________________
જેના પિતા-૩ ખંડના અધિપતિ કૃષણ મહારાજની સમર્થ રહેલા છે. સમૃદ્ધિનો પાર નથી. બાવીસમા તેમનાથ ભગવાન જેના ગુરુ છે, એવા કૃષ્ણ મહારાજાનો રાજકુમાર જે ઢંઢણકુમાર અપાર રિદ્ધિ સિદ્ધિ છોડીને દીક્ષા ગ્રહણ કરી. પણ પૂર્વભવના અંતરાય કર્મ જબ્બર બાંધેલા, જેના ઉદયે આહાર પામતા ન હતા. અભિગ્રહ હતો મારી લબ્ધિએ આહાર મળે તો વાપરવો. બીજાની લબ્ધિએ નહિ. છેવટે તો આહાર ન જ મળ્યો. પૂર્વ કરેલા કર્મના વિપાકો કેવા છે?
મર્યાદા પુરુષ શ્રી રામચંદ્રજીને ગાદીએ બેસવા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ મુહૂર્ત શ્રી વશિષ્ઠ ઋષિએ બતાવ્યા. કર્મવશ થકી તે જ દિવસે દશરથે રામચંદ્રજીને દેશવટો દીધો. વનવાસ જવાનું કહ્યું.
વળી લંકાપતિ રાવણ રાયને દુનિયા સારી રીતે ઓળખે. એવા રાજાનો પ્રભાવ કેવો? તેજવંત તપેલા સૂર્યના જેવો આકરો, સઘળી ભૂમિને હાથવગી કરનાર, રાવણની આણને ચૂકવતા, અથવા આણને સ્વીકારતા નહિ તેની બૂરી અવસ્થા કરતો હતો.
વળી કેવો? મહાસત્તાધારી રાવણે નવગ્રહને પોતાના પગે દીધા હતા. ૧૬ હજાર વિદ્યાઓ, સાધના મેળવી હતી. સવા લાખ દીવડા ઝળહળતા તેના દરબારે. નવ ગ્રહોને જુદા જુદા કામ કરવા પડતા હતા. રાવણના રસોડે સૂર્ય રસોઈ કરે, રાજ દરબારે રાવણના બેસવાના સિંહાસનની બંને બાજુ ચંદ્ર ચામર ઢાળે છે, વાવણી કરેલા ક્ષેત્રનું રક્ષણ મંગળ કરે છે. રાવણના રાજ દરબારે નિત્ય સવારે વેદપાઠ ગુરુ કરે છે. હંમેશાં બુધ આરસી બતાવે છે. રાવણના પગનું પ્રક્ષાલન કેતુ કરે છે. શનિ હંમેશા રાજ દરબારે પાણી ભરે ને ગાળે છે. જ્યારે રાહુ હાથમાં તલવાર ગ્રહણ કરીને દુશ્મનના ગણનો છેદ કરે છે. વિધિઃ રાતદિવસ રાજ રસોડે ઘરઘંટી બનીને અનાજને દળ્યા કરે છે. ૩૩ કરોડ દેવતાઓ ચોકીદાર બનીને લંકાનગરીના બધા જ દરવાજે ચોકી પહેરો ભરે છે. નવદુર્ગા હંમેશાં રાવણની આરતી ઉતારે છે. યમરાજ હંમેશા પાડો થઈને પાણી ભરે છે. વાયુકુમાર હંમેશા રાજ્યનું આંગણું સાફ કરે છે. ગણેશજી હંમેશા રાવણનું રક્ષણ કરે છે. અગ્નિકુમાર હંમેશા રાજ્ય પરિવારના વસ્ત્રોને ધુવે છે. હરિ હંમેશા રાજબગીચામાંથી ફુલો લઈને ફૂલોની માળા બનાવી આપે છે. બ્રહ્મા રાજ દરબારમાં રાવણનો રાજપુરોહિત બન્યો છે.
આવા મહાપરાક્રમીને પુણ્યથી પ્રતિવાસુદેવની પદવી મળે છે. ત્રણખંડનો માલિક, રૈલોક્ય કંટકીની સેવા દેવો ડરતા ડરતા કરી રહ્યા છે. વળી પરિવાર કેટલો બહોળો? એક લાખ બાંધવો છે. સવા લાખ પુત્રો છે. અંતેપુરમાં બત્રીસ હજાર રાણીઓ છે. મુખ્ય પટ્ટરાણી પદે શીલવતી સદાચારી મહાસતી મંદોદરી રહેલી છે. નવ્વાણુ કરોડ રાક્ષસો અહર્નિશ રાજાની, રાજ્યની ખડે પગે સેવા કરી રહ્યા છે. વળી સંજીવની વિદ્યા મુખ્ય છે જેમાં એવી અનેક વિદ્યાનો ધણી, જે વિદ્યાબળે રણસંગ્રામમાં દુશ્મન રાજાના સૈન્યને પળવારમાં ભાંગી નાખતો હતો. વળી રાવણ કેવો? જેને દસ મુખ છે. વીસ હાથ રહ્યા છે. ઊંચાઈ એકવીસ ધનુષની છે. ૩૦ હજાર વર્ષનું આયુષ્ય વાળો છે. મહાન પુણ્યશાળી, રાવણની નગરી કેવી? સમુદ્રના મધ્યમાં રહેલી છે. ૭૦૦ જોજાન લાંબો, ૧૭૦ જોજન પહોળો - ૯૦૦ જોજન ઊંચો એવો આ નગરીનો ફરતો કોટ રહેલો છે. આ કિલ્લાથી રક્ષણ કરાયેલા આ મહાન રાક્ષસદ્વીપ લંકાનગરીનો માલિક રાવણરાય હતો. તેનું વર્ણન અનન્ય એવા શિવ આદિ શાસ્ત્રોમાં ઘણું કર્યું છે. તે વર્ણન સાંભળીને અહીં મેં લખ્યું છે. સાચું જૂઠ તો કેવલીગમ્ય. અરિહંત પરમાત્માનો પરમ ઉપાસક હતો. ભાવિમાં તીર્થકર પદને મેળવવા વાળો સમર્થ રાણો, પણ નસીબ – દુર્ભાગ્યના વશ થકી, મોહનીય કર્મના વશે. સીતા સતીના હરણના નિમિત્તે મરાયો. દશ મHક છેદાયા અને નરકાવાસે પહોંચ્યો, જ્યાં ભયંકર દુઃખો ભોગવી રહ્યો છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ