________________
સોવનકુલ નગરમાં ભાવાર્થ :
કર્મની લીલા ન્યારી છે. કર્મવશ પડેલા આત્માઓ ઘડીમાં ઊંચે ચડાવે અને ઘડીમાં નીચે પછાડે છે. કર્માધીન બનેલી ચરિત્રનાયિકા સુરસુંદરી પોતાના કઠોર અને અઘોર કર્મને વિચારી રહી છે. હે ભવ્યજીવો! કર્મની ગતિ જુઓ! કરમથી સુખદુઃખ મળે છે. આ જગતમાં સૌથી બળવાન હોય તો એક કર્મરાજા. તેના પંજામાંથી છૂટવું રમત વાત નથી સર્વથા કર્મનો ક્ષય કરીએ તો કર્મના પંજામાંથી છૂટાય. તો જ આ જીવાત્મા શાશ્વવત પરમ સુખને મેળવે છે. રે ચેતન! તે બાંધ્યા કર્મ - તે કર્મને અનુસારે હું અહીં વેચાઈ ગઈ. અને આ વેશ્યાના સંકજામાં ભયંકર સપડાઈ છું. આ દુર્જનના સંગે મારા શીયળનું શું? ખરેખર! જગતમાં કામીજનો દુર્જન કહેવાય છે. તેના સંગથી મારા શીયળની હાનિ થશે. હે દેવ! હું શું કરું! ખરેખર! આ જગતના લોકો અગિયારના સંગથી વિનાશ ને પામે છે ૧ કુમંત્રીથી રાજા. ૨ લોભ થકી મુનીવર, વખાણ કરવાથી પુત્ર, પુત્ર ઉદ્ધત થાય) ૪ વિદ્યા વિનાનો બ્રાહ્મણ (અજ્ઞાનતાથી બ્રહ્મણ ) ૫ કુપુત્રથી કુલ ૬ ઈર્ષા-દ્વેષ થી મિત્રતા, ૭ દારુના આશ્રયથી (સેવન થી) લજજા, ૮ માલિક વગરનું ખેતર, ૯ પતિ વિનાની પત્ની (વ્યાભીચારીણી બની જાય.) ૧૦ પ્રમાદ થકી ધન, ૧૧ દુર્જન ની સેવાથી શીલ-વિનાશ થાય છે માટે અગિયારનો સંગ ન કરવો. વળી નાના એવા છિદ્ર થી ઝલ્લરી-ઝાલર પણ મોટા દુઃખને પામે છે.
વિદ્યા અને ધનથી શોભતો ધનવાન પણ જો દુષ્ટ-દુર્જન હોય, મણિથી શોભતો ફણીધર, - આ બધાનો કયારેય વિશ્વાસ ન કરવો. આ સર્વથી ડરી ને દૂર રહેવું. હાથીથી હજાર હાથ, ઘોડાથી દસ હાથ,ગાંડાથી પાંચ-સાત હાથ, દૂર રહેવું પણ દુર્જન થકી તો પરદેશ - ઘણા દૂર રહેવું. કયારેય નજીક ન રહેવું.
સુરસુંદરીએ ત્રણ દિવસની અવધિ માંગી લીધી. ત્રણ દિવસમાં અક્ક મળવા, પણ આવી નથી તે તક લઈને સુંદરીએ અહીથી નાસી જવાનો ઉપાય વિચાર્યો. બે દિવસમાં સતીએ મહેલ થકી ક્યાંથી અવાય જવાય, દરવાજા વગેરે જોઈ લીધા, ત્રીજી રાત્રી એ, વેશ્યા દાસ-દાસી પરિવાર નિદ્રાધીન હતો. હવેલીમાં અપર્વ નીરવ શાંતિ હતી. તે સમયે સતી પોતાની સાથે શીયળ અને સાહસ લઈને નવકાર મંત્રને ગણતી મહેલ ના દરવાજા ખોલીને ધીમી ગતિ એ ચોર પગલે હવેલીના ચોગાનમાં આવી. મહેલમાંથી નીકળી જતાં કંઈક સ્વસ્થ થતાં આગળ ચાલી. પાંદડાં પગે અથડાતા અવાજ થયો. ઝાપે બેઠેલો વૃદ્ધ ચોકીદાર જાગતો જ હતો. અવાજ થતાં પડકાર કર્યો. કોણ? સતી કહે, એક અભાગણી સ્ત્રી. અત્યારે અહીંયા કેમ? સતી કહે, ભાઈ! મારા પર દયા કરો. સુરસુંદરીની વાણીમાં વ્યથા અને હૈયામાં દર્દ હતું. ચોકીયાતના હૃદય પર ઘેરી અસર થવા લાગી. સુરસુંદરી – આગળ બોલવાનું ચાલુ રાખ્યું-ભાઈ! તમે સજજન દેખાઓ છો. એક બહેનની શીયળ સાચવવા મદદ કરો. મને આ પાપના ઘરમાંથી બચાવો. જિનેશ્વર દેવ તમારું ભલું કરશે. આજે નહીં બચાવો તો કાલે મારી જીંદગી નહીં હોય. ભાઈ મને બચાવો... મને બચાવો. સ્ત્રીના શબ્દો સાંભળી ચોકીયાત પીગળી ગયો.અને સુરસુંદરી આ વૃદ્ધ ચોકીયાત ની સહાય થી ઝાંપાની બહાર નીકળી ગઈ. સતી એ છૂટયાનો શ્વાસ લીધો. હૈયે ટાઢક થઈ. વૃદ્ધ ચોકીયાત ને પણ દયા આવતા ગામની બહાર સુધી મૂકીને બીજા ગામે જવાનો રસ્તો બતાવી વૃદ્ધ ચોકીયાત ઘરે પાછો વળ્યો. શીયળ-સાહસ સાથે છે જેને, હૈયે નવકાર છે જેને મધરાતે અંધકાર વચ્ચે સતીએ પ્રવાસ શરુ કરી દીધો. પતિ વિયોગી, અનેક સંકટોને સહન કરતી, ઉઘાડા પગે, સાથ સહકાર વિના, નસીબ જયાં લઈ જશે ત્યાં જવા નીકળી પડી.જેના હૈયામાં સુખ શબ્દ દેશવટો લીધો હતો, તે સતી નવકાર મંત્રને ગણતી ચાલી જાય છે. જેના પિતા રાજા હતા. જેના પ્રતિ પાસે અબજો ની દોલત હતી, હાલ તો અનાથ એવી સુરસુંદરી આંસુને સારતી વનની વાટે ચાલી જાય છે. નવપદરૂપ નવકારના ધ્યાન માં સંકેતને પામતી જંગલની કેડીએ ચાલી જાય છે. રાત વાસમાં પૂરી થતાં પરોઢ
(મહાસતી શ્રી સુરસુંદરીનો સસ)