________________
ભાવાર્થ:
(દોહરા) સુરસુંદરી વિમાનમાં જઇ, પડી તાસ વિચાલ; વિદ્યાધર તે દેખીને, હરખિત થયો ઉજમાલ. ૧ ચાલ્યો ગ્રહી મંદિર ભણી, તવ બોલે સા નાર; મુઝને નવિ રાખો અહિં, નાંખો ધરણી મઝાર. ૨ વિદ્યાધર કહે તુમ તણી, વાત કહો સવિ તંત; સુરસુંદરી કહે સાંભળો, પૂરવ કથા વિરતંત. ૩
વિદ્યાધરનું વિમાન
માનવભક્ષી ભા૨ેડ પક્ષીના મુખમાંથી છૂટેલી સુરસુંદરી વિદ્યાધરના વિમાનમાં બેભાન પડી. વિદ્યાધરના વિદ્યાબળે સુરસુંદરી તરત જ ભાનમાં આવી. સતીનું રુપ જોઇને વિદ્યાધર મનમાં હરખ્યો. વિમાન ગતિમાન કર્યું. સતી ભાનમાં આવતા સફાળી બેઠી થઇ ગઇ. સુરને ખબર નથી હું કયાં છું? વિદ્યાધર સમજયો કે સ્ત્રી ગાભરું બની ગઇ છે. કંઇ વિચારી રહી છે. વિચારધારા તોડવાને વિદ્યાધરે સુરસુંદરીને બોલાવી. બહેન! ગભરાશો નહિ. તમે સંપૂર્ણ નિર્ભય છો. સતી બોલી – હું કયાં છું? તમે એક વિદ્યાધરના વિમાનમાં છો. ‘ભાઇ! મને છોડી દ્યો. મારે મન તો મૃત્યુ જ શ્રેય છે. મારે તો
મૃત્યુ વિસામો છે, સ્ત્રીની વાત સાંભળી વિદ્યાધર બોલ્યો - બહેન! તમારું આયુષ્ય બળવાન છે. આકાશમાંથી નીચે પડતાં તમારા પુણ્યથી હું આવી ગયો. તમે બચી ગયા છો, માટે હવે મરવાનો વિચાર ન કરો.
હવે સુરસુંદર સંકટોથી પરેશાન અને જીવનથી હતાશ થઇ ગઇ હતી. સૌની સહનશકિતની પણ મર્યાદા હોય ને? સુર બોલી- ભાઇ! હું બહુ દુ:ખિયારી છું. મને મરવા દો. તમે મને અહીંથી પડવા દો. મારા જીવન દર્દનો અંત આવે. વિદ્યાધર બોલ્યો- બહેન! અકાળે મૃત્યુને શરણે શું કામ જવું? એકવાર તો અવશ્ય મરવાનું છે. આપઘાત કરતાં ય દુઃખનો અંત નહિ આવે. અધૂરા કર્મ તો બીજા ભવમાં પડે છે. આ રીતે વિદ્યાધરે આશ્વાસન આપતાં સતીને મરતાં અટકાવી. હવે તું જરા પણ નિરાશ ન થઇશ. તારું નામ શું? ‘સુરસુંદરી' બેન! તેં ઘણાં દુ:ખો સહન કર્યા હશે તેથી જીવનથી કંટાળી ગઇ હશે. તારી વિતક કથા કહે. હું સાંભળીશ અને બનતા બધા જ પ્રયત્ને સહાય કરીશ. સહાનુભૂતિ દાખવતાં વિદ્યાધરને સતી પોતાની આપવીતી કહેવા લાગી. હે ભાઇ! સાંભળો.
ઢાળ બારમી
[તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી- એ દેશી]
ચંપાનગરી રાય, રિપુમર્દન જે કહ્યોરી; રિપુમર્દન જગમાંહી, તે મુઝ તાત લહ્યોરી. ૧ તિણે નગરે ધનવંત, એક વ્યવહા૨ી વડોરી; તસનંદન સહ મુઝ, કરમે જોગ જડચોરી. ૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૧૧૫)