SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ બેન! વધું શું કહું? જગતના જીવો એક સરખા હોતા નથી. સંસારમાં જીવો ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે. કહ્યું છે કે ઘોડા, હાથી, લોંખડ, પત્થર -લાકડું, નારી, પુરુષ અને નિર્મળ પાણી જે સૌ પોતાના ધર્મની અપેક્ષા એ એકબીજાથી ઘણા અંતરવાળા હોય છે. સુરસુંદરીને વિદ્યાધર પર હવે શ્રદ્ધા બેઠી. પોતાના પૂર્વકૃત બાંધેલા અશુભ કર્મનો અંત આવવા લાગ્યો છે. એમ સમજીને આળપંપાળ મુકી, વિવેકી સુંદરી વિમાનમાં બેઠી, પરમાત્માનું ધ્યાન ધરતી રહી છે. ગુણની શ્રેણી સમાન સુરસુંદરીના ગુણોથી ઉતમ એવો આ રાસ, તેના કર્તા પૂ. વીરવિજયજી મ.સા બારમી ઢાળ સમપ્ત કરતાં બીજો ખંડ પણ સમાપ્ત કરે છે. વળી તેઓ કહે છે હે ભવ્યજીવો! તમે સી રાસ સાંભળી શીલને ધારણ કરજો, જેથી જગતમાં (જશ વિજયજી) જશ અને (શુભ વિજયજી) શુભ તમારું સોનું થાય. દ્વિતીય ખડે બારમી ઢાળ સમાપ્ત કળશ [ચોપાઈની દેશી] ખંડ અખંડ મધુરતા ઘણી, સુરસુંદરીને ચરિત્રે ભણી; સુરસુંદરી દુઃખથી નિસ્તરી, પુણ્ય ઉદય સ્થિતિ જગ વિસ્તરી. ૧ એક ખંડની મધુરતા માણ્યા પછી આ બીજા ખંડની મધુરતા ને મીઠાશ સુરસુંદરીના ચરિત્રને ભણતાં હજી પણ આગળ આગળ કહેતા ખંડને વધુ મીઠાશ મેળવો.હવે સતીનું દુ:ખ-અશુભ કર્મ અસ્ત પામ્યું છે. તે પુણ્યનો ઉદય જગતને વિષે વિસ્તાર પામ્યો છે. તે હવે જુઓ. દ્વિતીય ખંડ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy