________________
ભાવાર્થ :
લીલાપુર નગરીની ઉપર કુબ્જ રાજાએ આધિપત્ય બરાબર જમાવી દીધુ છે. કોઇનેય આ વાતની ખબર ન પડી. હવે આ બાજુ વનમાં બ્રાહ્મણના રુપમાં રાજા ઘણો જ પસ્તાય છે. પણ શું કરે? સાચી વાતને માનવાકોઇ તૈયાર થાય તેમ હતું નહિ. પોતાના કરેલા અકાર્ય ઉપર ઘણો જ શોક કરી રહયો છે. ખરેખર મેં મારા મંત્રીની વાત ન માની. આખરે મારી લાજ પણ ન રહી. મેં મુરખ બનીને મારા હાથે મારું કામ વિણસાડયું.મારી વાત હવે કોણ સાંભળે? મેં મોટી મુર્ખાઇ કરી. મારા હાથના કર્યા મારા હૈયે જ વાગ્યા. અહિંયા કોનો દોષ કાઢવો? કોઇને ય દોષ દેખાય ન.િ. મારા પૂર્વ સંચિત પાપના ઉદયે આવેલી પરિસ્થિતિને વધાવી લેવી પડશે. હવે પૂછવા પણ કોને જવું? જયોતિષીને પણ પૂછીને કરવું શુ?
વળી રાજા વિચારે છે કે નગરમાં જઇને મારી રાણીઓને આ સાચી વાત કહું, મંત્રીશ્વરને પણ એકાન્તમાં આ વાત કરું. રખેને આ વાત ન માને તો? બની છે એવી ઘટના કે કોઇ માને નહિ. અને તેમાં દરિદ્રી બ્રહ્મણના રુપમાં મને ભિખારી ને ગાંડો સમજી રાજયના માણસો પાસે મરાવે તો, હવે મારે શું કરવું? વનમાં વૃક્ષ નીચે બેસી ગયો લમણે હાથ દઇને? અહિંયા તેનું કોણ સાંભળનાર? રાજદરબારે જઇને પરકાયા પ્રવેશ વિદ્યાની વાત વડે રાજપરિવાર કંઇપણ ન સાંભળે. નકલી બનેલો રાજા જો તેને ખબર પડી જાય તો મને જ મારી જ નંખાવે. તો મારે ત્યાંથી નાસી છૂટવાનું ઘણું જ અઘરું થઇ પડે. તો શું કરું? અનેક વિચારો રાજાને સતાવી રહયા છે. રાજાએ પોતાના મનને મનાવી લીધું. હું માનવ! આ કર્મનું સર્જન તેં કર્યું છે. તે તેના ફળને ચાખ. હવે કલેશ કે ખેદ કર્યો શુ થાય! આવી અવસ્થાએ ઘરે જવું તે મારે માટે શ્રેય નથી. સંપત્તિ હોય ત્યારે ઘરે ભલા, અન્યથા ગરીબીમાં પરદેશ જ સારો.
પરદેશ માં રખડીને દહાડાં પૂરા કરતાં કર્મના વિપાક, ભોગવી લેવા એ જ શ્રેષ્ઠ છે. એમ વિચારીન વૃક્ષ નીચેથી રાજા ઉઠયો. નગરી તરફ જતાં માર્ગને છોડી દીધો. બીજી દિશા તરફ ચાલ્યો.
(૧૩૬)
ઢાળ-ત્રીજી
(પાપ સ્થાનક હો કે ચઉદયું આકરું, -એ દેશી. ) ઇણિપરે ચિંતી હો કે,દેશાઉર ભણી, લડી ગતિ કર્મ તણી; કુબ્જક રાય થયો, અંતે ઉર ગયો.
દ્વિજ રુપ ચાલ્યો હો કે, હવે તે સુણજો હો કે, વિષયાસકતે હો કે, રાણી પૂછે હો કે, કુબ્જક કિહાં ગયો, નૃપ કહે વનચરે હો કે, માર્યો નિધન થયો; સવિ મન ચિંતે હો કે, એ રુડું થયું, જે કુબ્જકનું હો નિત અંતે ઉર હો પટરાણી મન હો કે,
કે
આજ
કે,
કે,
કુબ્જેક કપટી હો પણ નવિ આવે હો
કે,
મરણ ભયું
સુખમાં
જાવતો,
પ્રેમ ઉપાવતો;
૧
નૃપ
કાયા વરી, વાચા પાધરી.
૩
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)