________________
મને પુત્રી તરીકે માનવાના હોય તો તમારી સાથે આવું. આ જગતમાં વિશ્વાસ કોઇનોયે રાખવા જેવો નથી. તેથી જો પુત્રી કે બેન તરી સ્વીકારી અને સ્વીકાર્યા પછી ક્યારેય આ વચન ચૂકવાનું નહિ કારણ કે મારા સ્વામી સિવાય આ જગતને વિષે જે કોઇ પુરુષો વસે છે તે તો મારા પિતા અને ભાઇ બરાબર છે.
આ પ્રમાણે બીજા ખંડને વિષે છઠ્ઠી ઢાળ પૂર્ણ થઇ. સતીને પતિના વિયોગે હવે આગળ કેવી કેવી આફતો આવશે? એ બતાવવા કવિરાજ આગળ કહેશે. તે હવે સાંભળો.
| દ્વિતીય ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત
(દોહરો)
વલિ નિસુણો તમો તાતજી, એ મુઝ વચન ઉદાર; જો મુઝ પીહરિએ કવો, તો તુમ સાથ વિહાર. ૧ અથવા જો તેહને, સિંહલ દ્વીપે જે હ; ચાલ્યો છે મુજ વાલહો, પ્રવહણ સહિત જ તે . ૨ વાત સકલ માની કરી, પુત્રીપણે ધરી તામ; પ્રવહણ બે સારી કરી, ચાલ્યો શેઠ હરભમ. ૩ અનુક્રમે મારગ જતાં, દિવસ કે તલે તેહ;
૫ અનોપમ દેખીને, કામે વ્યાપી દેહ. ૪ ૦૫ સમારે નિજતણું નયન નચાવે નેહ; નિજ સુવર્ણ-આદર્શ માં, જુએ સમર-વશ તે હ. ૫
રન ધરે ચિંતા કરે, ચિત્ત ન સુહાવે સોર;
સુવર્ણ હ દેખી હસે, કવિ વ્યભિચારી ચોર. ૬ ભાવાર્થ - નિર્જન ટાપુ પર મહાસતી સુરસુંદરી યક્ષરાજની સહાયથી પોતાના જીવન નિર્વાહને વહન કરતી, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી રહી છે. ત્યાં વેપારી પોતાના વહાણો લઈને આવ્યો છે. સતીને પોતાની સાથે લઇ જવા તૈયાર થયો છે. પણ જો તે વચનથી બંધાય તો જ જવા માટે તૈયાર છે. | સતી કહે છે તાતજી! વળી મારી વાત સુણજો.
મને બહેન પુત્રી સમ ગણીને તમારી સાથે લઇ ચાલો. મારો પતિ સિંહલદ્વીપ નગરમાં ગયો છે. સાથે ઘણા વહાણો છે. વળી આગળ જઇને મારા પિયેરના ગામે પહોંચાડશો તો તમારી સાથે આવવા તૈયાર છું. અથવા તમે જો સિંહલદ્વીપ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૭૭