SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. શુક-પોપટ જેવા : પોપટ મુખપાઠ કરે છે. પણ અર્થ જાણે નહિ. તેમ શબ્દગ્રહી બની ભાવને નહિ જાણનારા. ૪. શૈલ- પર્વત જેવા : પર્વત કે પત્થર ગમે તેટલા પાણીએ પણ જેમ પલળે નહિ તેમ સાંભળે પણ કશી અસર થાય નહિ. ૫. કર્ક-કાચબા જેવા : કાચબો જેમ ડોળા કાઢવા સિવાય કંઇ કરી શકતો નથી. તેમ માત્ર ડોળા કાઢનાર. ૬. મશક- મચ્છર જેવા : મચ્છર જેમ જેનું લોહીપીએ જેમ જેને દંશ દે તેમ ઉપદેશ દેનાર ને ડંસ દેનારા - હેરાન કરનારા. ૭. મૃત- મડદા જેવા : મડદાની માફક ચેતનહીન જેવા બનીને સાંભળનારા. ૮. ચાલણી જેવ : ચાલણી માંથી આટો નીકળી જાયને થૂલું રહી જાય, તેમ સારને તજી અસારને ગ્રહણ કરનારા. ૯. સછિદ્ર કુંભ જેવા : કાણા ઘડામાં પાણી રહે નહિ તેમ સાંભળે ખરા પણ યાદ કાંઇ રાખે નહિ. ૧૦. વ્યાલ- સર્પ જેવા : સાપને દૂધ પીવા આપો તો યે તેનું ઝેર બનાવે. તેમ સારી વાતને ખરાબ રુપે જ લેનારા. ૧૧. ઇન્દુ-ચન્દ્ર જેવા : ચન્દ્ર જેમ સૌમ્યતાને ધરનારો છે તેમ હૃદયના સૌમ્ય સ્વભાવવાળા. ૧૨. પશુ જેવા પશુમાં જેમ વિવેક નથી હોતો તેમ વિવેક વિનાના. ૧૩. માર્ઝાર-બિલાડા જેવા : બિલાડો જેમ શિકારની શોધમાં ફરે છે તેમ વક્તાના છિદ્રો જોવાને જ તલપાપડ થનારા. ૧૪. જલના ઓવ એટલે સમૂહ જેવા : પાણીનો સમૂહ જયાં નીચાણ હોય તે દિશાએ વહે ને ખાડો હોય ત્યાં ભરાય. તેમ હલકી મનોવૃત્તિના પોષક રુપ ઉપદેશમાં જ રાચનારા અને તેવા જ ઉપદેશકોના શ્રોતા થનારા. વળી કવિરાજ કહે છે કે હે ભવ્યો! ધર્મોપદેશનું શ્રવણ કરનારા શ્રોતા જો ચૌદ ગુણોએ સહિત હોય તેને તે ચૌદ ગુણો સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ દેનારા થાય છે. તે ચૌદ ગુણો : “ વકતા ઉ૫૨ ભકિત ૨. ગર્વરહિતપણું ૩ શ્રવણની રુચિ ૪. ચંચળતાનો અભાવ ૫. મર્મજ્ઞપણું ૬. પ્રશ્ન કેમ, કયાં ને કયારે થાય? એ વિગેરેનું જ્ઞાન ૭. બહુશ્રુતપણું એટલે જેણે ઘણું વાંચ્યું હોય અને સાંભળ્યું હોય તે ૮. અપ્રમતપણું ૯. આંખમાં નિદ્રાનો અભાવ ૧૦. ઉત્તમ બુદ્ધિ ૧૧. દાનશીલતા ૧૨. વિકથાનો ત્યાગ ૧૩. ઉપકાર કરનાર ઉપર પ્રીતિ દાખવનારા ૧૪. નિન્દાનો ત્યાગ. કવિરાજે શ્રોતાન ચૌદ ગુણો બતાવ્યા. તે જ રીતે વકતાના પણ ચૌદ દેખાડે છે. : તે ચૌદ ગુણો ઃ ૧. વચન શકિતવાળો ૨. વિસ્તાર અને સંક્ષેપનો જ્ઞાતા ૩. પ્રિય કહેનાર ૪. અવસરો ચિતને જાણનારો ૫. સત્યવ દી ૬. સંદેહને છેદનારો ૭. સઘળાં શાસ્ત્રોમાં નિપુણ ૮. વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનારો ૯. સંપૂર્ણ અંગવાળો ૧૦. લોકોને રંજન કરનારો ૧૧. સભાને જીતનાર ૧૨. અહંકાર વિનાનો. ૧૩. ધર્મનું આચરણ કરનાર ૧૪. સંતોષી હોવા જોઇએ. આ ચૌદ ગુણોથી યુકત વકતા પણ સ્વર્ગ અને અપવર્ગ- મોક્ષને મેળવે છે. ઉપર બતાવ્યા એ ગુણોથી યુકત વકતા અને શ્રોતા ચતુર હોય તો ત્યાં શાસ્ત્રનો વાદવિવાદ અને વિનોદ કરવો પ્રમાણ છે. જેમ કે દૂધમાં સાકર ભળતાં તે દૂધ પીતાં અતિશય મીઠું લાગે છે. તેમ શાસ્ત્રની વાતોમાં આનંદ -ઉલ્લાસ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૨૩)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy