________________
ગાઉં ગુરૂવરના ગુણગાન
ધ્યાન મૂલં ગુરોતિ, પૂજા મૂલં ગુરોઃ પાદ) મંત્રમૂલં ગુરોવર્ઘ, મોક્ષ મૂલં ગુરોઃ કૃપા ”
આ સંસારમાં ધ્યાન ધરવા યોગ્ય હોય તો ગુરૂદેવની મૂર્તિ, પૂજા કરવા યોગ્ય હોય તો ગુરૂદેવના ચરણ કમળો, મંત્રની સાધના કરવી હોય તો માત્ર ગુરૂદેવના વચનો, અને જો મોક્ષ મળતો હોય તો તેમાં પણ માત્ર ગુરૂદેવની કૃપા.
જગતના જીવોજો આચાર વસ્તુ મેળવી લે, તો તેનો સંસાર સીમિત, વાસમાપ્ત થાય છે. પણ. પણ આ અતિદુષ્કર છે.
ખરેખર મંદમંદ વહેતા વાયરાને પકડવો અસંભવિત નથી, ફૂલોની ફોરમને મુઠ્ઠીમાં કેદ કરવી અશક્ય નથી, સાગરના તળિયાને માપવું દુષ્કર નથી, સાગરના કિનારે રહેલા રેતીના કણિયાને ગણવા અશક્ય નથી. પણ.... પણ... ગુરૂદેવના જીવન કવનને શબ્દોમાં બાંધવું અશકય છે, કારણ શબ્દોની સીમા છે. જ્યારે ગુરૂદેવના ગુણો અસીમ છે. કેમ કરીને વર્ણવું?
ગુણ તમારા ઝાઝા, અમારું જ્ઞાન થોડું. દીવડાની જેમ ટમટમતા આકાશના તારલીયો અગણિત, તેમ ગુરુવર્યોના ગુણો અગણિત છે. આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને આપણે દૂરથી નિહાળીએ છીએ તો કેટલા નાના દેખાય છે. પણ નજીક જઇને નિહાળીએ તો તેની વિરાટતા જોવા મળે છે. હાં... આજ રીતે ગુરૂવર્યોને નજીકથી નિહાળતાં અલૌકિક ગુણવૈભવ જોઈ મહેસુસ થાય છે કે મને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આસન્નપકારી ગુરુદેવના ગુણવૈભવને કીર્તન કરવાની તક મળી.
પૂજ્યશ્રીના જીવનને અલપઝલપ અંકિત કરવાનો મારો આ પ્રયાસ, દીપકના પ્રકાશમાં સૂર્યપ્રકાશને શોધવાના પ્રયાસ જેવો છે, છતાં સાહસ કર્યું છે.
ગરવી ગુજરાતના મધ્યમાં શીરમોડે શોભતો ખેડા જીલ્લો, આ જીલ્લાના નવલા નડિયાદ તાલુકામાં ખોબલા જેવડું વસેલું મહોળેલ ગામ છે. જયાં પૂજ્યશ્રીનું મોસાળ અને જન્મભૂમિ હતી.
સંવત ૧૯૯૦, માગસર વદી દના શુભદિને માતા કમળાદેવીની કુક્ષીએ જન્મ લીધો. પિતા કાન્તીભાઈના કુળ અજવાળવા પુણ્યશાળી બાળાનું નામ, ફઇબાએ સુશીલા રાખ્યું. સુ = સારૂં, શીલ = સ્વભાવ. સારા સ્વભાવવાળા, અર્થગર્ભિત નામને સાર્થક કરતા હોય તેમ બાલઉછેર થવા લાગ્યો. મોસાળમાં જન્મધારણ કરનાર સુશીલાને સુસંસ્કાર સભર કરવા માતપિતા સંસ્કારનું સિંચન કરવા લાગ્યા.