________________
ભાવાર્થ :
ગુલામોના બજારે.. સંધ્યા ઢળી રહી હતી. કુદરતી શોભા નિહાળતી, પોતાના કર્મની લીલાને વિચારી રહી છે. શેઠ પડખે ક્યારે આવી ઉભો? ખબર નથી. અમરને સંભારતી, કર્મને વિદારતી સતીના આંખે આંસુ ઉભરાયાં. શેઠ પૂછવા લાગ્યો - સુંદરી રડવાનું કારણ? મધુર અને સુકોમળ વચનોથી બોલાવતો વિકારી બનેલો શેઠ નયનો નચાવતાં કહેવા લાગ્યો. હું તારો છું મારી સઘળી સંપત્તિ તારા ચરણોમાં સમર્પિત કરીશ. મારા હૃદયમાં તારું જ સ્થાન છે. બીજાનું નહિ. એમ બોલતો બોલતો સતીની નજીક પહોંચી ગયો. સતી તરત દૂર ખસી ગઇ. મનમાં વિચાર્યું અહીં પણ મારું શીલ જોખમમાં છે. છતાં સાહસ તો કરવું જ પડશે. શેઠને કહેવા લાગી - હે હે ભાઈ આ શું બોલે છે? તમારી માનવતાને પાંગળી ન બનાવો. શેઠ - તને દુઃખી જોઇને મારું હૈયું કંપે છે. સુરસુંદરી :- હે ભાઈ! વિષયવાસના રુપી પશુના શિકાર ન બનો અનાથ નારીના આંસુ પ્રતિ સહાનુભૂતિ દાખવો. પાશવીવૃત્તિ દાખવતાં કુદરત બદલો આપે છે. નિરાધાર એવી હું તમારી આશ્રિત બહેન છું. આની પહેલાં પણ હું વહાણમાં હતી. વહાણનો માલિક તમારી જેમ જ મારી પાછળ પાગલ બન્યો. કામાતુર બનેલો શેઠે મને સતાવતા જીવિતને ખોયું. અચાનક આંધી તુફાન ચડી આવ્યા. કુદરત કોપે ત્યારે કોઈનીયે બનતી નથી. શેઠ! સઢ તૂટ્યા, દોર તૂટ્યા. વહાણ તૂટ્યું અને શેઠે પરિવાર સહિત જળ સમાધિ લીધી. હું પણ સમુદ્રમાં પડી હતી. મને વહાણનું પાટિયું મળતાં બચી ગઈ. નીચ શેઠથી છૂટી. હાથીના સૂંઢથી છૂટી આવી પડી તમારા વહાણમાં. શેઠ! કોઈને સતાવવાથી સુખી થવાતું નથી. આ રીતે પૂર્વે થયેલી શેઠની દશાને કહી રહી છે. સુરસુંદરીના તે શબ્દોની ઘેરી અસર થઇ. બોલે છે : બહેન! મને ક્ષમા કરો. મારા જાગી ઊઠેલા વિકાર બદલ પસ્તાઉં છું. હવે તમને નહીં સતાઉં. આગળ કોઇ શહેર આવશે ત્યાં તમને મૂકી દઈશ. સુંદરી વિચારે છે કે, શું આ પશ્ચાતાપ સાચા હૃદયનોહશે? કે પછી ભૂતકાળના પ્રસંગને અનુસારે ભયનો? પણ પછી સુંદરી સામે શેઠનું વર્તન બદલાઈ ગયું. ક્યારેક ક્યારેક કુશળતા પૂછવા આવતો. સુંદરીના કહેવા અનુસાર પ્રલયના ભયથી મલિન વૃત્તિ દાબી દીધી હતી. યૌવનાના રુપને પીધું નહિ તો કઈ નહિ પણ એને તો જવા દઊં નહીં. શહેર આવે પછી વાત. નાખુદાએ સમાચાર આપ્યા - હે શેઠ! સૌ સમુદ્રમાં કંટાળ્યા છે. કંટાળો દૂર કરવા આવતી કાલે સવારે સોવનકુલ નગર આવી જશે. આ સમાચાર સાંભળી સૌ રાજી થયા. શેઠ સુંદરી પાસે આ સમાચાર કહેવા માટે આવ્યો. તે બેન! આવતી કાલે આપણા વહાણો સોવનકુલ નગરમાં પહોંચશે. “મને ત્યાં ઉતારી દઇશ”. સુરસુંદરી – ભાઇ! તમારું કલ્યાણ થાઓ. તમારો ઉપકાર નહિ ભૂલું. શેઠ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ત્યાં જઈને વિચારે છે કે મને મળેલું અમૂલ્ય સ્ત્રી રત્ન મને કામ ન આવ્યું. તો ઠીક! મફતમાં જવા નહિ દઉં. વળી સતી પ્રત્યે શેઠ શઠ અને નિર્દય બન્યો. બજારમાં જઈને વેચી તેના મૂલ્ય કરી લઉં. સોવનકુલનગર આવતા વહાણે લંગર નાખ્યા. સૌ કિનારે ઉતર્યા. નિર્લજ્જ બનેલો શેઠ સુરસુંદરીને લઈને બજારમાં ગયો. સતીને ખબર નથી કે અહીં માનવની હરાજી બોલાય છે. ગુલામનો વેપાર થાય છે. તે તો એક બાજુએ ઊભી છે. તે વખતે નગરની પ્રખ્યાત ગણિકા ત્યાંથી નીકળે છે. ને આ સુંદરી તેના જોવામાં આવી. સતીનું રુપ જોતાં જ અંજાઈ ગઈ. વિચારે છે કે આ સ્ત્રી કોણ હશે? દૂર ઊભેલી ગણિકા સુંદરીને એક નિગાહે જોઈ રહી છે. આવું ૫ તો દેવ કન્યાનું હોય, માનવ કન્યાનું આવું ૫ મેં જોયું નથી. આવું કન્યારત્ન જો મારા મહેલે આવે તો! કોઈ પણ ઉપાય આ કન્યાને મેળવી લેવી. જેથી કરીને, જેની પાછળ અઢળક સંપત્તિ ચાલી આવશે. ગણિકાએ તપાસ કરાવી કે આ સ્ત્રીનો માલિક કોણ? ચોકી કરતા શેઠને દૂરથી જોયા. ઇશારા વડે એક તરફ બોલાવીને સ્ત્રીના મૂલ પુછે છે. શેઠજી! તમારા માલની કિંમત બોલો! શેઠ - હે ગણિકા સત્ય કહું છું કે સવા
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)