________________
ગયું છે. તે કંઈ સારા હોતા નથી. યોગીરાજે ભલે આપને મંત્ર આપ્યો. બલ્ક આ બધું ખોટું જ હોય છે. રાજા કહેવા લાગ્યોઃ- હે કુન્જ! મા મારો ઘોડો તું સાચવજે. હું આ મંત્રની પરીક્ષા કરું છું. આ પ્રમાણે કહીને કુલ્થને ઘોડો આપીને મૃતક પાસે મંત્ર ભણ્યો. તરત જ રાજાનો આત્મા રાજાનું શરીર છોડીને સામે રહેલા મૃતક બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કયો. તરત જ મૃતક બ્રાહ્મણ સજીવન થઈ બેઠો થઈ ગયો. જીવ વિનાનો રાજાનો દેહ જમીન પર ઢળી પડયો. કજે પણ તરતજ ગુપ્ત પણે મત્રને ભણીને ખાલી પડેલા રાજાના દેહમાં પ્રવેશ કરી લીધો. ને કુજ ઢળી પડયો. રાજા ગરીબ બ્રાહ્મણ બની ગયો. કુન્જ રાજા બની ગયો, ને રાજાએ આપેલો ધોડો લઇ લીધો ને રાજાને કહેવા લાગ્યો. તે બ્રાહ્મણ! આજથી આ તમારું રાજય તે મારું છે. હું આ રાજયનો માલિક બની ગયો. તમારે જયાં જવું હોય ત્યાં ચાલ્યા જાવ. વેશ બદલીને ઘોડાની ઉપર છલાંગ મારી બેસી ગયો. ને ઘોડાને લીલાવતી નગર તરફ દોડાવી ગયો. અણધાર્યા રાજા થતાં અને રાજય મળતાં ખાનંદિત થયો. ત્યાંથી રાજમહેલ તરફ રવાના થઇ ગયો.
ત્યારબાદ રાજદરબારે આવી રાજમહેલમાં પહોંચી ગયો. જુઓ! જીવ છે, કુન્જનો, શરીર છે રાજાનું. આ ભેદના ભ્રમને કોણ ટાળે! કે ઈ ઓળખતું નથી કે આ કુબડો છે. હવે આ કુન્જ રાજા અંતઃ ઉરમાં, રાજમહેલમાં, રાજદરબારમાં રાજઉદ્યાનમાં અને મંદિરોમાં બધે જ,જયાં મનફાવે ત્યાં પહોંચી જતો. મનસ્વીપણે સ્વૈછિક સુખોને ભોગવવા લાગ્યો.
આ પ્રમાણે સુરસુંદરીના રાસની ત્રીજા ખંડને વિષે વિશાળ એવા ભેદભરમને જણાવતી રહી છે. કવિરાજ આ રાસની બીજી ઢાળ સમાપ્ત કરતા કહે છે હે ભવ્ય જીવો! જગતમાં સદાચારતાને નીતિને પામનાર સંપૂર્ણ પણે સુખની પૂર્ણતાને પામે છે. હવે પછી ચરિત્રને શું કહે છે, તે જોઈએ.
તૃતીય ખંડે ઢાળ બીજી સમાપ્ત
(દોહરા) વિપ્રપ રાજા ઘણું, શોચે નિજકૃત-કાજ; વયણ ન માન્યુ મંત્રિનું, તો ન રહિ મુજ લાજ. ૧ મેં મૂરખે હાથે કર્યો, તો કિંહનો નહિ દોષ; કર્મ કર્યા ફળ ભોગવો, હવે શું પૂછું જોષ. ૨ મન ચિંતે નિજ પુર જઇ, સંભાળવું સ્ત્રી મં2િ; તે માને નહિ જો કદા, તો મારે એ કાંત. ૩ કહિંસે કાયા કુણ તણી, એ ભિક્ષાચાર કોય; તો તિહાંથી વલી નાસતાં, મુ ઝને દોહિલિ હોય. ૪ જિમ સરજીયો તિમ અનુભવો, જીવ મ કર તું કલેશ;
સંપદ હોઈ તો દાર ભલાં, નહિતર વર પરદેશ. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૩૫)
૧૩૫