________________
ભાવાર્થ :
હે ચેતન! કુદરતને ત્યાં ન્યાય છે કે શુભ કે અશુભ કર્મ જે બંધાય છે. તેને બાંધનાર આપણે છીએ. કર્તા સો ભોક્તા કરેલાં કર્મ પોતાને જ ભોગવવા પડે છે. ભોગવ્યા વિના એ કર્મ ક્યારેય છૂટતા નથી. વિણ ભોગવ્યે કર્મથી બચવા માટે ક્રોડ ઉપાય કરો તો પણ કર્મસત્તા આગળ કંઇ જ ચાલતુ નથી માટે ભગવંત કહે છે કે હે જીવ! કયારેય માન ન કરીશ. માન કરવા વડે શું થાય? કર્મના ભારે બંઘ થાય. તેથી સાવઘાન થઇને કર્મ બાંધતા વિચાર કરજે.
કર્મરાજાએ તીર્થંકર ભગવંતને છોડ્યા નથી. તો તારી શી વિસાત! કવિરાજ કહે છે કે ગોવાળોયાની પાસે હજારો ગાયોનુ ઘણુ હોય. સાંજે વનવગડા એથી ગાયોને ઘર ભેળી કરતાં... ઘરે રહેલાં વાછરડાં હજારો ગાયોમાં પોતાની માતાને શોધી તેને વળગી પડે છે. તેવી જ રીતે પૂર્વે બાંધેલા કર્મો ઉદયકાળે પોતાનો કર્તા જ્યાં હોય ત્યાં પહોંચી જાય છે અને વિપાક બતાવવાના હોય છે તે બતાવે છે.
કર્મે કોને છોડ્યા? કોઇને નહિ. - પછી ચક્રવર્તી હોય કે ઇન્દ્ર, જિનવર કે વાસુદેવ, બળદેવ જે કોઇ હોય કર્મ થકી સૌ વિડંબનાઓને પામ્યા છે. ખરેખર! આ જગતમાં નસીબ કહો કે કર્મ કહો એ જ હંમેશાં બળવાન છે. કર્મથી બળવાન બીજું કોઇ જ નથી.
કર્મના વિપાક ઘણા કડવાછે. પ્રથમ તીર્થપતિ આદીશ્વર ભગવાન પૂર્વસંચિત અંતરાય કર્મના ઉદયે ૧૩ માસ ૧૦ દિવસ સુધી આહાર ન પામ્યા.
શ્રી મલ્લિનાથ ભગવાન પોતાના પૂર્વભવે તપ કરવા માટે માયા કરતાં તીર્થકરપણામાં... પણએ માયાથી સ્ત્રીપણાને
પામ્યા.
મહાવીર પરમાત્માને પણ કર્મરાજાએ છોડ્યા નથી. ભવાંતરના બાંધેલા પાપના ઉદયે, દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંગમે ઘોર ઉપસર્ગ કર્યા અને ગોવાળીયાએ પરમાત્માના કાને ખીલ્યા ઠોક્યા. જે ખીલા કાઢતાં જગપતિ ધી ચીસ પડાઇ ગઈ હતી. માનને ધારણ કોઇ ન કરશો.
સનતકુમાર ચક્રવર્તી જેના રુપના વખાણ ઇન્દ્રમહારાજાએ કર્યા. તે વખાણને સહી ન શકતા હૈ દેવોએ ચક્રવર્તીની પરીક્ષા કરી રુપનું અભિમાન આવતાં ચક્રવર્તીને એકી સાથે સાત સાત રોગો ઉત્પન્ન થયા. આ રોગ એ ૭૦૦ વર્ષ સુધી ચક્રવર્તીને પીડ્યા. અભિમાન કરતાં રોગની પ્રાપ્તિ ને પ્રશ્ચાત્તાપે સંયમ ગ્રહણ કર્યો. અભિમાનને ત્યજી દોધું ને આત્મકલ્યાણ કરી લીધું.
૧-સનતકુમારને ૧૬ રોગ થયા છે એવી પણ વાત આવે છે.
છ ખંડનો માલિક સુભૂમ ચક્રવર્તી આટલી સાહ્યબી ઓછી પડતાં લોભના વશથકી બીજા છ ખંડ જીતવા પોતાના ચર્મ રત્નરુપ વહાણમાં બેસીને ઘાતકીખંડે જવા લવણ સમુદ્રમાં ચાલ્યો. અભિમાન હતુ કે કરોડો દેવો મારી સેવા કરે છે. એની સહાયથી બીજા છ ખંડ જીતવા એ રમત છે. પણ એ અભિમાન, એ લોભે લાજ ન રાખી. વહાણને ચલાવતા સઘળા દેવો તે વેળાએ આવા પાછા થયા. અને સાતમો ખંડ (બીજા છ ખંડનો પ્રથમ ખંડ) જીતવ ને બદલે સાગરમાં ડૂબ્યો અને માધવતી નામની સાતમો નરકે જઇને વાસ કર્યો. કરમને શરમ નથી. ક્યારેય કર્મનો વિશ્વાસ ન રાખતા.
વળી, બ્રહ્મદત્ત ચક્રવર્તી ભયંકર ઘોર પાપી, જેણે પોતાની ધરાને બ્રાહ્મણ વિહોણી કરી હતી તે છેલ્લી ઘડીયે પોતાની પ્યારી સ્ત્રી કુરુમતી કુરુમતી (સ્ત્રી રત્ન) બોલતો મરીને સાતમી નકે પહોંચ્યો ને ભયંકર દુઃખો ભોગવી રહ્યો છે.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૯૦