SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ થવા આવ્યું છે વિના વિલંબે સતી ચાલી જાય છે. સોનેરી સવાર થવા લાગી છે. સતીને તેની પણ પરવા નથી. સતીમુખ જોવા ભમતો સૂર્ય ઉદયાચલે આવતાં ઉષારાણી વધામણાં લઇને આવી છે. તે પણ સતીને માન્ય નથી. તેનું મન નવકારમાં છે. રસ્તો કાપે જાય છે. અવિરત પણે આખી રાત ચાલી. તેથી સુરસુન્દરી ઘણી જ થાકી ગઈ છે. ત્યાં તો દૂર સુદૂર ભવ્ય મહેલોના શિખરો દેખાયા. જંગલ પૂરું થયું. વસ્તીમાં આવી. નગરજનો આવતા જતા દેખાયા. સુરના હૈયે કંઈક ટાઢક થઇ. તેવામાં સુરસુંદરીને શાંત વિશાળ સ્વચ્છ પાણીથી ભરપૂર સરોવર દેખાયું. તેનાથી નગર થોડું દૂર હતું. વહેલી સવાર હોવાને કારણે માણસોની અવરજવર ઓછી હતી. તાપ અને સંતાપથી પણ થાકેલી હતી. ધીમે ધીમે ચાલતી સુરસુંદરી સરોવર તીરે આવી. મંદ મંદ વાતો ઠંડો પવન આવતો હતો. સતીએ કિનારે રહી હાથ પગ ધોયા. સ્વસ્થ બની. સરોવરના કાંઠે બેઠી છે. વિચારી રહી છે, શું કરવું? કયાં જવું? સરોવરમાં પણ મોટા મોટા મગરમચ્છને માછલાં મોટી મોટી ફાળો ભરતાં પાણીની સપાટીએ આવીને સતી સામે જુએ છે ને વળી પાછાં સરોવરમાં અદ્રશ્ય થઈ જાય છે. કુદરત સવારે ખીલી છે. સતીને આનંદ નથી. મારા જીવવા વડે કરીને શું? જયાં જાઉં ત્યાં મારું શીલ જોખમાય છે. મારા અવતારને ધિકકાર હો? આ પરદેશમાં એકલી નિરાધાર અબળાની શી શી દશા? હે કિસ્મત! તું મારા ઉપર ઠયો છે. જયાં જાય છે ત્યાં દુઃખના મોટા ડુંગરા જ ખડકાય છે. દુઃખને સહન કરવાની શકિત છે. પણ. પણ. મા.. શીલ! મારા શીલનું ? આ યૌવને મારી શી દશા બેસાડી? આ યૌવનને પણ ધિકકાર હો! શીલ માટે તો અગ્નિપ્રેવશ પણ કરીને મૃત્યુને વરીશ. શીલ માટે સમુદ્રમાં ઝંપાપાત કરીશ. પણ. પણ આ દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી શીલને જરા પણ આંચ આવવા નહિ દઉં. હે શાસનદેવતા! મારો આ અફર નિર્ણય છે. તમે સહાયભૂત થજો. જગમાં જે જીવો વ્રત ભાંગીને સુખેથી જીંદગી જીવી રહ્યા છે, તેના અવતારને ધિકકાર હો! વળી સરોવર તીરે બેઠેલી વિચારોના વમળે ચઢેલી સતી કંઈક વિચારે છે, મને પતિએ તરછોડી છે. હું કેવી રીતે તેને મેળવીશ. કયાં મળશે? ઠીક! પણ હજુ તો તેને મેળવવા જતાં કેટલા સંકટો આવશે? તે ખબર નથી. તે કરતાં આ સરોવરમાં ઝંપાપાત કરીને મારું જીવન સમાપ્ત કરી દઉં. જૈન સિદ્ધાંતોને જાણતી, પળે પળે નવકારને ગણતી છતાં હૈયે હિંમત હારી ચૂકી છે. એક શીલને માટે ... જયાં જાય ત્યાં શીલને મ ટે જ ભયંકર સંકટો ઊભા થતા. તેથી હવે મનથી નિશ્ચય કરી શાસન દેવતાને યાદ કર્યા. સરોવરના અધિષ્ઠાત્રી જ દેવીને પણ યાદ કરી. સતીએ સરોવરમાં ઝંપાપાત કર્યો. પડતાંની સાથે સતી તો પાણીમાં અદ્રશ્ય થઇ ગઇ. મોટા નરના મુખમાં જઈને પડી, મોટો શિકાર મળતાં મગર સતીને ગળી ગયો. મોટી મોટી દાઢોને દંત હોવા છતાં સતીને એક પણ દાંત દાઢ વાગી નહિ. ને એક કોળિયામાં મગરે પેટમાં ઉતારી દીધી. કેવી દશા! આ સરોવરના કિનારેથી થોડે 3 દૂર માછીમારને ઝુંપડા હતા. ને આ માછીમારોએ માછલાં પકડવા કિનારે મોટા લાકડા બાંધ્યા હતા. તેના આધાર સરોવરમાં જાળ પાથરી હતી. કુદરતે કરીને આ મગર જ માછીમારની જાળમાં ફસાઇ ગયો. મગરનું વજન વળી એમાં સતાને ગળી ગયેલો તેથી બમણાં વજનવાળો મગર જાળમાં તરફડાટ કરવા લાગ્યો. મગરના તરફડાટથી જાળની સાથે બાંધેલું લાકડું જોરજોરથી હચમચી ઉઠયું. તે જોઇને માછીમાર દોડી આવ્યો. વિચાર કરતો હતો કે કોઇ મોટો મગર આવ્યો લાગે છે. મહાપરાણે જાળને ખેંચી કિનારે લાવ્યો. માછીમારના કેડે કટારી હતી. જાળમાં રહેલા મગરને કટારીથી છેદી નાખ્યો. સરોવરનું પાણી રકતવર્ણનું થઇ ગયું. મગર કિનારે મરેલો પડ્યો છે. ધીવરે જાળ છોડી નાખી. પછી મ ના શરીરના ટુકડા કરવા જાય છે ત્યાંતો તેની કટારી અટકી. રુપે રંભા સરખી સ્ત્રીને જોઈ આશ્ચર્ય પામી ગયો. માછીમારને પણ દિલ હતું. દિલમાં દયા ઉભરાઈ. સ્ત્રીને જોતાં હળવેકથી સ્ત્રીને બહાર કાઢીને જોયું. સ્ત્રી બેભાન હતી. મૃત્યુ પામી નહોતી. મગરને ત્યાં મુકી દીધો. સ્ત્રીને ઉંચકી પોતાની ઝુંપડીએ લઈ ગયો. ધીવર પત્નીએ ચૂલો પેટાવીને રમ પાણી કર્યું. તેને સાફ કરી. ગરમાટો કર્યો. એક બાજુથી પવન નાંખવા લાગ્યો. ઘડી બે ઘડી થતાં સુંદરી ભાનમાં આવી. ધીવરોને આવા અનુભવો વારંવાર થતા હોય છે. તેના ઉપાયોને પણ જાણતા હોય છે. સુરસુંદરીને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy