________________
પોતાની વાત ઉઘાડી ન પડે તે માટે પુરોહિતે કેવું કામ કર્યું હે બંધુ! બ્રાહ્મણની જેમ હું મારી ગુપ્ત વાતો ઉઘાડી કરવા લાગી છું. તો તેમાં તેની જેમ મારી હાંસી નહિ કરોને! ખેચરે કહ્યું રે બેનડી! દુઃખિયારી બેનની વાત સાંભળી હસી કરવી તે મને શું ભતું નથી. રડતાનાં આંસુ લૂછવાનું શીખ્યો છું નહિ કે કોઈને દુઃખ પહોંચાડવા! માટે તું તારા ભાઈ આગળ વાત કરતાં સંકોચ ન રાખીશ.
સુરને હવે વિશ્વાસ પૂરેપૂરો થતાં વળી પોતાની કરુણ કહાની આગળ વધારી હે બંધુ, નગરયાપિતાએ મુલ આપીને મને ખરીદી લીધો. મને તો કશી જ ખબર નહિ. દિનભર તો વેશ્યા ન દેખાઈ. સાંજે મારી ખબર લીધી. ધીમેધીમે વાત કરતાં તાગ પામી ગઈ કે હું વેશ્યાના પાશામાં આવી છું. રે નસીબ! પુરુષથી બચવા આપઘાત કર્યો. હવે બાકી રહે તે સ્ત્રીના પંજામાં સપડાઈ. રે બાંધવાન! વિચાર કર. વેશ્યાને ત્યાં શીલ શે સચવાય! ઘર તેનું હતું ધર્મ મારો હતો. રાત્રિભર શ્રી નવકાર મંત્રનો જાપ કર્યો. દિનભર પણ જાપમાં ગયો. બીજી રાત્રિએ સૌ ઊંધતા હતાં. ચૂપચાપ હવેલીથી નીકળી ગઈ. નગરી છોડી દીધી. વનની વાટે નિકળી ગઇ. નિર્ભય બની વેશ્યાથી ભાવિનો ભય સતાવતો હતો. આગળ કેવું વિતશે? જ્ઞાનીને ખબર,
સવાર પડતાં વન ઓળંગી વ્યવહારુ માર્ગે નીકળી, નિર્મળ નીર ભરેલું સરોવર જોતાં હાથપગ ધોઈ પંચપરમેષ્ઠીનું ધ્યાન ધર્યું. ત્યાં નિર્ણય કર્યો. જેમ જેમ દિવસો જાય છે તેમ શીલ મારું જોખમાતુ ચાલ્યું. શીલ માટે તો પ્રાણ ત્યજી દેવા તૈયાર થઈ. ભય સરોવરમાં શાસન દેવતાને યાદ કરી ઝંપલાવી દીધું. મોટા મગરમચ્છુ મારો કોળિયો બનાવી દીધો. માછીમારની જાડામાં મગર ફસાયો, છદાયો ને તેના પેટમાંથી બેભાન અવસ્થામાંથી માછીમાર મને લઈ ગયો. ઉપચારો વડે વળી હું ત્યાં જીવિતને પામી.માછીમારે પોતાની નગરીના રાજાને મારી ભેટ ધરી. અંતઃપુરમાં મોકલી ત્યાં પટરાણીની સહાયતાથી પાછળના ગુપ્ત માર્ગે ભાગી છૂટી. વળી મારો રઝળપાટ ચાલુ થયો. વનની વાટે પરમાત્માના ધ્યાનમાં ચાલવા લાગી. રસ્તામાં જ ચોરોએ પકડી, પોતાના સરદારને સોંપી. ઘરવાળી બનાવવા મારી પાછળ પડયો. એ રાક્ષસના પજામ થી કેમ કરી છૂટાશે? પણ શ્રી નવકાર મંત્રના પ્રભાવે શાસન દેવતાએ સારો પરચો બતાવી દીધો. સી મને પગે લાગવા લાગ્યા. દેવી માની પૂજા કરવા લાગ્યા, વળી ત્યાંથી એજ રાત્રિએ છાનીમાની ભાગી છૂટી. માગે અજાણ્યો પણ મારું ભાગ્ય જયાં લઈ જાય ત્યાં, જે માર્ગ મળ્યો તે માર્ગે આગળ પ્રવાસ ચાલુ થયો. ભૂખ અને તૃષાથી પીડાતી જંગલને રસ્તો કાપવા લાગી. સવાર પડવાને થોડી વાર હતી. ત્યાં સરોવર દેખાયું. જોતાં કંઈક સાતા વળી. હાથ પગનું પ્રક્ષાલન કર્યું. ઘડીવાર શ્રી પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી લીધું. સમય થતાં પાણી વાપરીને વૃક્ષના ફળો ઉતારી ઉદરપૂર્તિ કરી સ ત ચાલવાને કારણે પગ હવે ચાલવાની ના પાડતા હતા. મન પણ ઘણું થાકી ગયું હતું. સરોવરના તીરે વૃક્ષ નીચે વિશ્રામ લેવાને બેઠી, ઘડીક નિદ્રા લેવામાટે આડે પડખે થઈ. ઘસઘસાટ ઊંઘી ગઈ. ભારડ પક્ષીએ ઉપાડી ને હું તમારા વિમાનમાં પડી,
સુંદરીની વીતક કથા સાંભળીને ખેચરની આંખ પણ ભીની થઈ ગઈ. ખેચર વિચારવા લાગ્યો.હૈયામાં અહોભાવ જાગ્યા. કામદેવની સ્ત્રી તેમજ દેવાંગના રુપને હરાવે તેવા અધિકતર રુપને જોઈને કામદેવ કોને ન સતાવે? સતી કેવી કેવી મોટી વિડબનાઓને પામી છે. ધન્ય છે આ મહાસતીને! યૌવનવયમાં પતિથી ત્યજાયેલી આ સુંદરીએ કામદેવને મહાત કર્યો. શીલને અખંડ રાખું શીલ સદાચારથી મોં પર કેટલી તેજસ્વિતા શોભે છે. પૂણ્ય જોરદાર હશે, તો આ શીલવતી નારીના મને દર્શન થયા. ત્યાર પછી સતીને કહેવા લાગ્યો. હે બહેન! મારી વાત સાંભળ. હવે ત ખંખેરી નાખ. આ તારો ભાઈ, માજણ્યો સમજજે. હવે મનમાં જરાયે દુઃખને ધારણ કરીશ નહિ. આજથી તું તારા ઈષ્ટદેવની અનન્ય ભકિત કરજે. અને ધર્મની આરાધના કરજે. મારું આ વચન તું સત્ય સમજી લેજે. નિશ્ચયથી હું તારા દુ:ખને ખંખેરી નાખીશ. જીવન નૈયા તારી ઝોલા ખાય છે. મને વિશ્વાસ છે કે તું હેમખેમ પાર ઉતરી જશે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
11. ૫ડી.
દુઃખને