર બની ગયો. નાનકડા દીકરાને જોઇને મન ઠરતું હતું. તે પણ કાળરાજાને ગમ્યું નહિ. ૨૦ દિવસમાં પિતાની પાછળ પુત્રે પણ વિદાય લીધી. દીકરાએ માતાને, વીરાએ આ બેનડીઓને રડતી મૂકી દીધી. ઉજ્જડ બનેલા સંસારમાં માતાને સાર ન દેખાયો અને ત્યાં જ વૈરાગ્યના બીજ વવાયા. સમય થતાં બીજને અંકુર ફૂટ્યા. કમળાબેને નિર્ણય કર્યો મારી બંને પુત્રીઓને ક્ષણ ભંગુર સંસારના, નાશવંત સુખોનો પડછાયો પણ પડવા દેવો નહિ. માતાને સંતાનના ભાવિની ચિંતા હતી. મનથી નિશ્ચય કરી લીધો કે મહાવીર પ્રભુના માર્ગે જવુ છે. ‘‘સાથે મારી બંને પુત્રીને લઇને’' આ વાતની જાણ બંને દીકરીના મામાઓને થતાં સાવધાન થઇ ગયા. બેનની સાથે ભાણીઓને ક્યાંયે સાથે ન જવા દે. સુશીલાને તો મોસાળમાં રાખી લીધી. પ્યારી પ્રવજ્યાની પ્રાપ્તિ : શ્રી સિદ્ધગિરિની છાયા, અલબેલા દાદાની નિશ્રામાં પૂર્વના પ્રબળ પુણ્યોદય, યોગાનુયોગે આ ત્રણનો ત્રિવેણી સંગમ થઇ ગયો. મળેલી સોનેરી તક વધાવી લીધી. પૂ. શાસન્સમ્રાટના આજ્ઞાવર્તિની, વાત્સલ્યની વીરડીસમા પૂ.દેવીશ્રીજી મ.સા.નોસમાગમ થયો. અકારણ સ્નેહવર્ષામાં ભીંજાયા, વાત્સલ્યના અ લા ચુંબકે ખેંચાયેલા પુણ્યવંતી સુશીલા માતા-બેનની સાથે સંયમ લેવા તત્પર બન્યા. સંવત ૨૦૦૨ માં, મહાવીર પરમાત્માના કેવલજ્ઞાનનો શુભ દિવસ, વૈ.સુ.૧૦ના શુભ વેળાએ, સાપ કાંચળી ઉતારે તેમ સંસારને ત્યજી દીધો. ચંદનબાળાના વેષને ધારણ કરી લીધો. કમળાબેન - પૂ.કમળપ્રભાશ્રીજી મ.સા., સુશીલાબેન – પૂ. સૂર્યપ્રભાશ્રીજી મ.સા., તારા બેન – પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. આદિ ત્રણ નવા નામ થી વિભૂષિત બન્યા. (ત્રણ) ત્રિપુટી મ.સા. ભોગાવલિ કર્મના ફુરચે ફુરચા ઉડાવી દીધા. “બિહામણો સંસાર ટળ્યો, સોહામણો સંયમ મળ્યો’’ જે દિનથી સંયમના સ્વાંગ સયા, તે દિનથી પ્રમાદને ખંખેરી નાખ્યા, જ્ઞાનની લગન લાગી. ગુરૂકુળવાસમાં, પૂજ્ય ગુરૂવર્યોની નિશ્રામાં, અપૂર્વ આનંદને ઉલ્લાસપૂર્વક સાધનાની કેડીએ કદમ ભરવા લાગ્યા. સંસા૨ી સગાઓ આવી મળ્યા. આંધીની જેમ તૂફાન આવી ગયા. ગુરૂમાતાની અડગતાએ આવેલ તોફાનો સામે ટક્કર ઝીલી. ચારિત્રને આંચ ન આવી. ૧૦
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy